1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિલ્હી બન્યું ક્રાઈમ કેપિટલ, વેપારીની સરાજાહેર ગોળીમારીને કરાઈ હત્યા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય તેમ ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેને લઈને અરવિંદ કેજરિવાલ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે ફરી એકવાર દિલ્હીમાં ગંભીર ઘટના બની હતી. મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીની ગોળીમારીને હત્યા કરતા ખળભળાટ મચી […]

સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનની સાતમી એડિશન 11 ડિસેમ્બરથી શરૂ થશે

નવી દિલ્હીઃ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન (એસઆઈએચ)ની સાતમી એડિશન 11 ડિસેમ્બર, 2024ના રોજ રાષ્ટ્રવ્યાપી 51 કેન્દ્રો પર એકસાથે શરૂ થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. SIH. એ રાષ્ટ્રવ્યાપી પહેલ છે જે વિદ્યાર્થીઓને આપણા રોજિંદા જીવનમાં આપણે સામનો કરી રહેલી કેટલીક અગત્યની સમસ્યાઓને હલ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે […]

કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ખેડૂત આઇડી જનરેટ કરવામાં ગુજરાત આગળ

અમદાવાદઃ ભારત સરકારે 2 સપ્ટેમ્બર, 2024ના રોજ જાહેર થયેલા ડિજિટલ કૃષિ મિશન અંતર્ગત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ)ની રચનામાં આગળનો માર્ગ દર્શાવવામાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. 5 ડિસેમ્બર 2024ના રોજ, રાજ્યમાં લક્ષ્યાંકિત સંખ્યાના 25% ખેડૂતો માટે ખેડૂત આઈડી ઉત્પન્ન કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આ સફળતા ભારત સરકારની ‘એગ્રી સ્ટેક પહેલ’ના ભાગરૂપે એક વ્યાપક […]

કેબિનેટે દિલ્હી મેટ્રો ફેઝ-4 પ્રોજેક્ટનાં રિથાલા-કુંડલી કોરિડોરને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાના રિથાલા-નરેલા-નાથુપુર (કુંડલી) કોરિડોરને મંજૂરી આપી દીધી છે, જેમાં 26.463 કિલોમીટરનો સમાવેશ થાય છે, જે રાષ્ટ્રીય રાજધાની અને પડોશી હરિયાણા વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો કરશે. આ કોરિડોર તેની મંજૂરીની તારીખથી 4 વર્ષમાં પૂર્ણ થવાનો છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો ખર્ચ રૂ. 6,230 કરોડ છે અને […]

ઈરાનના ખુઝેસ્તાનમાં 5.6ની તીવ્રતાના ભૂકંપનો આંચકો, 29 લોકો ઘાયલ

ઈરાનના ખુઝેસ્તાનમાં સવારે 5.6ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. સ્થાનિક સમય મુજબ સવારે 7:32 વાગ્યે હાફ્ટકેલ કાઉન્ટીમાં કેન્દ્રબિંદુ ધરાવતો આ ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ નોંધાયો છે. આ ભૂકંપને પરિણામે મસ્જેદ સોલેમેન કાઉન્ટીમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા તેમજ પ્રાંતીય રાજધાની અહવાઝમાં પણ તેની અસર વર્તાઈ હતી. ખુઝેસ્તાનના ગવર્નર મોહમ્મદ રેઝા […]

દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે

નવી દિલ્હીઃ દુબઈમાં આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે સાડા દશ વાગ્યે શરૂ થશે. અગાઉ ગઈકાલે શારજાહમાં રમાયેલી સેમીફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. 67 રન બનાવનાર વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દુબઈમાં રમાયેલી અન્ય એક સેમીફાઈનલમાં […]

અમદાવાદઃ રિવરફ્રન્ટ ખાતે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવાશે

ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે 750 કરોડથી વધુનાં ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. આ અંગે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વિસ્તારને ડેસ્ટીનેશન સેન્ટર તરીકે વિક્સાવવાનું આયોજન છે. અહીં 300 રૂમની હોટલ […]

ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ ભારત મંડપમના મહત્વને રેખાંકિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, છેલ્લા બે વર્ષમાં આ સ્થાને જી-20ના સફળ સંગઠન સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો જોયા છે.” તેમણે કહ્યું કે,” આજે દિલ્હી પૂર્વોત્તરમય થઈ ગયું છે. ઉત્તર પૂર્વના વિવિધ રંગો, આજે રાજધાનીમાં સુંદર મેઘધનુષ્ય બનાવી રહ્યા છે. આ ત્રણ દિવસીય ઉત્સવ સમગ્ર દેશ અને વિશ્વને પૂર્વોત્તરનું […]

દક્ષિણ કોરિયાઃ રાષ્ટ્રપતિએ માર્શલ લો જાહેર કરવા બદલ પ્રજાની માફી માંગી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે હાથ જોડીને માર્શલ લોની તેમની તાજેતરની જાહેરાત માટે જનતાની માફી માંગી છે. જોકે તેમણે રાજીનામું આપવાની ઓફર કરી ન હતી. યુન આજે નેશનલ એસેમ્બલીના પૂર્ણ સત્રમાં વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવનો સામનો કરવાના છે. શાસક પક્ષે પહેલાથી જ રાષ્ટ્રપતિ યેઓલને સમર્થન ન આપવાની જાહેરાત કરી દીધી છે. તેઓ તેમની રાજકીય અને […]

હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસાને મામલે બાંગ્લાદેશ જશે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી

નવી દિલ્હીઃ ભારત સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ સામે ચાલી રહેલી હિંસાની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અલગ અલગ ભાગોમાં હિંદુ ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા અને બિનજરૂરી અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીની ઢાકાની સૂચિત મુલાકાતથી ત્યાંની સ્થિતિ સુધરવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code