1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જમ્મુ અને કાશ્મીર: ત્રણ રાજકીય સંગઠનો અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી અલગ થયું

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં વધુ ત્રણ રાજકીય સંગઠનોએ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સથી પોતાને અલગ કરી દીધા છે. તેમાં જમ્મુ કાશ્મીર ઇસ્લામિક રાજકીય પક્ષ, જમ્મુ અને કાશ્મીર મુસ્લિમ ડેમોક્રેટિક લીગ અને કાશ્મીર ફ્રીડમ ફ્રન્ટનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પગલાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આ ભારતના બંધારણમાં લોકોના […]

કાલિયા ગ્રેનેડ હુમલો કેસ: ઝીશાન અખ્તર હુમલાનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો

પંજાબ પોલીસે એક મોટી સફળતામાં મનરંજન કાલિયા ગ્રેનેડ હુમલાનો કેસ માત્ર 12 કલાકમાં ઉકેલી નાખ્યો છે. આ હુમલામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે હુમલામાં વપરાયેલી ઈ-રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલા પાછળ એક ઊંડું ષડયંત્ર હતું જેમાં આતંકવાદી અને ગેંગસ્ટર નેટવર્કનું જોડાણ પ્રકાશમાં આવ્યું છે. […]

કેદાર જાધવ હવે ક્રિકેટ બાદ રાજકીય મેદાન ઉપર શરૂ કરશે નવી ઈનિંગ્સ

મુંબઈઃ પૂર્વ ભારતીય ક્રિકેટર કેદાન જાધવ ક્રિકેટ બાદ હવે રાજનીતિની પીચ ઉપર નવી ઈનિગ્સની શરૂઆત કરવા જઈ રહ્યો છે. મંગળવારે મુંબઈમાં આયોજીત એક કાર્યક્રમમાં કેદાર જાધવ ભાજપામાં જોડાયો છે. મુંબઈમાં મહારાષ્ટ્રના મંત્રી અને રાજ્ય ભાજપા પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેની હાજરીમાં તેઓ ભાજપામાં સામેલ થયાં છે. ચંદ્રશેખર બાવનકુલેએ કેસરિયો પહેરાવીને કેદારને ભાજપના સભ્ય બનાવ્યાં હતા. કાદાર જાધવએ […]

રાજ ઠાકરે અને મનસે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, FIR દાખલ કરવાની અને પાર્ટીની માન્યતા રદ કરવાની માંગ

રાજ ઠાકરે અને તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં રાજ ઠાકરે પર ઉત્તર ભારતીયો પ્રત્યે નફરત ફેલાવવાનો અને મહારાષ્ટ્રમાં હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અરજદારે માંગ કરી છે કે કોર્ટ મહારાષ્ટ્ર પોલીસને રાજ ઠાકરે વિરુદ્ધ તેમના નફરતભર્યા ભાષણ બદલ FIR દાખલ કરવા કહે. […]

સિંગાપોરની શાળામાં આગની ઘટનામાં પવન કલ્યાણનો નાનો પુત્ર ઘાયલ

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણના નાના પુત્ર માર્ક શંકર સિંગાપોરની એક શાળામાં આગની ઘટનામાં ઘાયલ થયા છે. આ અકસ્માતમાં તેમને હાથ અને પગમાં ઈજા થઈ હતી. આ ઘટના બાદ, તેમને સિંગાપોરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પવન કલ્યાણ હાલમાં આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના પ્રવાસે છે. તેમણે પોતાના નિર્ધારિત કાર્યક્રમો […]

બિહારઃ નીતિશ સરકારે મંત્રીઓના પગાર અને ભથ્થામાં કરાયો વધારો

પટનાઃ બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં 27 જેટલા પ્રસ્તાવોને મંજુરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ચૂંટણી પૂર્વે નીતિશ સરકારે પોતાના મંત્રીઓના વેતન અને ભથ્થામાં વધારો કર્યો છે. હવે રાજ્ય મંત્રીઓ અને ઉપમંત્રીઓને માસિક રૂ. 50 હજારના બદલે રૂ. 65 હજારનું વેતન મળશે. ક્ષેત્રીય ભથ્થુ 55 હજારથી વધારીને […]

રાષ્ટ્રપતિને લિસ્બનનું ‘સિટી કી ઓફ ઓનર’ એનાયત થયું

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બનના સિટી હોલ ખાતે આયોજિત એક સમારંભમાં લિસ્બનના મેયર તરફથી લિસ્બન શહેરનું ‘સિટી કી ઓફ ઓનર‘ પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, લિસ્બન તેના ખુલ્લા મન, તેના લોકો અને તેની સંસ્કૃતિની હૂંફ તેમજ તેની સહિષ્ણુતા અને વિવિધતા પ્રત્યેના આદર માટે જાણીતું છે. તેમણે એ […]

પશ્ચિમ બંગાળમાં વધારાના શિક્ષકોના પદ મામલે સીબીઆઈ નહીં કરે તપાસ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ કેબિનેટના વધારાના પદો બનાવવાના નિર્ણયની સીબીઆઈ તપાસની માંગ કરતા કલકત્તા હાઈકોર્ટના આદેશનો એક ભાગ રદ કર્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં 25,753 શિક્ષકો અને કર્મચારીઓની નિમણૂકના અન્ય પાસાઓની સીબીઆઈ તપાસ ચાલુ રહેશે. હકીકતમાં, કોલકાતા હાઈકોર્ટના નિર્ણયના તે ભાગને નકારી કાઢવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા […]

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ યુનુસ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં થયેલા બળવા પછી, શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પર નિશાન સાધ્યું છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું, “અલ્લાહે મને એક કારણસર જીવિત રાખી છે અને એક દિવસ આવશે જ્યારે આવામી લીગના […]

હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં તેલંગાણા હાઈકોર્ટે પાંચ દોષિતોની ફાંસીની સજા યથાવત રાખી

હૈદરાબાદઃ તેલંગાણા હાઈકોર્ટે મંગળવારે 2013ના હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીન (આઈએમ)ના પાંચ સભ્યોને મૃત્યુદંડની સજા ફટકારવાના સ્થાનિક અદાલતના નિર્ણયને યથાવત રાખ્યો છે. 21 ફેબ્રુઆરી, 2013ના રોજ જિલ્લાના દિલસુખનગર વિસ્તારમાં થયેલા બે વિસ્ફોટોમાં અઢાર લોકો માર્યા ગયા હતા અને 131 લોકો ઘાયલ થયા હતા. ન્યાયાધીશ કે. લક્ષ્મણ અને પી. શ્રી સુધાની બેન્ચે રાષ્ટ્રીય તપાસ એજન્સી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code