1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મ્યાનમારમાં ભૂકંપથી ચારેય તરફ તબાહી, ઈસરોએ જાહેર કર્યો સેટેલાઈટ ફોટો

બેંગલુરુ: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ 28 માર્ચે મ્યાનમારમાં આવેલા ભૂકંપથી થયેલા નુકસાનની તેના ‘કાર્ટોસેટ-૩’ દ્વારા લેવામાં આવેલી છબીઓ પ્રકાશિત કરી છે. ઇસરોએ જણાવ્યું હતું કે, તેણે આપત્તિ પછી 29 માર્ચે મ્યાનમારના મંડલે અને સાગાઇંગ શહેરો પર કાર્ટોસેટ-૩ દ્વારા લેવામાં આવેલી છબીઓ મેળવી છે. આ ઉપરાંત, 18 માર્ચે કાર્ટોસેટ-3 તરફથી પ્રાપ્ત થયેલા પૂર્વ-આપત્તિ ડેટાને […]

મુંબઈ બ્લાસ્ટના કાવતરાખોર ટાઈગર મેમણની મિલકતો જપ્ત કરવા કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો

મુંબઈઃ મુંબઈ બોમ્બ વિસ્ફોટના કાવતરાખોર ટાઈગર મેમણની 14 મિલકતો કેન્દ્રને સોંપવાનો આદેશ એક ખાસ કોર્ટે આપ્યો છે. આ મિલકતો હાલમાં બોમ્બે હાઈકોર્ટના રીસીવર પાસે છે, જેને કોર્ટે 1994માં ટાડા કાયદા હેઠળ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ટાઇગર મેમણ 12 માર્ચ 1993ના મુંબઈ બ્લાસ્ટનો કાવતરાખોર છે. તે દિવસે 13 અલગ અલગ વિસ્ફોટોમાં 257 લોકો માર્યા ગયા […]

રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સહિતના નેતાઓએ ઓડિશા દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાએ આજે મંગળવારે (1 એપ્રિલ, 2025) ઓડિશા દિવસ નિમિત્તે ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી અને રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે, ‘ઓડિશા દિવસ પર લોકોને હાર્દિક શુભેચ્છાઓ! આ ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિવિધ ક્ષેત્રોમાં […]

શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ: યુએસ ટેરિફ અંગે અનિશ્ચિતતા વચ્ચે આઇટી શેરોમાં ઘટાડો થતાં મંગળવારે શરૂઆતના કારોબારમાં સ્થાનિક બજારો નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 639.13 પોઈન્ટ ઘટીને 76,775.79 પર પહોંચ્યો હતો. NSE નિફ્ટી 180.25 પોઈન્ટ ઘટીને 23339.10 પર ટ્રેડ થયો હતો. સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં, ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, […]

LPG સસ્તું થયું, ટોલ મોંઘુ… આજથી UPI થી લઈને આવકવેરા સુધી બધું બદલાઈ ગયું, 15 મોટા ફેરફારો થયા

નવી દિલ્હીઃ. આજે 1 એપ્રિલ છે. આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે ઘણા ફેરફારો થયા છે, જેની સીધી અસર લોકોના જીવન પર પડશે. પછી ભલે તે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો હોય કે પછી બેંકિંગ સિસ્ટમ અને પેન્શન યોજનામાં ફેરફાર હોય. ગેસ સિલિન્ડર સસ્તો દિલ્હીથી મુંબઈ અને ચેન્નાઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો […]

અફઘાન નાગરિક કાર્ડ ધારકોને પાકિસ્તાન છોડવાની સમયમર્યાદા સમાપ્ત

અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા સમાપ્ત થઈ છે ત્યારે પાકિસ્તાન સરકારે હજારો અફઘાન શરણાર્થીઓની ધરપકડ કરવા અને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાવલપિંડીના પોલીસ વડાએ રાવલ, પોટોહર અને સદર વિભાગના અધીક્ષકોને જિલ્લામાં રહેતા અથવા કામ કરતા અફઘાન નાગરિકો સામે કાનૂની પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. આ ઘટનાને કારણે અફઘાન […]

દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો શ્રેષ્ઠ વિકલ્પ: નીતિન ગડકરી

મુંબઈઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો શ્રેષ્ઠ વિકલ્પ છે. નીતિન ગડકરીએ  મહારાષ્ટ્રના થાણેમાં લેબ ઇન્ડિયા દ્વારા ઇ-સાયકલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે આ સમસ્યાના ઉકેલની જવાબદારી લીધી છે. નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત […]

નાવિકા સાગર પરિક્રમા II તારિણી દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં પ્રવેશી

નવી દિલ્હીઃ INSV તારિણી નાવિકા સાગર પરિક્રમા II અભિયાનના ચોથા તબક્કાને પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં પ્રવેશી હતી. જહાજ અને ક્રૂનું સ્વાગત કેપ ટાઉન ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રીમતી રૂબી જસપ્રીત, દક્ષિણ આફ્રિકન નૌકાદળના ફ્લીટના ચીફ ઓફ સ્ટાફ રીઅર એડમિરલ (JG) લિસા હેન્ડ્રિક્સ અને પ્રિટોરિયા ખાતે ભારતના સંરક્ષણ સલાહકાર કેપ્ટન અતુલ સપહિયા દ્વારા કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકના નૌકાદળના બેન્ડ દ્વારા પણ બંદર […]

ઝારખંડના સાહિબગંજમાં બે માલગાડી વચ્ચે જોરદાર ટક્કર, બેના મોત

નવી દિલ્હીઃ ઝારખંડના સાહિબગંજ જિલ્લાના બરહેટ ખાતે આજે મંગળવારે (1 એપ્રિલ, 2025) સવારે લગભગ 4 વાગ્યે બે માલગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટ્રેન એન્જિનમાં મુસાફરી કરી રહેલા બે લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ચાર કામદારો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ બંને માલગાડીઓમાં ભીષણ આગ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ […]

પશ્ચિમ બંગાળમાં ફટાકડા ફોડતી વખતે થયો ભયાનક વિસ્ફોટ, સાતના મોત

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના રાયપુર ધૌલહાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત પથ્થરપ્રતિમા-3 એન્ક્લોઝરમાં ગઈકાલે સોમવારે (31 માર્ચ, 2025) 9:30 આસપાસ એક મોટો વિસ્ફોટ થયો હતો. બંસતી પૂજા વખતે ફટાકડા ફોડતી વખતે દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં વિસ્ફોટ પછી આખા ઘરમાં આગ લાગી હતી. આ ગુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું સામે આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code