1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાંધીનગરમાં એસટી ડેપો નજીક મોપેડ-બુલેટ વચ્ચે અકસ્માત, બુલેટચાલકનું મોત

મોપેડ-બાઈક સામસામે અથડાતા બન્ને સવારો રોડ પર પટકાયા, બુલેટચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ, પોલીસે અકસ્માતનો ગુનોં નોધી તપાસ હાથ ધરી ગાંધીનગરઃ શહેરમાં એસ ટી બસ સ્ટેશન નજીક ઈલેક્ટ્રીક મોપેડનાં ચાલકે પોતાનું મોપેડ ગફલતભરી રીતે હંકારી બુલેટ સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બુલેટ ચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા સેકટર – 7 […]

કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની દેશની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્ય: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.  આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, સુદ્રઢ ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બની શક્યુ છે. મુખ્યમંત્રીએ ૨૦૨૩-૨૪ના વર્ષમાં દેશમાંથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત […]

હમાસ-ઈઝરાયેલ યુદ્ધ કાલે સમાપ્ત થશે, બેન્જામિન નેતન્યાહુની મોટી જાહેરાત

ઇઝરાયેલની સેનાએ હમાસના નેતા યાહ્યા સિન્વરની હત્યા કર્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોટી જાહેરાત કરી છે. ગઈકાલે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે તેઓ આવતીકાલે જ હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે, પરંતુ આ માટે હમાસે તેમની કેદમાં રહેલા બંધકોને મુક્ત કરવા પડશે. જો કે, તે જોવાનું ખરેખર રસપ્રદ રહેશે કે હમાસ ઇઝરાયેલની શરતો […]

એમ કે ભાવનગર યુનિવર્સિટીનો 32મો આંતર કોલેજ યુવક મહોત્સવ

ભાવનગર યુનિના ભાવસ્પંદન યુવા મહોત્સવમાં 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, યુવરાજ જયવીરરાજસિંહએ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી, કાલે મહોત્સવનું સમાપન થશે ભાનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ત્રિદિવસીય “ભાવસ્પંદન” યુવક મહોત્સવનો  ઉદ્ઘાટન સમારોહ દબદબાભેર યોજાયો હતો, આ સમારોહમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સહિત મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા. ત્રણ દિવસ દરમિયાન જુદી જુદી સ્પર્ધાઓમાં જુદી જુદી કોલેજના 1000 થી […]

દિવાળીના તહેવારોને લીધે પ્રવાસન ઉદ્યોગમાં તેજી, ફ્લાઈટ્સના ભાડામાં થયો વધારો

ગુજરાતી પ્રવાસીઓમાં કેરળ અને કાશ્મીર હોટ ફેવરિટ, વિદેશમાં ફરવા જવા માટે પણ પ્રવાસીઓમાં થયો વધારો, ટૂર-ટ્રાવેલ્સના ભાડામાં પણ વધારો અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીની રજાઓમાં પરિવાર સાથે ફરવા જવા  ઘણાબધા લોકોએ બુકિંગ કરાવી દીધા છે. દેશમાં ગુજરાતીઓ હરવા-ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. દર વખતની જેમ આ વખતે ઘણા […]

અમદાવાદમાં કાળુપુરમાં બીએરટીએસ બસમાં લાગી વિકરાળ આગ,

BRTS બસમાં ધમાડો જોતા જ ડ્રાઈવરે આગ લાગ્યાની બુમ પાડી, બસમાંથી પ્રવાસીઓ ત્વરિત ઉતરી જતા થયો બચાવ, ફાયરના કાફલાએ દોડી આવીને આગને કાબુમાં લીધી અમદાવાદઃ શહેરના કાળુપુર વિસ્તારમાં ચોખાબજાર પાસે ગુરૂવારે સવારે BRTS બસમાં એકાએક આગ લાગતા બસ બળીને ખાક થઈ ગઈ હતી. આ બનાવમાં બસમાંથી ધૂમાડો નીકળતા બસના ચાલકે બસને રોડ સાઈડ પર લઈને […]

સુરતમાં લકઝરી બસના ચાલકે 8 વાહનોને અડફેટે લીધા, એકનું મોત

સુરતના કમરેજ ચાર રસ્તા પાસે બન્યો બનાવ, લોકોએ લકઝરી બસનાચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો, લકઝરી બસના ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ સુરતઃ જિલ્લામાં બેફામરીતે અને પુરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરમિયાન અકસ્માતનો વધુ એક બનાવ કામરેજ ચાર રસ્તા પાસે બન્યો હતો, લકઝરી બસના ચાલકે ગફલતરીતે અને આડેધડ બસ ચલાવીને […]

ખેલ મહાકુંભ, રાજ્યના સ્પોર્ટ્સવીરોને પોતાની પ્રતિભાને ઉજાગર કરવાની અનોખી તક મળી

વર્ષ – 2010માં 16 રમતોથી મહાકુંભનો પ્રારંભ થયો હતો, વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ 2.0માં 39 વિવિધ રમતોનું આયોજન કરાયુ હતુ. ખેલ મહાકુંભથી 16 ખેલાડીઓએ ગુજરાતનું દેશમાં અને વિશ્વસ્તરે નામ રોશન કર્યું  ગાંધીનગરઃ આજે ગુજરાતના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતીઓની ઓળખ વ્યાપારી તરીકેની […]

પ્રધાનમંત્રી 19 ઓક્ટોબરના રોજ ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ સવારે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે. મિશન કર્મયોગીની શરૂઆત સપ્ટેમ્બર 2020માં થઈ હતી અને ત્યારથી તેમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે, ભારતીય નૈતિકતા પર આધારિત ભવિષ્ય માટે તૈયાર સિવિલ સેવાની કલ્પના કરે છે. નેશનલ […]

એક દિવો રામના નામે…. અયોધ્યા દીપોત્સવ પ્રસંગ્રે ભક્તો ઓનલાઈન દીપદાન કરી શકશે

અયોધ્યાઃ રામની નગરી અયોધ્યામાં 30 ઓક્ટોબરે પ્રસ્તાવિત દીપોત્સવમાં ભક્તો ઓનલાઈન ભાગ લઈ શકે છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દીપોત્સવ-2024ના અવસર પર ભગવાન શ્રી રામના નામ પર એક કાર્યક્રમ શરૂ થશે. ઘણા વર્ષોથી દિવાળીના અવસરે અયોધ્યામાં સરયુના કિનારે રોશનીના ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં સમયાંતરે વડાપ્રધાન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો વિશેષ અતિથિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code