1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વડોદરાના કમાટી બાગનો 110 વર્ષ જુનો બ્રિજ લોકોની અવર-જવર માટે બંધ કરાયો

વડોદરાઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગના આશરે 110 વર્ષ જુના ઐતિહાસિક બ્રિજ ને છેલ્લા એક અઠવાડિયાથી બગીચામાં આવતા જતા લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કમાટીબાગમાં પક્ષીઘરથી વાઘખાના તરફ જતો આ ગાયકવાડી શાસન વખતનો ઐતિહાસિક બ્રિજને  મ્યુનિ.કોર્પોરેશનના બ્રીજ પ્રોજેક્ટ વિભાગ તરફથી સૂચના આપતા બંધ કરાયો છે. હાલમાં આ બ્રિજના બંને છેડે લોખંડની બેરી કેડ […]

અમદાવાદના કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની 2016 અરજીઓ મળી, 24માં સુઓમોટો, 96 કેસમાં FRI

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ અને અભણ ખેડુતો પાસેથી છેતરપિંડી કરીને  તેની કિંમતી જમીનો પચાવી પાડવાના તેમજ લેન્ડ માફિયાઓ બહારગામ કે શહેરોમાં વસવાટ કરતા પરિવારોની બાપ-દાદ વખતની ગામડાંમાં આવેલી જમીનો પચાવી પાડવામાં આવતી હતી. આવી પ્રવૃતિમાં વધારો થતાં રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબીંગનો કડક કાયદો બનાવવામાં આવ્યો છે. જેનાથી જે ખેડુતો છેતરપિંડીનો ભાગ બન્યા હોય અથવા લેન્જ માફિયાઓએ તેમની […]

અમદાવાદમાં મિલ્કતોને બીયુ પરમિશન અપાયાના 45 દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આકારણી થશે

અમદાવાદઃ શહેરમાં નવી મિલ્કતોને બીયુ પરમિશન અપાયા બાદ પ્રોપર્ટી ટેક્સ આકારણીમાં ખૂબજ વિલંબ કરાતો હતો. તેના લીધે નવી પ્રોપર્ટીના બિલો માકલી શકાતા નથી. અને તેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને આર્થિક નુકસાની વેઠવી પડતી હતી. GPMC એક્ટની જોગવાઈ મુજબ બી.યુ. પરમિશન તારીખથી મિલકતની ટેક્ષની આકારણી કરવાની થાય છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે-તે ઝોનના એસ્ટેટ ખાતા દ્વારા નવી મિલકતને […]

એસટી બસના ભાડાંમાં 25 ટકાનો તોતિંગ વધારો, અન્ય રાજ્યોની તુલનાએ ઓછા ભાડાં હોવાનો દાવો

અમદાવાદઃ ગુજરાતમાં એસટી બસના ભાડાંમાં સરેરાશ 25 ટકાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. અને આજે મંગળવારથી ભાડા વધારાનો અમલ કરી દેવામાં આવ્યો છે. એસટી બસના ભાડાંમાં 48 કિમી સુધી રૂ. એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. રાજ્યમાં રોજ 10 લાખ લોકો બસની મુસાફરી કરતા હોય છે. 48 કિમીથી વધુની મુસાફરી કરનારા મુસાફરોને 20 […]

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો. 9 અને 11ના પ્રશ્નપત્રો, ગુણભાર નક્કી કરાયાં

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નિતી અંતર્ગત ધોરણ-9 અને 11ના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર શિક્ષણ નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત તેના આધારે તૈયાર કરેલા નમુનાના પ્રશ્નપત્રો શાળાને મોકલવામાં આવશે. જેના આધારે શાળાઓમાં પ્રિલિમરી સહિતની પરીક્ષાઓ લેશે. શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી જ નવી શિક્ષણ […]

AMTS-BRTSની બસોએ છેલ્લા એક દાયકામાં 750 અકસ્માતો કર્યા, ઓવરસ્પિડિંગની 43 ફરિયાદો મળી

અમદાવાદઃ  શહેરમાં એએમટીએસ-બીઆરટીએસની બસના બેફામ ડ્રાઇ‌વિંગને કારણે અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ખાનગી ઓપરેટરોને બસ સંચાલન સોંપાયા બાદ ઓવરસ્પિડિંગમાં બસ દોડાવવાની ફરિયાદો પણ મળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં એએમટીએસ અને બીઆરટીએસ બસથી 750થી વધુ અકસ્માત સર્જાયા છે,  જેમાં 15થી વધુ લોકોના મોત થયા હતા. જો કે કોન્ટ્રાક્ટના ડ્રાઇવરને માત્ર કાગળ પરથી દૂર કરાય […]

અકસ્માતકાંડના આરોપી તથ્ય પટેલની ટ્રાન્સફર વોરન્ટથી સાબરમતી જેલમાંથી પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર પૂરફાટ ઝડપે જેગુઆર કાર દોડાવીને નવ  લોકોને કચડી નાખનારો આરોપી તથ્ય પટેલના પોલીસ રિમાન્ડ પુરા થતાં તે હાલ સાબરમતી જેલમાં છે. આ કેસમાં પોલીસે ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી છે. ત્યારે સરખેજ પોલીસે અગાઉ સિન્ધુભવન રોડ પર થારના કરેલા અકસ્માત કેસમાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંન્ટને આધારે ધરપકડ કરી છે. […]

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો લડતના માર્ગે, CMને લખ્યો પત્ર

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ છેલ્લા કેટલાક વર્ષોથી અનેક મુશ્કેલીઓ અને પ્રશ્નોનો સામનો કરી રહી છે. અગાઉ સરકારને અનેકવાર રજુઆત કરવા છતાં એનો ઉકેલ આવ્યો નથી. ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યો, શિક્ષકો અને કર્માચારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. બીજીબાજુ પરિણામ ઓછું આવે તો ગ્રાન્ટ કાપી લેવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો છે. છતાંયે એનું નિરાકરણ લાવવામાં આવતું નથી. […]

ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ કાર્યરત નથી, હવે સપ્તાહ સુધી માત્ર સામાન્ય ઝાપટાં પડી શકે છે

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાની પધરામણી થઈ હતી. અને અને ચોમાસાના દોઢ મહિનામાં 85 ટકા વરસાદ પડ્યો છે. નદી-નાળાં, તળાવો, ડેમો સહિત જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. કૃષિ માટે પણ વરસાદ એકંદરે સરેરાશ ફાયદારૂપ રહ્યો છે. હવે ખેડુતો સહિત તમામ લોકો મેધરાજા ખમૈયા કરે એવી પ્રાથના કરી રહ્યા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે […]

ભારત નવીકરણીય ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બની રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા રાજ્ય મંત્રી ભગવંત ખુબાએ રૂફટોપ સોલાર માટેના રાષ્ટ્રીય પોર્ટલની પ્રથમ વર્ષગાંઠ અને ઓલ ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી એસોસિએશન (AIREA) ના સ્થાપના દિવસ પર ભાગ લીધો હતો. આ પ્રસંગને ભારતના રિન્યુએબલ એનર્જી ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવ્યો હતો, જે ઊર્જા સુરક્ષા અને ટકાઉપણું હાંસલ કરવા માટે દેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code