1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી કેવડિયામાં એકતા નગરની મુલાકાત લેશે અને ત્યાં લગભગ 5:15 વાગ્યે ઈ-બસોને લીલી ઝંડી આપશે. લગભગ 6:30 વાગ્યે તેઓ એકતા નગરમાં રૂ. 1,140 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 31 ઓક્ટોબરે લગભગ સવારે 8 વાગ્યે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી […]

ગુજરાતમાં બહારના પ્રવાસીઓને આકર્ષવા માટે મોબાઈલ એપથી શરાબની પરમિટ મળશે

પરપ્રાંતના પ્રવાસીઓને ફીઝીકલ પ્રક્રિયામાં સમય બગાડવો નહીં પડે, ટ્રાયલ રન સફળ થતાં હવે આવતા મહિનાથી સુવિધા અમલમાં આવશે, બહારના પ્રવાસીઓએ આધારકાર્ડ, ઓળખના દસ્તાવેજો ઓનલાઈન આપવા પડશે અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે શરાબની પરમિટના નિયમોમાં વધુ છૂટછાટ આપવાની વિચારણા ચાલી રહી હોવાનું કહેવાય છે. ગુજરાત બહારના પ્રવાસીઓને દારૂની પરમીટ […]

ગુજરાતમાં માવઠાની આફત સર્જાતા સિંગતેલના ભાવમાં થયો વધારો

કમોસમી વરસાદને લીધે મગફળીને તૈયાર પાકને નુકસાન થયુ છે, સિંગતેલના ભાવમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો, મગફળીના પાકની ગુણવત્તા ઘટતા યાર્ડમાં યોગ્ય ભાવો મળતા નથી રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદને કારણે મગફળીના તૈયર થયેલા પાકને નુકસાન થયુ છે. માવઠુ અને વિપરિત હવામાનને લીધે મગફળીની ગુણવત્તા પર અસર પડી છે. યાર્ડમાં ખેડૂતોને મગફળીના પાકના પુરતા ભાવ મળતા […]

ઝીંઝુવાડાના રણમાં વછરાજ દાદાના દર્શને ગયેલા 100 શ્રદ્ધાળુઓ ફસાતા રેસ્ક્યુ કરાયુ

ઝીઝુવાડાના અફાટ રણમાં માવઠાને લીધે કાદવ-કીચડ થયો, દર્શનાર્થીઓની 8 કાર અને 1 બસ કાદવમાં ફસાઈ ગઈ, ઝીંઝુવાડાના યુવાનોએ ટ્રેકટરની મદદથી આખીરાત રેસ્ક્યુ કરીને કાદવમાંથી વાહનો બહાર કાઢ્યા સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ઝીંઝુવાડા નજીક રણમાં વાછરડા દાદાનુ મંદિર આવેલુ છે. અને રોબરોજ અનેક શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે […]

દહેગામના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ રૂપિયા 44.76 લાખ પડાવ્યા

વિડિયો કોલ કરીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી, તમારા મોબાઈલના નંબર પર 24 ગુનો નોંધાયા હોવાનું કહીને ધમકી આપી, મ્યુચ્યુઅલ ફંડ અને બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરાવી ગાંધીનગરઃ કેન્દ્ર કે રાજ્યના સરકારી વિભાગો કે અધિકારીઓ દ્વારા કોઈનેય ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી એવી સરકારે સ્પષ્ટ સુચના અને જાહેરાતો કરી હોવા છતાંયે ઘણા લોકો સાયબર માફિયાની […]

વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ ઘરોમાં ભરાયેલા પાણી ન ઉતરતા લોકોનો મ્યુનિ. સામે આક્રોશ

વડોદરાના નવાપુરાના 56 ક્વાર્ટસ ખાતે વરસાદને લીધે ઘરોમાં બબ્બે ફૂટ પાણી ભરાયા છે, વરસાદે વિરામ લીધા બાદ કલાકો સુધી પાણી ન ઉતરતા કોર્પોરેટર સામે રોષ વ્યક્ત કર્યો, છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી લોકો સમસ્યાથી લોકો પીડાઇ રહ્યા છે, વડોદરાઃ  શહેરમાં બે દિવસ પહેલા એટલે કે ગત સોમવારે રાત્રે પાંચ ઈંચ જેટલો કમોસમી વરસાદ પડતા […]

અમદાવાદની શહેર જિલ્લા શિક્ષણાઅધિકારીની કચેરીનું વિભાજન કરવા શાળા સંચાલકોની માગ

અમદાવાદના પશ્વિમ અને પૂર્વ એમ બે ડીઈઓની કચેરી હોવી જોઈએ, શહેરના બાપુનગર કે ખોખરામાં નવી ડીઈઓની કચેરી શરૂ કરવા માગ, ખાનગી સ્કૂલોમાં ત્રણ ગણો વધારો થતાં ડીઈઓ કચેરીમાં કામગીરીનું ભારણ વધ્યું છે, અમદાવાદઃ શહેરમાં ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થતા શહેરની જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીમાં કામનું ભારણ વધતું જાય છે. તેમજ પૂર્વ વિસ્તારની શાળાઓને વહિવટી કામગારી […]

ગાંધીનગર સ્પીપા ખાતે ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રનું આયોજન કરાયું

ગાઇડેડ બાય વિઝન, ગવર્ન્ડ બાય વેલ્યુઝ’ વિષય પર ગોષ્ઠિ યોજાઈ, વાજપેયીજી એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતાઃ ચિનોય, રાજકીય બાબતોને તેમના દૃષ્ટિકોણ પર ક્યારેય હાવી થવા દીધી ન હતી, ગાંધીનગરઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.  અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ પ્રસંગે  રાજ્ય સરકાર દ્વારા ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જે […]

શિરડીથી પરત ફરતા સુરતના શ્રદ્ધાળુઓને નાસિક પાસે નડ્યો અકસ્માત, 3ના મોત

બે ઘાયલોની હાલત ગંભીર ઈજાગ્રસ્તોને નાસિકની હોસ્પિટલમાં ખસેડાયા નાસિક : શિરડીના સાંઈબાબાના દર્શન કરીને સુરત પરત ફરી રહેલા સાત યુવકોને નાસિક જિલ્લાના યેવલા તાલુકા નજીક ભયાનક માર્ગ અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોનાં સ્થળ પર જ મોત થયા છે, જ્યારે ચાર યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બે વ્યક્તિઓની હાલ ગંભીર હોવાનું જાણવા મળે […]

ગુજરાતના 136 તાલુકામાં કમોસમી વરસાદ, ડીસામાં 2 ઇંચ

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 136 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code