1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મુંબઈ હુમલાના આતંકી તહવ્વુર રાણાનો એનઆઈએ વોઈસ ટેસ્ટ કરાવશે

નવી દિલ્હીઃ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાની એનઆઈએ સતત પૂછપરછ કરી રહી છે. તેમજ એજન્સી રાણાના અવાજના નમૂના અને હસ્તાક્ષરના નમૂના લેવાની તૈયારી કરી રહી છે જેથી સાબિત થાય કે ફોન પર વાત કરનાર વ્યક્તિ તે જ હતો. જો જરૂર પડે તો, રાણા પર વૈજ્ઞાનિક પરીક્ષણો પણ કરી શકાય છે. આ […]

પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો, 5.8ની તીવ્રતા નોંધાઈ

લાહોરઃ મ્યાનમારમાં તાજેતરમાં ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો. જેમાં 3500થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જે બાદ મ્યાનમારમાં ભૂકંપના હળવા આંચકા પણ નોંધાયા હતા. દરમિયાન હવે ભારતના પડોશીદેશ પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું જાણવા મળે છે. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો અને ઓફિસ કે ઘરની બહાર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં […]

અમેરિકી વિશેષ દૂત અને પુતિન વચ્ચે મુલાકાત, યુદ્ધવિરામ પર રશિયા આગળ વધે તેવી શકયતા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે સેન્ટ પીટર્સબર્ગમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફને મળ્યા. આ વર્ષે બંને વચ્ચે આ ત્રીજો સંવાદ હતો.  બેઠકમાં “યુક્રેનિયન કરારના પાસાઓ” પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વિટકોફ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના વડા અને વિદેશી દેશો સાથે આર્થિક સહયોગ માટે રશિયન રાષ્ટ્રપતિના ખાસ દૂત છે. પુતિન […]

ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર વધીને 676.3 બિલિયન ડોલર પર પહોંચ્યો

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના તાજેતરના આંકડા અનુસાર, 4 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 10.8 બિલિયન ડોલરથી વધીને 676.3 બિલિયન ડોલર થયો છે. આ સતત પાંચમા સપ્તાહ છે જ્યારે દેશના ફોરેક્સ રિઝર્વમાં વધારો થયો છે. આ વધારાનું સૌથી મોટું કારણ વિદેશી ચલણ સંપત્તિમાં 9 બિલિયન ડોલરનો વધારો હતો, જે હવે વધીને […]

શિવાજી મહારાજે હિન્દુસ્તાનની પ્રજાને સ્વરાજનું સ્વપ્ન આપીને તેને સફળ કર્યું હતું: અમિત શાહ

મુંબઈઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી અને છત્રપતિ શિવાજી મહારાજને તેમની 345મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ મુલાકાત શિવાજી મહારાજની સમાધિના નવીનીકરણની 100મી વર્ષગાંઠ નિમિત્તે થઈ હતી. અમિત શાહ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે ભાજપના નેતા ઉદયનરાજે ભોંસલેએ […]

બંગાળને મમતા બેનર્જી બાંગ્લાદેશ બનાવવા માંગે છેઃ ભાજપાનો આરોપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ થયેલી હિંસા અંગે ભારતીય જનતા પાર્ટી (BJP) એ મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે તેઓ બંગાળને “બીજું બાંગ્લાદેશ” બનાવવા માંગે છે. મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે ભાજપ આઈટી સેલના […]

વકફ કાયદા મામલે મુર્શિદાબાદમાં થયેલી હિંસામાં પોલીસે 110 તોફાનીઓની કરી ધરપકડ

કોલકાતાઃ વક્ફ કાયદાને લઈને પશ્ચિમ બંગાળમાં થયેલા હિંસા અંગે મમતા બેનર્જીની સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. મુર્શિદાબાદમાં થયેલી હિંસા બાદ પોલીસે અત્યાર સુધીમાં 110 થી વધુ લોકોની ધરપકડ કરી છે. તોફાનીઓને શોધવા માટે અન્ય જિલ્લાઓમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.  પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતી ધરાવતા મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન થયેલી […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા ઓપરેશનમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓ ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં ચાલી રહેલા ઓપરેશનમાં શુક્રવારે બે આતંકવાદીઓ માર્યા ગયા જ્યારે એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના હતા અને તેમાં એક ટોચનો કમાન્ડર સૈફુલ્લાહનો પણ સમાવેશ થાય છે. જે છેલ્લા એક વર્ષથી ચેનાબ […]

હિમાચાલનાં કુલ્લુમાં પુલ ધરાશાયી થયો, સિમેન્ટ ભરેલો ટ્રક ખાબક્યો નદીમાં

નવી દિલ્હીઃ હિમાચલના કુલ્લુના મેંગલોરમાં સિમેન્ટથી ભરેલો 10 પૈડાવાળો ટ્રક પુલ પરથી પસાર થતાં પુલ તૂટી પડ્યો હતો. ઘટનાને કારણે અવરજવર બંધ છે. ટ્રાફિક પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. હિમાચલ પ્રદેશના કુલ્લુના મેંગલોરમાં એક પુલ ધરાશાયી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પુલ તૂટી પડવાના કારણે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 305 પર વાહનવ્યવહાર […]

WTO માળખામાં થોડા સુધારા જરૂરી: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારત હંમેશા વિશ્વ વેપાર સંગઠન (WTO)ના માળખામાં કામ કરશે, પરંતુ WTOમાં થોડા સુધારા જરૂરી છે. કેન્દ્રીય મંત્રી ગોયલે વિકાસશીલ દેશોની વ્યાખ્યાનું પુનર્મૂલ્યાંકન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ઈ-કોમર્સ નિયમો, કૃષિ નિર્ણયો અને મત્સ્યઉદ્યોગ વાટાઘાટો પર સ્પષ્ટતા લાવવા હાકલ કરી. “ભારત હંમેશા WTO માળખામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code