1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

યુક્રેન પર ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા, ઝેલેન્સકીને આપી મોટી ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને ઠપકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સકીને યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “ઝેલેન્સકીને જોઈને મને લાગે છે કે તે દુર્લભ ખનિજો કરારમાંથી પીછેહઠ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને જો તે આવું કંઈક કરશે તો પરિણામ સારું નહીં આવે, તે તેના […]

મ્યાનમારમાં ભૂકંપ દરમિયાન નમાજ પઢતા 700થી વધારે મસ્લિમના મોત થયાં

માંડલેઃ રમઝાનમાં શુક્રવારની નમાજ દરમિયાન મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 700 થી વધુ નમાજ પઢનારાઓના મોત થયાનો મ્યાનમારના એક મુસ્લિમ સંગઠને આ દાવો કર્યો છે. સ્પ્રિંગ રિવોલ્યુશન મ્યાનમાર મુસ્લિમ નેટવર્કની સ્ટીયરિંગ કમિટીના સભ્ય ટુન કીએ સોમવારે જણાવ્યું હતું કે, દેશના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક આવેલા 7.7 ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ […]

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ આજે દેશભરમાં ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રમઝાનના પવિત્ર મહિના પછી ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે છે. આ દિવસ મુસ્લિમો માટે ખાસ છે. રવિવારે દેશમાં ઈદનો ચાંદ દેખાયો હતો, ત્યારબાદ સોમવારે ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ […]

ઉત્તરપ્રદેશમાં આઠ વર્ષમાં ગંભીર ગુનાઓમાં 85 ટકાનો ઘટાડો થયો છે: યોગી સરકારનો દાવો

લખનૌ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ઐતિહાસિક સુધારો થયો છે અને 2017 થી લૂંટ, ઘાડ, રમખાણો, હત્યા, અપહરણ અને બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓમાં 85 ટકાનો ઘટાડો થયો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ગુના પ્રત્યે રાજ્ય સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિને કારણે, […]

કેરળ: સાંસદ પ્રિયંકા ગાંધીના કાફલાને રોકવા બદલ યુટ્યુબર અનીશ અબ્રાહમની ધરપકડ

ત્રિશૂરઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને રોકવા બદલ એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મન્નુથી પોલીસે આ ઘટનાના સંદર્ભમાં એલાનાડુના રહેવાસી અનીશ અબ્રાહમની અટકાયત કરી હતી અને બાદમાં તેને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ […]

આસામના પૂર્વ મંત્રીની પુત્રીએ બીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી, પોલીસ તપાસમાં જોતરાઈ

ગુવાહાટઃ આસામના ભૂતપૂર્વ ગૃહમંત્રી સ્વર્ગસ્થ ભૃગુ કુમાર ફુકનની એકમાત્ર પુત્રીએ કથિત રીતે આત્મહત્યા કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રવિવારે ગુવાહાટીના ખારઘુલી વિસ્તારમાં ઉપાસના ફુકન (ઉ.વ 28) એ તેના ઘરના બીજા માળેથી કૂદી પડી હતી. ઉપાસના તેની માતા સાથે રહેતી હતી. “તેમને તાત્કાલિક ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત […]

અફઘાનિસ્થાનમાં પશ્ચિમી કાયદાની કોઈ જરુર નથીઃ તાલિબાની નેતા અખુંદઝાદા

તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદઝાદાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં પશ્ચિમી કાયદાઓની કોઈ જરૂર નથી. જ્યાં સુધી શરિયા કાયદો અમલમાં છે. આપણે આપણા પોતાના કાયદા બનાવીશું. ઈદ-ઉલ-ફિત્રના અવસરે એક ઉપદેશ આપતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. તાલિબાનના કબજા હેઠળના દક્ષિણ શહેર કંદહારમાં ઈદ અલ-ફિત્રના અવસરે અખુંદઝાદાએ ઉપદેશ આપ્યો હતો. આ દરમિયાન તેમણે ઇસ્લામિક કાયદાઓના મહત્વ […]

ડંકી માર્ગે લોકોને અમેરિકા મોકલનાર મુખ્ય આરોપીની એનઆઈએએ ધરપકડ કરી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ડંદી રૂટ દ્વારા અમેરિકામાં લોકોની ગેરકાયદેસર મોકલનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ગગનદીપ સિંહ ઉર્ફે ગોલ્ડી પશ્ચિમ દિલ્હીના તિલક નગરનો રહેવાસી છે. આરોપીએ પંજાબથી એક વ્યક્તિને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યો હતો, જેને આ મહિનાની શરૂઆતમાં ભારત પરત મોકલી દેવામાં આવ્યો હતો. NIA ના નિવેદન મુજબ, પીડિતા પંજાબના […]

IFS નિધિ તિવારી બન્યા વડાપ્રધાન મોદીના અંગત સચિવ

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી નિધિ તિવારીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ માહિતી કર્મચારી મંત્રાલયના એક આદેશમાં આપવામાં આવી હતી. 2014 બેચના આઈએફએસ અધિકારી નિધિ તિવારી હાલમાં પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં નાયબ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. 29 માર્ચે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે […]

લાલુ પ્રસાદ યાદવે ઘાસચારા કૌભાંડ આચરી બિહારને બદનામ કર્યું : અમિત શાહ

પટનાઃ બિહારના પ્રવાસે રહેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એ લાલુ પ્રસાદ યાદવ, તેમની પાર્ટી અને તેમના શાશન કાળને આડે હાથ લીધા સાથેજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પ્રશંસા કરી અને આરજેડી પર પણ નિશાન સાધ્યું.તેમણે સ્પષ્ટપણે કહ્યું કે લાલુ યાદવે ઘાસચારા કૌભાંડ કરીને બિહારને બદનામ કરવાનું કામ કર્યું છે. આરજેડીના શાસનને જંગલ રાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code