1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતના મોટા વરાછામાં ખાનગી લકઝરી બસે રાહદારી યુવાનને ટક્કર મારતા મોત

યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે લકઝરી બસે અડફેટમાં લીધો લોકોએ લકઝરી બસના ડ્રાઈવરને પકડીને પોલીસ હવાલે કર્યો પોલીસે બસચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સુરતઃ શહેરમાં બેફામ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીકના મણકી મા […]

ગુજરાતમાં ગરમીનું અસહ્ય મોજું ફરી વળ્યું, બફારાએ લોકોને અકળાવ્યાં

સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવથી લોકો ત્રાહીમામ પોકારી ગયા અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો મેના પ્રથમ સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે રાજકોટમાં તાપમાન 46 ડિગ્રીને વટાવી ગયું હતું. અને ભૂજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. આજે મંગળવારે પણ અમદાવાદ સહિત […]

ભારતને એટમ બોમ્બની ધમકી આપનાર પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનનું ‘X’ એકાઉન્ટ બ્લોક કરાયું

નવી દિલ્હીઃ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફના ‘X’ એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ખ્વાજા સતત ઝેર ઓકતો રહ્યો હતો. તે ભારત વિરુદ્ધ અનિયમિત નિવેદનો પણ આપી રહ્યો હતો. ખ્વાજા આસિફે ભારત તરફથી લશ્કરી હુમલાનો ડર હોવાની પણ કબૂલાત કરી. આસિફે કહ્યું હતું કે ભારત તરફથી […]

ભારત લશ્કરી હુમલો કરશે તે ચોક્કસ છેઃ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારતીય લશ્કરી હુમલાનો ભય સ્વીકાર્યો છે. ખ્વાજા આસિફે કહ્યું કે ભારત તરફથી હુમલો નિશ્ચિત છે અને તે નજીક છે. ખ્વાજા આસિફે ભારત તરફથી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની તૈયારીઓ વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “અમે અમારા સુરક્ષા દળોને મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું છે કારણ કે ભારત તરફથી […]

પ્રતિભા, સ્વભાવ અને ટેકનોલોજીની ત્રિમૂર્તિ ભારતનું ભવિષ્ય બદલી નાખશે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે YUGM ઇનોવેશન કોન્ક્લેવને સંબોધન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે સરકારી અધિકારીઓ, શિક્ષણવિદો અને વિજ્ઞાન અને સંશોધન વ્યાવસાયિકોના મહત્વપૂર્ણ મેળાવડા પર પ્રકાશ પાડ્યો, અને “YUGM” તરીકે હિસ્સેદારોના સંગમ પર ભાર મૂક્યો – એક સહયોગ જેનો ઉદ્દેશ્ય વિકસિત ભારત માટે ભવિષ્યની તકનીકોને આગળ વધારવાનો છે. […]

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવામાં મદદ માટે તુર્કીએ તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ ભારત-પાકિસ્તાન સંબંધોમાં નવી તિરાડ ઉભી કરી છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019ના પુલવામા હુમલા પછી કાશ્મીરમાં આ સૌથી ભયાનક આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું […]

બિહારઃ IPL માં રેકોર્ડ સર્જનાર વિસ્ફોટ બેસ્ટમેન વૈભવ સૂર્યવંશીનું નીતિશ સરકાર કરશે સન્માન

પટનાઃ નીતીશ સરકારે બિહારના વૈભવ સૂર્યવંશીને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, સૂર્યવંશી આઈપીએલમાં ફક્ત 35 બોલમાં સદી ફટકારનાર પ્રથમ સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના સમસ્તીપુર જિલ્લાના રહેવાસી વૈભવ સૂર્યવંશીને ફોન કરીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ પોતાના અભિનંદન સંદેશમાં કહ્યું કે વૈભવ સૂર્યવંશી પોતાની મહેનત અને પ્રતિભાના […]

પાકિસ્તાની હેકર્સોએ રાજસ્થાન શિક્ષણ વિભાગ સહિત ઘણી સરકારી વેબસાઇટ ઉપર સાયબર હુમલો કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ વખતે આ સંઘર્ષ ફક્ત સરહદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ સાયબર સ્પેસમાં પણ તેની અસર દેખાઈ રહી છે. આ કારણે મંગળવારે પાકિસ્તાન સમર્થિત હેકર્સે રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરી હતી. આ સાયબર હુમલો ફક્ત ટેકનિકલ નુકસાન […]

અમદાવાદના પ્રવાસીના ‘ઝિપ લાઇન રાઇડ’ વીડિયોમાં પહેલગામ આતંકવાદી હુમલાની ઘટના રેકોર્ડ થઈ

અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ‘ઝિપ લાઇન રાઇડ’નો આનંદ માણતા અમદાવાદના એક પ્રવાસીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં આતંકવાદી હુમલા દરમિયાન લોકો દોડતા અને પડી જતા જોવા મળે છે. ‘ઝિપ લાઈન રાઈડ’ માં ઢાળ પર બે બિંદુઓ વચ્ચે એક વાયર બાંધવામાં આવે છે જેની મદદથી લોકો ગુરુત્વાકર્ષણ દ્વારા નીચે તરફ ખસે છે. […]

સુપ્રીમ કોર્ટમાંથી પૂર્વ IPS સંજીવ ભટ્ટને ના મળી રાહત, સજા સસ્પેન્શન અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષિત ઠરેલા ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં ભટ્ટને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે આ કેસમાં જામીન અથવા સજા સસ્પેન્શનની માંગણી કરતી તેમની અરજીમાં કંઈ ખાસ નથી. ચુકાદો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code