1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરતા અમિત શાહે જણાવ્યું હતું કે ડ્રગ મુક્ત ભારત બનાવવાના વિઝન સાથે, દેશની એજન્સીઓએ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે અને 24 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની 30 […]

મુંબઈ આતંકવાદી કેસમાં તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી એનઆઈએએ મેળવી

નવી દિલ્હીઃ ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાની ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા પછી તરત જ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાણાને લઈ વિશેષ ફ્લાઇટ નવી દિલ્હી પહોંચતા જ NIA તપાસ ટીમે એરપોર્ટ પર તમામ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી રાણાની ધરપકડ કરી હતી. રાણાને ગઈકાલે રાત્રે પટિયાલા […]

અમેરિકાની હેડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું , 6નાં મૃત્યુ

અમેરિકાના મેનહટનમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માત ગુરુવારે ન્યૂયોર્કના હડસન નદીમાં બન્યો હતો. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત લોઅર મેનહટન અને જર્સી સિટી વચ્ચે થયો હતો. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો સામેલ […]

ભારતીય પ્રતિભા સ્લોવાકિયાની આર્થિક પ્રગતિમાં સહાયક: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયા-ભારત વ્યાપાર મંચને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “સ્લોવાકિયા તેની કાર્યબળ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિદેશમાં મહેનતુ કુશળ કામદારો અને વ્યાવસાયિકોની શોધમાં છે. મને વિશ્વાસ છે કે ભારતીય પ્રતિભા સ્લોવાકિયાની આર્થિક પ્રગતિમાં મૂલ્યવાન ભાગીદાર બની શકે છે.” રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “ભારત સ્લોવાકિયા સાથે વેપાર સંબંધો વધારવા માટે પ્રતિબદ્ધ છે. મારી સાથે આવેલા વિવિધ […]

ચીન અમેરિકાને ટેરિફ મુદ્દે સમાનતાના આધારે વાતચીત કરવા તૈયાર

ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર વાટાઘાટો અંગેના પ્રશ્નના જવાબમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ચીનનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે ચીનનો દૃષ્ટિકોણ હંમેશા સ્પષ્ટ અને સ્થિર રહ્યો છે. ચીન વાતચીત માટે તૈયાર છે અને દરવાજા ખુલ્લા રાખે છે, પરંતુ આ વાતચીત બંને પક્ષો વચ્ચે સમાનતા અને પરસ્પર આદર પર આધારિત હોવી જોઈએ. પ્રવક્તાએ […]

ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો, ભારે વાવાઝોડા સાથે દિલ્હી-NCR સુધી અસર

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદ સાથે હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ પરિવર્તનની અસર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં જેમ કે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સાંજે જોવા મળી જ્યારે જોરદાર વાવાઝોડા અને વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી […]

પીએમ પોષણ યોજના હેઠળ સામગ્રી ખર્ચમાં 9.50%નો વધારો કરાયો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ દેશની સરકારી સહાય પ્રાપ્ત શાળાઓમાં વિદ્યાર્થીઓને ગરમ રાંધેલું ભોજન પૂરું પાડવામાં આવે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તેમાં વપરાતા મટીરીયલની કિંમતમાં 9.50 ટકાનો વધારો કર્યો છે. આ વધારાને કારણે, કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2025-26 માં લગભગ 954 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ સહન કરશે. આનાથી વિદ્યાર્થીઓને પૂરતો અને પૌષ્ટિક […]

સાળંગપુરધામમાં હનુમાન જયંતી મહોત્સવની ઉજવણી કરાશે

રાજકોટઃ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે હનુમાન જયંતિના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવશે. જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક […]

આઈપીએલઃ બેંગ્લોરને દિલ્હીએ 6 વિકેટથી હરાવ્યું, આજે કોલાકાતા અને ચેન્નાઈ વચ્ચે રમાશે મુકાબલો

નવી દિલ્હીઃ આઈપીએલ હવે ધીમે-ધીમે આગળ વધી રહી છે અને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન આઈપીએલમાં ગઇકાલે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો રમાશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે રમાયેલી આ મેચ માં બેંગલુરુના 164 રનના […]

ગુજરાતની જનતાને ગરમીમાં મળશે આંશિક રાહત, તાપમાનમાં ઘટાડાની શક્ય

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ બાદ આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યના સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આ તરફ ગુરુવારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં અનુભવાઈ રહી છે. અમદાવાદમાં સતત પાંચમાં દિવસે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code