1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉદ્યોગસાહસિક કૌશલ્ય દર્શાવવામાં સક્ષમ રહોઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મુદ્રા યોજના હેઠળ 33 લાખ કરોડ રૂપિયાથી વધુની ગેરંટી-મુક્ત લોન મંજૂર કરવામાં આવી છે અને આનાથી અસંખ્ય લોકોને તેમના ઉદ્યોગસાહસિક કૌશલ્ય દર્શાવવાની તકો મળી છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) ની 10મી વર્ષગાંઠ નિમિત્તે તેમના નિવાસસ્થાને તેના પસંદગીના લાભાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે, તેમણે કહ્યું કે તેનાથી […]

ઈઝરાયલ ઉપર હુમલા માટે હમાસને ઈરાને આર્થિક સમર્થન આપ્યાનો કરાયો દાવા

ઇઝરાયલે એક ગુપ્ત દસ્તાવેજ જાહેર કર્યો છે. ઇઝરાયલી અધિકારીઓના મતે, આ દસ્તાવેજ હમાસ અને ઈરાન વચ્ચે સીધા નાણાકીય જોડાણનો પર્દાફાશ કરે છે. આમાં ઇઝરાયલ પર હુમલો કરવાની યોજનાને કથિત રીતે અમલમાં મૂકવા માટે તેહરાન તરફથી $500 મિલિયનની વિનંતીનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રિપોર્ટ અને તેની […]

બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર યુનિસે ટ્રમ્પને પત્ર લખીને કાઉન્ટર ટેરિફ મામલે કરી ખાસ વિનંતી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને બાંગ્લાદેશી નિકાસ પર લાદવામાં આવેલા કાઉન્ટર ટેરિફને ત્રણ મહિના માટે મુલતવી રાખવાની માંગ કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રે બાંગ્લાદેશી માલ પર 37 ટકા ટેરિફ લાદ્યો છે, જે અગાઉ સરેરાશ 15 ટકા હતો. બાંગ્લાદેશનો મુખ્ય નિકાસ ઉત્પાદન રેડીમેડ ગાર્મેન્ટ્સ (RMG) છે, જેનો […]

જયપુરમાં નશામાં ચકચૂર કારચાલકે અનેક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા, 3ના મોત

ઉદેપુરઃ જયપુરમાં પૂરઝડપે પસાર થતી કારના ચાલકે માર્ગ ઉપરથી પસાર થતા કેટલાક રાહદારીઓ અને વાહનનોને અડફેટે લીધા હતા. એટલું જ નહીં 7 કિમી સુધી કાર ચાલકે માર્ગ ઉપર પસાર થતા કેટલાક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. કારનો ચાલક નશામાં […]

જમ્મુ-કાશ્મીર: વક્ફ કાયદા મામલે વિધાનસભામાં બીજા દિવસે પણ હોબાળો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં મંગળવારે બીજા દિવસે પણ વક્ફ એક્ટ પર હોબાળો ચાલુ રહ્યો હતો. ભાજપના ધારાસભ્યોએ નેશનલ કોન્ફરન્સના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વક્ફ કાયદા પર ચર્ચાની માંગ પર અડગ રહ્યાં હતા. બીજા દિવસે પણ હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. આ સમય દરમિયાન એનસી અને પીપલ્સ કોન્ફરન્સ વચ્ચે ઘર્ષણ […]

રેલવેના 3 અધિકારીઓ લાંચ લેતા પકડાયાં, 63.85 લાખનું સોનું અને રોકડ ઝડપાયું

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ઉત્તર રેલવેના ત્રણ અધિકારીઓ અને એક ખાનગી વ્યક્તિની કથિત રીતે 7 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. સીબીઆઈ દ્વારા આ કાર્યવાહી ઊંડાણપૂર્વકની તપાસ બાદ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓએ લાંચ તરીકે 7 લાખ રૂપિયાની આપ-લે કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિલ્હીમાં ડીઆરએમ ઓફિસમાં તૈનાત ઉત્તર રેલવેના સિનિયર […]

ભારતીય શેરબજારમાં તેજી, IT અને બેંકિંગ શેર વધ્યાં

મુંબઈઃ મંગળવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યા હતા. બજારમાં ચારે બાજુ ખરીદી જોવા મળી રહી છે. સવારે 9:42 વાગ્યે, સેન્સેક્સ 982 પોઈન્ટ અથવા 1.34 ટકા વધીને 74,120 પર અને નિફ્ટી 303 પોઈન્ટ અથવા 1.37 ટકા વધીને 22,465 પર ટ્રેડ કરતો હતો. આ તેજીનું નેતૃત્વ સરકારી બેંકિંગ અને આઈટી શેરો કરી રહ્યા છે. નિફ્ટી […]

સુરતઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક કૃષિ બજારનો શુભારંભ કરાયો

સુરતઃ ખેડૂતો અને વપરાશકર્તાઓને અત્યંત લાભદાયી એવી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ખેડુતોને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થાય તેવા આશયથી સુરત જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે સુરત શહેરના વેસુ ખાતે પ્રાકૃતિક કૃષિ બજારનો શુભારંભ થયો છે. પ્રાકૃતિક કૃષિ માટે મિશન મોડ માં કામ કરી રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજે પ્રાકૃતિક કૃષિ બજાર ખુલ્લું મુકાયું […]

અમેરિકાઃ પચાસથી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાપક નવા ટેરિફની જાહેરાત કર્યા પછી 50થી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના અધિકારીઓએ આ ટેરિફનો બચાવ કર્યો હતો. ટ્રમ્પની જાહેરાતને પગલે ગયા સપ્તાહે અમેરિકાનાં શેરોના મૂલ્યમાં લગભગ છ ટ્રિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થયું છે.ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ખાનગી સમાચાર ચેનલને જણાવ્યું […]

સરકાર સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, સરકાર દેશની સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે તેમજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થતી ઘૂસણખોરીને રોકવા માટે ભૂગર્ભ ક્રોસ બોર્ડર ટનલ શોધી કાઢવા અને તોડી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર આઉટપોસ્ટ ‘વિનય’ ની મુલાકાત દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code