1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુપ્રીમ કોર્ટે મમતા સરકારને આપ્યો ઝટકો: 25 હજાર શિક્ષકો અને શાળા કર્મચારીઓની ભરતી રદ કરી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારી શાળાઓમાં 25,000 શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની ભરતી રદ કરવાના કલકત્તા હાઇકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને કહ્યું કે સમગ્ર પ્રક્રિયા કલંકિત હતી. આ નિમણૂકો 2016 માં પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (WBSSC) દ્વારા કરવામાં આવી હતી, […]

મહારાષ્ટ્ર: દાઉદના નામે PM મોદી અને CM યોગીને મારી નાખવાની ધમકી આપનારને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી

મુંબઈઃ બે વર્ષ પહેલા મુંબઈ પોલીસને ફોન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીને મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસે આરોપીને કસુરવાર ઠરાવીને બે વર્ષની સજા ફરમાવી હતી. તેમજ કોર્ટે આરોપીને દંડ ફટકાર્યો હતો. આરોપીએ જે તે વખતે અંડરવર્લ્ડ ડોન દાઉદના નામે ધમકી આપી હતી. કેસની હકીકત અનુસાર મુંબઈની એક કોર્ટે પોલીસને ધમકીભર્યા ફોન […]

મનરેગા કૌભાંડ: ક્રિકેટર મોહમ્મદ શમીની બહેનનો પતિ મુખ્ય સૂત્રધાર, તપાસમાં 11 લોકો દોષિત જાહેર

અમરોહાઃ ઉત્તર પ્રદેશના અમરોહામાં મનરેગા કૌભાંડ પાછળ ક્રિકેટર મોહમ્મદ શમીની બહેનના પતિને મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે. જ્યારે, શમીના બનેવીની માતાની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. અમરોહા જિલ્લાના પલૌલા ગામમાં મનરેગા છેતરપિંડી અંગે ડીએમએ તપાસ રિપોર્ટ રજૂ કર્યો છે. આ તપાસમાં, BDO અને ચાર સચિવો સહિત કુલ 11 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ડીએમએ […]

મહારાષ્ટ્રના સોલાપુરમાં ભૂકંપનો આંચકો, 2.6ની તીવ્રતા નોંધાઈ

પૂણેઃ મ્યાનમારમાં તાજેતરમાં ગોઝારો ભૂકંપ આવ્યો હતો અને મોટી સંખ્યામાં તબાહી સર્જાઈ છે. બીજી તરફ ભારતમાં પણ ભૂકંપની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં ધરા ધણધણતા  લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સદનસીબે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે (૩ એપ્રિલ) મહારાષ્ટ્રના સોલાપુરમાં ભૂકંપના […]

લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય પ્રસ્તાવને મંજૂરી આપી

નવી દિલ્હીઃ લોકસભાએ વકફ (સુધારા) બિલ, 2025 પસાર કર્યું છે, જેમાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા છે. ગૃહે ગઇકાલે બિલને મંજૂરી આપી, જેમાં 288 સભ્યોએ પક્ષમાં મતદાન કર્યું જ્યારે 232 સભ્યોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું. મોડી રાત સુધી નીચલા ગૃહમાં 12 કલાકથી વધુ સમય સુધી આ બિલ પર ચર્ચા થઈ. વકફ (સુધારા) […]

ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું

નવી દિલ્હીઃ ચિલીના રાષ્ટ્રપતિ, ગેબ્રિયલ બોરિક ફોન્ટે જણાવ્યું કે. ચિલીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે સમર્થન કર્યું છે. ચિલી એન્ડ ઇન્ડિયા-સાઇડ બાય સાઇડ ઇન ધ ગ્લોબલ સાઉથ વિષય પર 53મા સપ્રુ હાઉસ વ્યાખ્યાન આપતા રાષ્ટ્રપતિ ફૉન્ટે કહ્યું કેચિલી ભારત સાથે તેની ભાગીદારી વધારવા માંગે છે કારણ કે ત્યાં દ્વિપક્ષીય સહયોગ માટે વિશાળ […]

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની જાહેરાત કરી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કરીને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયા છે. જયારેચીન પર 34 ટકા,બાંગ્લાદેશ પર 26 ટકા પાકિસ્તાન પર 29 ટકા શ્રીલંકા પર 44 ટકા જયારે ઇઝરાઈલ પર 17 ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો […]

ભારતે એક વર્ષમાં 1681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડ્યું

નવી દિલ્હીઃ ભારતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક હજાર 681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડી દીધું છે. રેલવે મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉના નાણાકીય વર્ષમાં ઉત્પાદિત એક હજાર 472 એન્જિનની સરખામણીએ આ વર્ષે 19 ટકાનો વધારો નોંધાયો છે. ભારતીય રેલ્વેએ પર્યાવરણીય સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક […]

દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર CCTV કેમેરા લગાવવામાં આવશે

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર પૂરતી સંખ્યામાં CCTV કેમેરા લગાવવામાં આવશે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ મહિલાઓની સલામતી માટે અનેક પગલાં લીધાં છે. તેમણે ઉમેર્યું કે દરેક વિભાગ, ઝોન અને રેલવે બોર્ડમાં વોર રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, […]

ભારતીય રેલ્વેએ 2,249 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કર્યાં

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ પર્યાવરણીય સંરક્ષણ અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં, રેલ્વે સ્ટેશનો અને સેવા ઇમારતો પર 2,249 સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. છેલ્લા પાંચ વર્ષમાં, રેલવેએ 1,489 સૌર એકમો સ્થાપિત કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code