1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતની કાર્યવાહીથી પાકિસ્તાને હવે તુર્કીય પાસે માંગી મદદ, તુર્કીનું લશ્કરી પરિવહન વિમાન પાકિસ્તાન પહોંચ્યું

પહેલગામ હત્યાકાંડ પછી, ભારતીય હુમલાના ડરથી, પાકિસ્તાને ચીન અને રશિયા બાદ મિત્ર દેશ તુર્કી પાસેથી મદદ માંગી છે. ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ અનુસાર, તુર્કીનું એક C-130 લશ્કરી પરિવહન વિમાન પાકિસ્તાન પહોંચી ગયું છે. એવું માનવામાં આવે છે કે તુર્કીએ આ વિમાન દ્વારા પાકિસ્તાનને દારૂગોળો મોકલ્યો છે કારણ કે પાકિસ્તાની સેના દારૂગોળો અને ઇંધણની ભારે અછતનો સામનો […]

ભારતના આકરા વલણ વચ્ચે પાક આર્મીના ચીફ અસીમ મુનીર બાદ હવે બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની સાથે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા પગલાં લઈને કાર્યવાહી કરી છે. આ અંગે પાડોશી દેશમાં ગભરાટનો માહોલ છે અને લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોકો દેશ છોડીને ભાગવા લાગ્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ […]

મધ્યપ્રદેશ: મની લોન્ડરિંગ કેસમાં EDએ  ભોપાલ અને ઇન્દોર સહિત 11 સ્થળોએ દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2015-16 અને 2017-18 વચ્ચે દારૂના વેપારમાં આશરે 50 કરોડ રૂપિયાની કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોમવારે મધ્યપ્રદેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ભોપાલ, ઇન્દોર અને મંદસૌરમાં વિવિધ દારૂના ઠેકેદારો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 11 પરિસર પર મની […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ સોમવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ પાઠવીને મૌન પાળ્યું હતું. ગૃહનું ખાસ સત્ર શરૂ થતાં જ, વિધાનસભાના અધ્યક્ષ અબ્દુલ રહીમ રાથેરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દેશના વિવિધ ભાગોના નિર્દોષ પ્રવાસીઓની હત્યાની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને […]

ઈરાન: બંદર વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 ઉપર પહોંચ્યો, 100 થી વધુ ઘાયલ

તેહરાનઃ ઈરાનના દક્ષિણ પ્રાંત હોર્મોઝગનમાં શાહિદ રાજાઈ બંદર પર શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 40 ઉપર પહોંચ્યો છે અને સરકારે રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો છે. ઈરાનની IRIB ન્યૂઝ એજન્સીએ હોર્મોઝગનના ગવર્નર મોહમ્મદ આશૌરી તાઝિયાનીને ટાંકીને જણાવ્યું હતું કે વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી આગમાં 1,000 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 197 લોકોને […]

ડૉ.જિતેન્દ્ર સિંહે ઉધમપુરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે ઉધમપુરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સુરક્ષાની ચિંતાઓ પર બોલતા ડૉ.જિતેન્દ્ર સિંહે કહ્યું કે સુરક્ષાને લઈને યોગ્ય જવાબ સુનિશ્ચિત કરવામાં આવશે. “અમે શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા તમામ ચિંતાઓ અને અવરોધોનું સમાધાન કરીશું. ત્રાસવાદીઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. […]

આયુષ્માન ભારત યોજના હેઠળ 62 કરોડથી વધુ લોકો હવે મફત આરોગ્યસંભાળ માટે પાત્ર છે: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત વર્લ્ડ હેલ્થ સમિટ (ડબલ્યુએચએસ) રિજનલ મીટિંગ એશિયા 2025ને સંબોધન કર્યું હતું. શ્રી ગોયલે કોવિડ-19 મહામારી દરમિયાન ભારતની સક્રિય અને સહાનુભૂતિપૂર્ણ વૈશ્વિક પ્રતિક્રિયા પર પ્રકાશ પાડ્યો હતો. વેક્સિન મૈત્રી પહેલ દ્વારા, ભારતે ઓછા વિકસિત અને નબળા દેશોને લગભગ 300 મિલિયન રસી […]

સર્વસમાવેશકતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ આપણો સમૃદ્ધ વારસો છે : ઉપરાષ્ટ્રપતિ

ચેન્નાઈઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે, “ભારત વિશ્વની સૌથી જૂની સભ્યતા છે, શાંતિપ્રિય રાષ્ટ્ર છે, જ્યાં સર્વસમાવેશકતા અને અભિવ્યક્તિ અને વિચારની સ્વતંત્રતા એ આપણો વારસો છે.” તામિલનાડુની કોઇમ્બતૂરની તામિલનાડુ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાં “વિકસિત ભારત માટે કૃષિ-શિક્ષણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું” વિષય પર ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ હજારો […]

ભારતની કાર્યવાહી: ડોન અને જીઓ ન્યૂઝ સહિત ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ ફરમાવ્યો

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન, ભારત સરકારે અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો સામે કાર્યવાહી કરી છે અને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની ભલામણો પર અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચેનલો જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી ઘટનાની પૃષ્ઠભૂમિમાં […]

યમનના હુથી-નિયંત્રિત રાજધાની સના પર તાજેતરના યુએસ હવાઈ હુમલામાં આઠ લોકોના મોત

યમનના હુથી-નિયંત્રિત રાજધાની સના પર તાજેતરના યુએસ હવાઈ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા. હુથી સંચાલિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ એક નિવેદનમાં આ માહિતી શેર કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શરૂઆતના અંદાજ મુજબ, હુમલામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઉત્તરી સનાના બાની અલ-હરિથ જિલ્લામાં યુએસ યુદ્ધ વિમાનો દ્વારા બોમ્બમારા કરાયેલા ત્રણ ઘરોના કાટમાળ નીચે દટાયેલા લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code