1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ITBPના 86 તાલીમાર્થી અધિકારીઓને ડિપ્લોમાથી સન્માનિત કરાયા

જયપુરઃ રાજસ્થાનના અલવરમાં એક મહત્વપૂર્ણ પ્રસંગે, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના 86 તાલીમાર્થી અધિકારીઓએ તેમની સખત તાલીમ પૂર્ણ કર્યા પછી, ઔપચારિક પાસિંગ આઉટ પરેડ દરમિયાન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી સંકલિત સુરક્ષા વ્યવસ્થાપન અને વહીવટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો. આ સમારોહ માત્ર સઘન તાલીમ કાર્યક્રમનો અંત જ નહીં પરંતુ ભારતના સુરક્ષા માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકામાં સેવા આપવા માટે તેમની પ્રતિબદ્ધતાની […]

નમો ભારત રેપિડ ટ્રેન શરૂ કરી પણ ભૂજ-અમદાવાદ ઈન્ટરસિટી બંધ કરતા કચવાટ

નમો ભારત રેપિડ ટ્રેનમાં પ્રવાસીઓએ ત્રણગણું ભાડું ચૂકવવું પડશે, નવી ટ્રેનમાં સિટિંગ વ્યવસ્થા અંગે પ્રવાસીઓમાં અસંતોષ, રેપિડ ટ્રેન વાતાનુકૂલિત હોવાથી પ્રવાસીઓને રાહત ભૂજ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને નમો ભારત રેપિડ ટ્રેન ભેટમાં આપી છે. અમદાવાદ-ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ ટ્રેન શરૂ કરાતા કચ્છવાસીઓને હરખ સમાતો નહતો, પણ પશ્વિમ રેલવેના સત્તાધિશોએ ભૂજ અમદાવાદ ઈન્ટરસિટી ટ્રેન બંધ […]

સુરતની સિવિલ હોસ્પિટલમાં બેડની અછતથી દર્દીઓને ભોંય તળિયે સુવડાવાયા

હોસ્પિટલના ટીબી વોર્ડમાં દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને કરાતી સારવાર, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વેઠવી પડતી હાલાકી,    હોબાળો થતાં તમામ દર્દીઓને ભોયતળિયોથી બેડ પર લેવાયા સુરતઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં પથારી (બેડ)ની અછત હોવાથી દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને સારવાર કરાવવાની ફરજ પડી રહી છે. હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં બેડની અછતના હોવાથી 8 માં […]

રોહિત-કોહલીને બાંગ્લાદેશી સ્ટાર તરફથી મળી ખાસ ભેટ, વિરાટે કહ્યું- ખૂબ ભાલો….

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચ જીતી હતી. જે બાદ રોહિત બ્રિગેડ બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી હતી. કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજે રોહિત શર્માને બંને ઇનિંગ્સમાં આઉટ કર્યો હતો. હવે મેચ પુરી થયા બાદ મેહદી હસને રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક ખાસ […]

પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને રોકાણકારો સાથે સંવાદ કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને પ્રવાસી ભારતીયો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ)ની મુલાકાતના બીજા દિવસે મંત્રી ગોયલે બ્લેકરોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર, શ્રી રોબર્ટ ગોલ્ડસ્ટેઇન સહિતના અગ્રણી રોકાણકારો સાથે મુલાકાત કરી હતી. સિસ્ટમ્સ ટેકનોલોજી ગ્રૂપના ચેરમેન અને સીઇઓ અનુપ પોપટ, ટિલમેન હોલ્ડિંગ્સના સીઈઓ સંજીવ આહુજા, […]

અંબાજી મંદિરમાં આજે નવરાત્રીથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

મંદિરમાં આજે પ્રથમ નોરતે ઘટ સ્થાપન કરાયું, આસોસુદ આઠમે આરતીનો સમય સવારે 6 વાગ્યે અને ઉત્થાપન સવારે 10 કલાકે કરાશે, શરદ પુનમે માતાજીને દૂધ-પૌંઆનો ભોગ ધરાવાશે અંબાજીઃ નવરાત્રીમાં માતાજીના દર્શનનું મહાત્મ્ય સવિશેષ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે પ્રથમ નવરાત્રીએ ભાવિકો મા અંબાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. મા જગતજનની જગદંબાનું આ શક્તિપીઠ અંબાજી મંદિર […]

આ છે ભારતના 15 મોસ્ટ વોન્ટેડ આતંકવાદી, જાણો નામ…

નવી દિલ્હીઃ આજે વિશ્વના મોટાભાગના દેશો આતંકવાદ સામે ઝઝૂમી રહ્યા છે. ભારત પણ પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદથી પીડિત છે. ઘણા આતંકવાદીઓ, પાકિસ્તાનના ઉશ્કેરણી પર ભારતમાં ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારત સરકારે આવા કેટલાક આતંકવાદીઓને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં મૂક્યા છે. ગૃહ મંત્રાલયે તેની વેબસાઈટ પર UAPA […]

દેશના ખુણે-ખુણે બેઠેલા બાબરને મારીને હટાવવા પડશેઃ હિમંત બિસ્વા સરમા

નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા હરિયાણા ચૂંટણીના પ્રચાર માટે પલવલ જિલ્લામાં પહોંચ્યાં હતા. જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. સરમાએ જનતાને સંબોધતા કહ્યું કે હરિયાણામાં ખર્ચી-પર્ચીની પ્રથા પાછી લાવવાની જરૂર નથી, ભાજપને જીતાડવી પડશે. એટલું જ નહીં, આસામના સીએમએ એમ પણ કહ્યું કે, પિતા-પુત્રની સરકાર બનવાની નથી. કારણ કે હરિયાણામાં કોંગ્રેસે તુષ્ટિકરણનું […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં આજથી મુલાકાતીઓ સિંહ યુગલને નિહાળી શકશે

ગત માર્ચ મહિનામાં જુનાગઢથી સિહ અને સિંહણ ઈન્દ્રોડા પાર્કમાં લવાયા હતા, સિંહ યુગલનું નામ વસંત અને સ્વાતિ રખાયું, મંત્રીને સમય ન મળતા સિંહ યુગરને વધુ સમય કોરેન્ટાઈનમાં રહેવું પડ્યુ ગાંધીનગરઃ શહેરના ઈન્દ્રોડા પાર્કમાં જુનાગઢથી સિંહ અને સિંહણની જોડી ગત માર્ચ મહિનામાં લાવવામાં આવી છે. પરંતુ મુલાકાતીઓને સિંહ યુગલને નિહાળવાનો લાભ અપાતો નહતો. કહેવાય છે કે, […]

હાથરસ નાસભાગ કેસઃ કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ, 11 લોકોને બનાવ્યા આરોપી

લખનૌઃ ઉત્તર પ્રદેશ પોલીસે 2 જુલાઈના રોજ યુપીના હાથરસ જિલ્લામાં નારાયણ સાકર હરિ ‘ભોલે બાબા’ સભા દરમિયાન થયેલી નાસભાગના કેસમાં કોર્ટમાં 3200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઘટનામાં 121 લોકોના મોત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચાર્જશીટમાં 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં તે લોકો પણ સામેલ છે જેમણે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code