1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સફાઈ કરેલા કર્મચારીઓને પિકઅપ વાહને લીધા અડફેટે, છના મોત

નવી દિલ્હીઃ હરિયાણાના મેવાત જિલ્લામાં સ્થિત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. આ દુ:ખદ ઘટના ફિરોઝપુર ઝીરકા પોલીસ સ્ટેશન હદ હેઠળના ઇબ્રાહિમબાસ ગામ પાસે બની હતી, જ્યારે લગભગ 11 કર્મચારીઓ એક્સપ્રેસ-વેની સફાઈ કરી રહ્યા હતા. સવારે લગભગ 10 વાગ્યે, એક ઝડપી પિકઅપ વાહન અચાનક આવ્યું અને સફાઈ કામદારોને ટક્કર મારી, જેમાં 6 […]

પાકિસ્તાનનો લુલો બચાવ, પહેલગામ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનની ગભરાટ વધી ગઈ છે. આતંકવાદને સમર્થન આપવા બદલ ચારે બાજુથી પાકિસ્તાનની ટીકા થઈ રહી છે. પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાન ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયું છે અને હવે તેણે એક નવી રણનીતિ અપનાવી છે. તેમજ પાકિસ્તાને પહેલગામ હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા […]

મણિપુરમાં પ્રતિબંધિત સંગઠનના ચાર સભ્યોની સુરક્ષાદળોએ કરી ધરપકડ

નવી દિલ્હીઃ મણિપુરમાં પોલીસે બે પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડો ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાંથી કરવામાં આવી છે. પોલીસને આરોપી વિશે ગુપ્ત માહિતી મળી હતી. માહિતીના આધારે, પોલીસે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના સેઝાંગ માયેઇ અને ટેલ્લો મામાંગ લેઇકેઇ વિસ્તારોમાં દરોડા પાડ્યા અને પ્રતિબંધિત સંગઠન PREPAK સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કરી […]

દેવબંદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયો બ્લોસ્ટ, 3ના મોત

લખનૌઃ દેવબંદમાં ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે સવારે જોરદાર વિસ્ફોટ થયા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ સમયે ફેક્ટરીની અંદર ઘણા લોકો હાજર હતા, આ દૂર્ઘટનામાં ત્રણ યુવાનોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનામાં રાહુલ રામકુમાર (ઉ.વ. 24), વિશાલ સંદીપકુમાર (ઉ.વ. 25) અને વિકાસ રાજબલનું મૃત્યું થયું છે. આ દૂર્ઘટનાને પગલે રોષે ભરાયેલા […]

પહેલગામ હુમલા બાદ પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષકે ઈસ્લામ છોડવાનો લીધો નિર્ણય

કોલાકતાઃ પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓને ધર્મ પુછી પુછીને ગોળી મારીને 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે અને આતંકીઓ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. દરમિયાન, આ હુમલાથી નિરાશ થઈને, પશ્ચિમ બંગાળના મુસ્લિમ શિક્ષક સાબીર હુસૈને ઇસ્લામ છોડી દેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. માહિતી અનુસાર, પહેલગામમાં […]

ભારતનું આકરુ વલણ જોઈને પહેલગામ હુમલાની જવાબદારી લેનાર આતંકવાદી સંગઠન TRFએ હવે સંડોવણીનો ઈન્કાર કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે, બીજી તરફ મોદી સરકારે આકરુ વલણ અપનાવીને પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી છે. બીજી તરફ હવે આતંકવાદીઓ અને તેમનું આકા પાકિસ્તાન હવે બચાવની સ્થિતિમાં આવી ગયું છે. દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલા પછી, લશ્કર કમાન્ડર સૈફુલ્લાહએ હુમલાની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી, […]

ભારતની કાર્યવાહી બાદ બિલાવલ ભુટ્ટોએ આપી ધમકી, સિંધુ નદીમાં અમારુ પાણી વહેશે અથવા તેમનું લોહી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદથી ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે અને પાકિસ્તાનના લોકોને દેશ છોડી દેવા કહ્યું છે. હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન મિલિટરી એકેડેમી કાકુલની પાસિંગ આઉટ પરેડને […]

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે. કાઉન્સિલના સભ્યોએ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારા, આચરનારા અને ભંડોળ આપનારાઓની જવાબદારી લેવાની હાકલ કરી છે. 22 એપ્રિલના રોજ થયેલા આ હુમલામાં 26 લોકોના દુઃખદ મોત થયા હતા. શુક્રવારે જારી કરાયેલા એક અખબારી નિવેદનમાં 15 સભ્યોની સુરક્ષા પરિષદે પુનરોચ્ચાર કર્યો […]

દિલ્હી મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભાજપની જીત

નવી દિલ્હીઃ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજે જીત મેળવી છે. ભાજપના રાજા ઇકબાલ સિંહે કોંગ્રેસના મનદીપ સિંહને ૧૨૫ મતોથી હરાવીને મેયર પદ પર વિજેતા થયા. ડેપ્યુટી મેયર પદ માટે ભાજપના જય ભગવાન યાદવ બિનહરીફ ચૂંટાયા હતા. વિજય બાદ, નવા ચૂંટાયેલા મેયર, રાજા ઇકબાલ સિંહે મીડિયા સાથે વાત કરતા […]

15 થી 30 મે 2025 દરમિયાન વિકસિત વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ યોજાશે

નવી દિલ્હીઃ વિકસિત વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ એક સંયુક્ત પહેલ છે, જેનો ઉદ્દેશ ભારતની અંતરિયાળ સરહદી વિસ્તારોને પુનર્જીવિત કરવાનો છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની આગેવાની હેઠળ, ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને, આ કાર્યક્રમ સ્થાનિક શાસન સંસ્થાઓ અને ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઇટીબીપી)ના સમર્થનથી અમલમાં મૂકવામાં આવશે. તેમાં લેહ-લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code