1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં ગોમતીપુર વોર્ડમાં 200 છાપરા તોડવાની નોટિસથી રહિશોમાં આક્રોશ

છાપરાઓ 21 દિવસમાં ખાલી નહીં કરે તો બુલડોઝર ફેરવાશે 40 વર્ષથી લોકો છાપરામાં વસવાટ કરી રહ્યા છે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો છાપરાવાસીઓ આંદોલન કરશે અમદાવાદઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આંબાવાડીના છાપરા તથા ચકુડિયા મહાદેવ નજીક આશરે 200થી વધુ છાપરાઓને 21 દિવસમાં ખાલી કરવાની  મ્યુનિ.કોર્પોરેશને નોટિસ ફટકારતા છાપરાવાસીઓમાં આક્રોશ ઊભો થયો છે. છેલ્લા 40થી વધુ વર્ષથી […]

5 રાજ્યમાંથી સરકારે ટેકાના ભાવે 3.92 LMT તુવેર દાળની ખરીદી કરી

નવી દિલ્હીઃ કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે 2024-25ના ખરીદી વર્ષ માટે રાજ્યના ઉત્પાદનના 100% સમકક્ષ ભાવ સહાય યોજના (PSS) હેઠળ તુવેર, અડદ અને મસુરની ખરીદીને મંજૂરી આપી છે. સરકારે 2025ના બજેટમાં એવી પણ જાહેરાત કરી છે કે દેશમાં કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે 2028-29 સુધીના […]

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કહ્યું- આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આજે બાંગ્લાદેશ, બંગાળથી લઈને કાશ્મીર સુધી હિન્દુઓ નિશાના પર છે. દાનિશ કનેરિયાએ X પર લખ્યું, “પહલગામમાં વધુ એક બર્બર હુમલો. બાંગ્લાદેશથી બંગાળ અને કાશ્મીર સુધી, આ જ માનસિકતા હિન્દુઓને નિશાન બનાવી રહી છે. પરંતુ જે લોકો ‘ધર્મનિરપેક્ષ’ છે અને ન્યાયતંત્રમાં […]

ઝારખંડઃ પહેલગામ હુમલા વચ્ચે પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબાની પ્રશંસા કરનાર ઝડપાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના પગલે સમગ્ર દેશમાં રોષ ફેલાયેલો છે અને આતંકવાદીઓ અને તેને પ્રોત્સાહન આપનારા સામે કાર્યવાહી કરવાની સમગ્રદેશમાં માંગણી ઉઠી રહી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠને લીધી હોવાનું જાણવા મળે છે. દરમિયાન ઝારખંડમાં પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબાના વખાણ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરવામાં આવી હતી. જેથી […]

પહેલગામમાં થયેલા હુમલાના પગલે રાજનાથ સિંહે બોલાવી બેઠક, વિવિધ મુદ્દા ઉપર કરાઈ ચર્ચા

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે સંરક્ષણ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતા. આ બેઠકમાં સીડીએસ અનિલ ચૌહાણ અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહ અને નૌકાદળના વડા દિનેશ ત્રિપાઠી પણ બેઠકમાં હાજર […]

પહેલગામ હુમલામાં 28 લોકોના મોત, હાથમાં AK-47 લઈને આવેલા આતંકવાદીની તસવીર સામે આવી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક પકડીને ઉભો છે. જોકે, તસવીરમાં આતંકવાદીનો ચહેરો દેખાતો નથી. પહેલગામમાં સુરક્ષા દળોનું ઓપરેશન સમાપ્ત થયા પછી, NIA ટીમ સ્થળ પર પહોંચી. તે જ સમયે, પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પહેલગામ […]

પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલાને અવગણતા કહ્યું- ‘અમારે કઈ લેવા દેવા નથી, અમને દોષ ન આપો…’,

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આજે આવી છે. પાકિસ્તાને આ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. રિપોર્ટ અનુલાર, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી. અમારે આની સાથે કોઈ લેવાદેવા નથી. અમે દરેક સ્વરૂપમાં […]

પહેલગામમાં હમાસની પેટર્ન, ટાર્ગેટ કિલિંગ, ઓળખ પૂછ્યા પછી લોકોની હત્યા…

પહેલગામની બૈસરન ઘાટીમાંથી પસાર થશો, તો તમને લાગશે કે સ્વર્ગનો રસ્તો અહીંથી જ પસાર થતો હશે. ઊંચા પાઈન વૃક્ષો. પર્વતોથી ઘેરાયેલું મેદાન અને મેદાન પર ફેલાયેલું નરમ લીલું ઘાસ. નઝર ઉપર કરશો તો બરફથી ઢંકાયેલા પર્વત શિખરો તમારા સામે છવાઈ જશે. દરમિયાન, જો ચમકતો સૂર્ય દેખાય તો એવું લાગશે કે આ પર્વતો ચાંદીની ચાદરથી ઢંકાયેલા […]

LOC પર ઘૂસણખોરીનો પ્રયાસ, બારામુલામાં બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં LOC પર સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાએ LOC નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 23 એપ્રિલના રોજ બે થી ત્રણ આતંકવાદીઓએ બારામુલ્લાના સરજીવન જનરલ વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમને એલઓસી પર એલર્ટ ટીપીએસ દ્વારા પડકારવામાં આવ્યા હતા અને અટકાવવામાં આવ્યા હતા, જેના પગલે સેનાએ […]

ભારતીય શેરબજારમાં તેજી, IT અને ઓટો સેક્ટરમાં ખરીદી નોંધાઈ

મુંબઈઃ બુધવારે સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા. શરૂઆતના કારોબારમાં IT અને ઓટો સેક્ટરમાં ખરીદી નોંધાઈ હતી. સવારે લગભગ 9.32 વાગ્યે, સેન્સેક્સ 536.4 પોઈન્ટ વધીને 80,132.01 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 150.10 પોઈન્ટ વધીને 24,317.35 પર ટ્રેડ કરી રહ્યો હતો. બપોરના સમયે બીએસઈ 400 પોઈન્ટથી વધારે ઉપર ટ્રેડ કરી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code