1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સામખિયાળી હાઈવે પર પવન ચક્કીની પાંખ લઈ જતા ટ્રેલરને અકસ્માતથી ટ્રાફિક જામ

ટ્રેલર હાઈવે પર ફંટાઈને આડુ ફરી જતા હાઈવેનો એક તરફનો રસ્તો બ્લોક થયો, સામખિયાળી- રાધનપુર હાઈવે પર 6 કિમી ટ્રાફિકજામ સર્જાયો, પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રેલરને હાઈવે પરથી હટાવ્યુ ભૂજઃ ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા સામખયાળી-રાધનપુર નેશનલ હાઈવે પર રાપર તાલુકાના ગાગોદર અને માનગઢ વચ્ચે વહેલી સવારે પવનચક્કીની પાંખ લઈ જતું એક મહાકાય ટ્રેલર બેકાબુ બનીને […]

થાનગઢ નજીક મગફળી ભરેલી ટ્રક બેરીકેટ સાથે અથડાતા લોકોએ મગફળીની લૂંટ ચલાવી

ટ્રકમાં FCIના ગોદામમાંથી ભરેલી સરકારી મગફળીની બોરીઓ રોડ પર વેરવિખેર થઈ, રોડ પર જતા વાહનચાલકો અને આજુબાજુના લોકો મગફળીની બેરીઓ ઉઠાવી ગયા, અકસ્માતના બીજા બનાવમાં બે કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનગઢ નજીક ધોળેશ્વર ફાટક પાસે મગફળીના બોરીઓ ભરેલો એક ટ્રક રેલવે વિભાગ દ્વારા મુકાયેલા બેરીકેટ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકમાં […]

ભૂટાનથી પરત ફરતા જ PM મોદી સીધા LNJP હોસ્પિટલ પહોંચ્યા, ઈજાગ્રસ્તો સાથે કરી મુલાકાત

નવી દિલ્હી: ભૂટાનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સીધા દિલ્હીની એલએનજેએપી (LNJP) હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત લીધી. PM મોદીએ હોસ્પિટલમાં જઈને ઘાયલ લોકોની તબિયત પૂછી  અને તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. હોસ્પિટલના અધિકારીઓ અને ડૉક્ટરો સાથે પણ તેમણે વિગતવાર ચર્ચા […]

ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા સુધી 19મી નવેમ્બરથી વિશેષ ટ્રેનો દોડાવાશે

પાલિતાણામાં 19મી નવેમ્બરથી માળા રોપણ વિધિમાં જૈન સમુદાય ઉમટી પડશે, 19મી નવેમ્બરે ભાવનગર ટર્મિનસથી રાત્રે 21:20 વાગ્યે બાંદ્રા જવા ટ્રેન ઉપડશે, 20 નવેમ્બરે બાંદ્રા ટર્મિનસથી પાલિતાણા જવા બપોરે 2:30 વાગ્યે ટ્રેન પ્રસ્થાન કરશે ભાવનગરઃ જૈનોના યાત્રાધામ પાલિતાણામાં 47 દિવસથી ચાલી રહેલી આરાધના બાદ માળા રોપણ વિધિ 19મી નવેમ્બરથી યોજાશે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાય ઉમટી […]

સુરતમાં 955 કિલો નકલી પનીરનો જથ્થો પકડાયો, હવે SOG ‘ઓપરેશન શુદ્ધિ’ હેઠળ રેડ પાડશે

SOGએ કેટરર્સ અને ખાદ્ય પદાર્થ બનાવનારાઓની યાદી તૈયાર કરી, SOGએ ‘સુરભિ ડેરી‘ના બે યુનિટ પર દરોડા પાડ્યા હતા, નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરાતો હતો સુરતઃ શહેર ખાણીપીણી માટે દેશભરમાં જાણીતુ છે. ત્યારે ખાદ્ય ચિજ વસ્તુઓમાં કેટલાક વેપારીઓ દ્વારા કરાતી ભેળસેળ કરવામાં આવતી હોય છે. ત્યારે શહેરના એસઓજી ( સ્પેશિયલ ઓપરેશન ગૃપ)એ શહેરની […]

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર, બે સહપ્રભારીની હાઈકમાન્ડે કરી નિમણૂંક

પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી તરીકે બી.વી. શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવને જવાબદારી અગાઉના સહ પ્રભારી તરીકે ઉષા નાયડુ અને ભૂપેન્દ્ર મારવીને મુક્ત કરાયા, પ્રદેશના સંગઠનમાં હજુ પણ કેટલાક ફેરફાર થવાની શક્યતા અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરીને અગાઉના બે સહપ્રભારીને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરીને નવા બે સહ પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસના હાઈ કમાન્ડે દેવેન્દ્ર યાદવ […]

ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓની તપાસ માટે રાજસ્થાન અને યુપીની પોલીસ ટીમો આવી

કાશ્મીરી સફરજનની આડમાં શંકાસ્પદ વસ્તુઓ અંગે તપાસ શરૂ, ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હતી, ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટા રિકવર થયા બાદ રહસ્યો ખુલશે અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરિરીસ્ટ સ્વોર્ડ (ATS)એ તાજેતરમાં ગાંધીનગરના અડાલજ પાસેથી તેમજ બનાસકાંઠામાંથી ત્રણ આતંકીઓને દબોચી લીધા હતા. આ આતંકી શખસોના અન્ય રાજ્યોમાં પણ કનેક્શનનો પડદાફાશ થતાં […]

વાગરા નજીક સાયખા GIDCમાં બાઈલર ફાટતા લાગી આગ, ત્રણના મોત

GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે બન્યો બનાવ, બોઈલર બ્લાસ્ટ થતા 24 જેટલા કર્મચારીઓને ઈજા, બોઈલર વ્લાસ્ટથી આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો ભરૂચઃ  જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલી સાયખા GIDCમાં ગત મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નિકળતા અફડા-તફડી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી […]

શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 595 પોઈન્ટ અને નિફ્ટીમાં 180 પોઈન્ટનો વધારો

મુંબઈ: અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે, એટલે કે બુધવારે ભારતીય શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. રોકાણકારોમાં ખરીદીનો માહોલને પગલે બેનચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ 1 ટકાની તેજી નોંધાઈ હતી. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 595.19 અંક (0.71%) ઉછળી 84,466.51 અંકે બંધ રહ્યો હતો. જ્યારે NSEનો 50 શેરો ધરાવતો નિફ્ટી ઇન્ડેક્સ 180.85 અંક […]

દિવાળી પર દિલ્હીમાં હુમલો કરવાની હતી યોજના, દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ અંગે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. હુમલાના મુખ્ય શંકાસ્પદ મુઝમ્મિલે તપાસ એજન્સીઓને જણાવ્યું હતું કે તેણે અને ઉમરે લાલ કિલ્લાની સામે બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. તપાસ એજન્સીઓ મુઝમ્મિલની પૂછપરછ કરી રહી છે અને તેના ફોન ડેટાની તપાસ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code