1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉત્તરપ્રદેશના આઝમગઢમાં ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ, સાતની ધરપકડ

લખનૌઃ આઝમગઢ પોલીસે સાયબર ગુનેગારો સામે કાર્યવાહી કરતા, એક સંગઠિત ઓનલાઈન સટ્ટાબાજી, ગેમિંગ અને જુગાર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં કાર્યવાહી કરતા, પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી 12 મોબાઈલ ફોન, 4 લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો સહિત 15 લાખ રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવી હતી. પોલીસને અત્રૌલિયાના રહેવાસી શિવકુમાર તરફથી ફરિયાદ […]

RCB સામે KL રાહુલ સદી ચૂકી ગયો, પણ ઘણા રેકોર્ડ બનાવ્યા

બેંગ્લોરઃ દિલ્હી કેપિટલ્સે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી હરાવીને IPL 2025 માં પોતાનું વિજયી અભિયાન યથાવત રાખ્યું છે. દિલ્હીની સતત ચોથી જીતમાં કેએલ રાહુલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે 53 બોલમાં સાત ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 93 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાહુલ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. ચેમ્પિયન્સ ટ્રોફીથી શરૂ થયેલો તેનો […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ આતંકવાદીને ઠાર માર્યો

નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષા દળોએ દ્વારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓની દેશ વિરોધી પ્રવૃતિઓને ડામી દેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓને ઝડપી લેવા માટે તાજેતરમાં સુરક્ષાદવોએ અભિયાન શરૂ કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દરમિયાન છત્રૂ વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર […]

આતંકી ડેવિડ હેડલી સાથે મલીને તહવ્વુર રાણાએ મુંબઈ હુમલાનું કાવતરુ ઘડ્યું હતું

મુંબઈઃ અમેરિકાએ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપીઓમાંના એક તહવ્વુર હુસૈન રાણાના ભારત પ્રત્યાર્પણ અંગે એક નિવેદન જારી કર્યું હતું. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે રાણાને ભારત લાવવું એ 2008ના આ ભયાનક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા છ અમેરિકનો અને અન્ય પીડિતો માટે ન્યાય તરફ એક ‘મહત્વપૂર્ણ પગલું’ છે. 64 વર્ષીય રાણાને બુધવારે એક […]

PM મોદીએ વિપક્ષી નેતાઓને સત્તા ભૂખ્યા ગણાવીને કર્યાં આકરા પ્રહાર

વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિપક્ષી પક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે સત્તાના ભૂખ્યા લોકો ફક્ત પોતાના પરિવારોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે તેમની સરકાર સમાવેશી વિકાસના મુદ્દા પર કામ કરે છે. પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 3,880 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યા પછી એક સભાને સંબોધતા મોદીએ કહ્યું, “રાષ્ટ્રની સેવામાં […]

વારાણસીમાં PM મોદીએ ગેંગરેપ કેસની માહિતી પોલીસ પાસેથી મેળવી, આકરી કાર્યવાહી માટે કર્યું સૂચન

વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે વારાણસીની એક દિવસની મુલાકાતે પહોંચ્યા અને તેમના સંસદીય મતવિસ્તારમાં બનેલા ગેંગરેપ કેસની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને આ મામલે સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, વારાણસીના એરપોર્ટ પર ઉતરેલા પ્રધાનમંત્રીને પોલીસ કમિશનર, વિભાગીય કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેરમાં બનેલી તાજેતરની બળાત્કારની […]

સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર સંપૂર્ણ તાકાતથી ડ્રગ માફિયાઓને ખતમ કરી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરતા અમિત શાહે જણાવ્યું હતું કે ડ્રગ મુક્ત ભારત બનાવવાના વિઝન સાથે, દેશની એજન્સીઓએ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી શરૂ કરી છે અને 24 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની 30 […]

મુંબઈ આતંકવાદી કેસમાં તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી એનઆઈએએ મેળવી

નવી દિલ્હીઃ ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાની ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા પછી તરત જ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાણાને લઈ વિશેષ ફ્લાઇટ નવી દિલ્હી પહોંચતા જ NIA તપાસ ટીમે એરપોર્ટ પર તમામ જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી રાણાની ધરપકડ કરી હતી. રાણાને ગઈકાલે રાત્રે પટિયાલા […]

અમેરિકાની હેડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું , 6નાં મૃત્યુ

અમેરિકાના મેનહટનમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માત ગુરુવારે ન્યૂયોર્કના હડસન નદીમાં બન્યો હતો. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત લોઅર મેનહટન અને જર્સી સિટી વચ્ચે થયો હતો. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો સામેલ […]

ભારતીય પ્રતિભા સ્લોવાકિયાની આર્થિક પ્રગતિમાં સહાયક: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયા-ભારત વ્યાપાર મંચને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “સ્લોવાકિયા તેની કાર્યબળ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિદેશમાં મહેનતુ કુશળ કામદારો અને વ્યાવસાયિકોની શોધમાં છે. મને વિશ્વાસ છે કે ભારતીય પ્રતિભા સ્લોવાકિયાની આર્થિક પ્રગતિમાં મૂલ્યવાન ભાગીદાર બની શકે છે.” રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “ભારત સ્લોવાકિયા સાથે વેપાર સંબંધો વધારવા માટે પ્રતિબદ્ધ છે. મારી સાથે આવેલા વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code