વારાણસીમાં PM મોદીએ ગેંગરેપ કેસની માહિતી પોલીસ પાસેથી મેળવી, આકરી કાર્યવાહી માટે કર્યું સૂચન
વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે વારાણસીની એક દિવસની મુલાકાતે પહોંચ્યા અને તેમના સંસદીય મતવિસ્તારમાં બનેલા ગેંગરેપ કેસની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને આ મામલે સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, વારાણસીના એરપોર્ટ પર ઉતરેલા પ્રધાનમંત્રીને પોલીસ કમિશનર, વિભાગીય કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેરમાં બનેલી તાજેતરની બળાત્કારની […]


