ડીસાના બલોધરની પાંજરાપોળમાં ઝેરી ઘાસ ખાતાં 36 ગાયના મોત
ગાંધીનગરઃ ડીસાના બલોધર ખાતે આવેલા પાંજરાપોળમાં ઘાસચારો આરોગ્યા બાદ એક પછી એક એમ 36 જેટલી ગાય ટપોટપ મૃત્યુ પામતા ખળભળાટ મચી ગયો હતો. આ ગાયોના મોત ખોરાકી ઝેરની અસરથી થયાનું જાણવા મળે છે. પશુ ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે ઉનાળાની ગરમીમાં બફારાના લીધે ઘાસચારામાં ઝેરની અસર થવાથી આ ગાયોના મોત થયા હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. […]


