1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ વર્ષની ઉત્તરાયણ ક્યાં-ક્યાં ઉજવશે? જાણો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું ગુજરાતમાં ત્રણ દિવસ રોકાણ, જાણો વિગતવાર કાર્યક્રમ અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026 – Union Home Minister Amit Shah કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. 13 – 14 અને 15 જાન્યુઆરી દરમિયાન તેઓ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત ભાજપ દ્વારા […]

અમદાવાદઃ PM મોદી અને ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માણ્યો

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ગુજરાતની શાન સમાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ આ વર્ષે ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. મિત્રતાના રંગે રંગાયો સાબરમતી રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. […]

અમદાવાદ: નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે જર્મન ચાન્સેલરે આજે (12 જાન્યુઆરી) ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જે બાદ બંને નેતાઓએ સાંસ્કૃતિક અને રાજદ્વારી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સાબરમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ મુલાકાતના પ્રારંભે પીએમ મોદી અને ચાન્સેલર મેર્ઝ ઐતિહાસિક […]

અમેરિકા હોય કે ચીન, ભારતને નજરઅંદાજ કરવું હવે કોઈના હાથની વાત નથીઃ નરેન્દ્ર મોદી

રાજકોટ.11 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યુ હતું કે, “ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને જે ડેટા સામે આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે ભારત પાસેથી દુનિયાની અપેક્ષાઓ વધી રહી છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી […]

સોમનાથ સ્વાભિમાન પર્વ’ હવે તા.15 જાન્યુઆરી સુધી યોજાશે

શ્રદ્ધાળુઓની ભક્તિ અને ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો નિર્ણય સોમનાથઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.8 થી 11 દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ની ભવ્યાતિભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. વડાપ્રધાનએ આજના તેમના વક્તવ્યમાં પણ લોકોની શ્રદ્ધા આસ્થા અને ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટેનો ભાવ […]

કેસરી સાફામાં સજ્જ વડીલોએ વ્યક્ત કર્યો વડાપ્રધાન પ્રત્યે સ્વાભિમાન અને શૌર્યનો ભાવ

સોમનાથ, 11જાન્યુઆરી 2026: સોમનાથ ખાતે યોજાયેલી શૌર્ય સ્વાભિમાન સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વરિષ્ઠ નાગરિકોની અનોખી લાગણી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વેરાવળના સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટના ૬૫થી વધુ વડીલો એકસરખા કેસરી સાફા બાંધી શૌર્ય સ્વાભિમાન સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનશ્રીના સ્વાગત-સન્માન સાથે રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટ વેરાવળના પ્રમુખ, દીપકભાઈ […]

બનાસકાંઠામાં ઓરીના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ બન્યુ સક્રિય

પાલનપુર, 11 જાન્યુઆરી 2026:   બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. છેલ્લા ત્રણ મહિનાથી છેવાડાના તાલુકાઓમાં ઓરીનો કેસ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકામાં ઓરીના કેસમાં વધારો થતાં ગાંધીનગર આરોગ્ય કમિશનરના અધ્યક્ષતામાં ધાનેરા તાલુકા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી. ધાનેરામાં 12 કેસ સામે આવતા ઓરીને લઈને સ્થિતિની સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે […]

અમદાવાદમાં હિપ્નોટાઈઝ કરીને વૃદ્ધાના સોનાના ઘરેણા લૂંટ કેસનો આરોપી પકડાયો

 અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:  શહેરના વેજલપુર વિસ્તારમાં મંદિરે દર્શન માટે જઈ રહેલા એક વૃદ્ધાને ઊભા રાખીનેપોતાની વાતોમાં ફસાવી, ધાર્મિક વિધિ અને માતાજીના નામે સંમોહન (Hypnotism) કરી સોનાના દાગીના ચોરી જનારો 21 વર્ષીય યુવાન આરોપીને ઝોન-7 એલસીબી પોલીસે ઝડપી લીધો છે. આ ટોળકી ધાર્મિક આસ્થાનો સહારો લઈને ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવતી હતી. આ બનાવની વિગત […]

અંકલેશ્વરના પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસ હાઈવે સત્તાવાર ખૂલ્લો મુકાયો

અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:   અમદાવાદથી વડોદરા સુધીનો એક્સપ્રેસ હાઈવે બનેલો છે. જ્યારે વડોદરાથી મંબઈ સુધીનો એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યુ છે. જેમાં અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધી એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થઈ જતા વાહન-વ્યવહાર માટે સત્તાવાર ખૂલ્લો મુકવામાં આવ્યો છે. હાલ એક જ તરફની લેનમાં બન્ને તરફનો વાહનવ્યવહાર શરૂ કરાયો છે. આ એક્સપ્રેસ વે શરૂ […]

યાત્રાધામ અંબાજીમાં 15મી જાન્યુઆરીએ નાગા સાધુઓ સૂર્યોદય સમયે શાહી સ્નાન કરશે

અંબાજી, 11 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે  શંભુ પંચ દશનમ આવાહન અખાડા દ્વારા ભવ્ય સાધુ મહામેળાનું આયોજન કરાયુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજથી તા 15 જાન્યુઆરી સુધી દેશભરના હજારો નાગા સાધુઓ અને સન્યાસીઓ અંબાજીમાં એકત્રિત થઈ શાહી સ્નાનમાં ભાગ લેશે. આ મહામેળાને લઈને અંબાજીમાં સાધુ-સંતોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code