1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતમાં ઘર પાસે રમી રહેલા બાળક પર 5 કૂતરાએ હુમલો કરતા બાળકને હોસ્પિટલ ખસેડાયો

સુરત, 6 ફેબ્રુઆરી 2026:  સુરત શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતા જાય છે. શહેરના લસકાણા વિસ્તારમાં વાલક પાટિયા નજીક પોતાના ઘર પાસે રમી રહેલા 4 વર્ષના બાળક પર ચારથી પાંચ જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો.અને શરીરના જુદા જુદા અંગોમાં બચકા ભર્યા હતા. બુમાબુમ થતાં પરિવારના સભ્યો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.શ્વાનોના હુમલામાં ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ […]

અમદાવાદમાં SG હાઈવેને ડસ્ટ ફ્રી અને આઈકોનિક બનાવવા UN મહેતા ફાઉન્ડેશન ખર્ચ કરશે

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરના એસજી હાઈવેને નવિનીકરણ કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં હાઈવેની આજુબાજુ ટ્રી પ્લાન્ટેશન અને વોક વે સહિતની સુવિધા સાથે બ્યુટિફિકેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો છે. આ રોડની ડિઝાઇનથી લઈ બ્યુટીફિકેશન સહિતની કામગીરી યુ.એન મહેતા ફાઉન્ડેશનને સોંપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય […]

ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારા ગ્રાહકોને મળશે રૂ. 25,000 સુધીનું વળતર

મુંબઈ, 6 ફેબ્રુઆરી 2026: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ધિરાણ નીતિની જાહેરાત કરતા રેપો રેટમાં ભલે કોઈ ફેરફાર ન કર્યો હોય, પરંતુ ઓનલાઇન ફ્રોડનો શિકાર બનતા લાખો ગ્રાહકો માટે એક મોટી રાહતના સમાચાર આપ્યા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધતા જતા ફ્રોડને રોકવા માટે RBI એ એક નવું ફ્રેમવર્ક પ્રપોઝ કર્યું છે, જે અંતર્ગત જો તમારી […]

અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં લાગેલી આગ 3 કલાકે કાબુમાં આવી

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં ગત મોડી રાત્રે આગ લાગી હતા અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ત્રણ કલાક પાણીનો સતત મારો કરીને આગને કાબૂમાં લીધી હતી. આગ એટલી વિકરાળ હતી […]

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર સાથે ભણતા 3 વિદ્યાર્થીઓએ કર્યો હુમલો

અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2026:  શહેરમાં મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલનો સરકારે વહિવટ સંભાળ્યા બાદ પણ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વધુ એક બનાવ બન્યો છે. સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા. વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખીને ત્રણ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને […]

તમિલનાડુ સરકારે મોટી સંખ્યામાં કાગડાઓના મોત બાદ હાઇ એલર્ટ જાહેર કર્યું

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: તમિલનાડુના અનેક વિસ્તારોમાં કાગડાઓના મોટા પાયે મૃત્યુના અહેવાલો મળ્યા હતા. બર્ડ ફ્લૂની શક્યતાને કારણે સરકારે રાજ્યમાં હાઇ એલર્ટ જારી કર્યું છે. આ અંગે, પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ વિભાગ દ્વારા કેટલીક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. તમિલનાડુના વિવિધ ભાગોમાં કાગડાઓના મૃત્યુ બાદ એવિયન ઈન્ફલ્યુએન્ઝાના સંભવિત ફાટી નીકળવાના ભયને ધ્યાનમાં રાખીને તમિલનાડુ […]

મોદીએ પુતિનને પરમાણુ હુમલો કરતા રોક્યા હતા: પોલેન્ડના મંત્રીનો દાવો

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે પોલેન્ડના ઉપ વિદેશ મંત્રી અને સેક્રેટરી ઓફ સ્ટેટ વ્લાદિસ્લાવ બાર્ટોશેવ્સ્કી ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરીને તેમને યુક્રેનમાં ન્યૂક્લિયર […]

VIDEO : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મસ્જિદમાં બ્લાસ્ટ, અનેકના મોતની આશંકા

ઈસ્લામાબાદ, 6 ફેબ્રુઆરી 2026: આતંકીઓનું આકા ગણાતા પાકિસ્તાનમાં હવે આતંકવાદી હુમલામાં વધારો થયો છે. દરમિયાન રાજધાની ઈસ્લામાબાદમાં શુક્રવારની નમાજ વખતે એક મસ્જિદમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક રીતે આ આત્મઘાતી હુમલા માનવામાં આવી રહ્યો છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. આ હુમલાની જવાબદારી […]

બસપ નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં આવ્યા, જાણો કેન્દ્ર સરકાર પાસે શું માગણી કરી?

લખનૌ, 6 ફેબ્રુઆરી, 2026 – BSP leader Mayawati came in support of Brahmins બહુજન સમાજ પાર્ટી (બસપ)ના નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે દેશમાં વિવિધ સમુદાય તેમજ ખાસ કરીને મનોરંજન ઉદ્યોગ દ્વારા બ્રાહ્મણોના થઈ રહેલા અપમાન સામે નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન આ વેબ સિરિઝ વિરુદ્ધ આજે એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. બહેન માયાવતીએ તેમના […]

7 વર્ષ સુધીની સજા હોય તેવા ગુનામાં પોલીસ સીધી ધરપકડ નહીં કરી શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જે ગુનાઓમાં મહત્તમ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, તેમાં પોલીસ કોઈ પણ વ્યક્તિની સીધી ધરપકડ કરી શકશે નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, ધરપકડ પહેલા આરોપીને નોટિસ આપવી ફરજિયાત છે અને આ પ્રક્રિયા વગર કરાયેલી ધરપકડ ગેરકાયદે ગણાશે. જસ્ટિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code