1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઘરે બનાવો ટેસ્ટી અને મજેદાર અખરોટ કેક, જાણો રેસીપી

રેસીપી, 07 ઓગસ્ટ 2026:  જો તમે મેંદા અને સુગર વગર કંઈક હેલ્ધી અને સ્વાદિષ્ટ સ્વીટ ખાવાનું શોધી રહ્યા હોવ તો ખજૂર અને અખરોટની કેક બેસ્ટ ઓપ્શન છે. ખજૂરની કુદરતી મીઠાશ, અખરોટનો ક્રંચ, ડાર્ક ચોકલેટનો રીચ સ્વાદ અને નારિયેળ પાવડરનું અદભુત ટેક્સચર આ કેકને એકદમ સ્પેશિયલ બનાવે છે. ઘઉંના લોટમાંથી બનતી હોવાથી આ કેક પૌષ્ટિક છે […]

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો CMએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Travel and Tourism Fair  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 6થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહેલા ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેરનો નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં બે દાયકાથી યોજાતો આ ફેર રાજ્યની ટૂરિઝમ ઈકોસિસ્ટમને વેગ આપવામાં B2B ટ્રાવેલ ટ્રેડ એક્ઝિબિશનથી મહત્વનું યોગદાન આપે છે. […]

ગુજરાતમાં 289 સરકારી ITIમાં વૃક્ષારોપણ અભિયાન, 10 હજારથી વધુ રોપાઓનું વાવેતર

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Tree plantation drive across 289 government ITIs ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વન વિભાગના સહયોગથી રાજ્યની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળી વધારવા અને વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ અભિયાન અંતર્ગત રાજ્યભરની તમામ ૨૮૯ […]

એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયા બાદ અમદાવાદમાં મ્યુનિએ પાડ્યા દરોડા

અમદાવાદ, 07 ઓગસ્ટ 2026 : AMC conducts raids following the ban on analogue paneer ગુજરાત સરકારે લોકોના આરોગ્યને નુકસાન કરતા એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. રાજ્યમાં ઘણીબધી હોટલો અને રેસ્ટોરન્ટ્સ પર ખાદ્ય ચિજોમાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને કેટલીક ડેરીઓ પર એનાલોગ પનીરનું વેચાણ થયું હતું. પણ એનાલોગ […]

સરદાર સરોવર નર્મદા ડેમ 132.70 મીટર ભરાતા 3271 ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદ, 07 ઓગસ્ટ 2026 : Sardar Sarovar Narmada Dam filled to a level of 132.70 meters. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા નદી પરના ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.70 મીટરે પહોંચતા ડેમને એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. […]

વડોદરામાં રાજા રામમોહનરાય શાળા જર્જરિત થતાં વિદ્યાર્થીઓ દુકાનમાં બેસી ભણશે

વડોદરા, 07 ઓગસ્ટ 2026 : Raja Rammohan Roy School in Vadodara is dilapidated શહેરના વાસણા રોડ પર આવેલી મ્યુનિ, કોર્પોરેશન સંચાલિત રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાનું વર્ષો જુનું મકાન જર્જરિત થતાં શાળાના મકાનને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નજીકમાં આવેલી નીલકંઠ રેસિડેન્સીની 9 ખાલી દુકાનોમાં હંગામી ધોરણે ખસેડવાની દરખાસ્ત સ્થાયી […]

જામનગરમાં મકાનની છત ધરાશાયી થતાં પરિવારના 3 લોકોને બચાવાયા

જામનગર, 07 ઓગસ્ટ 2026 : Three family members rescued after house roof collapses શહેરના રંગમતી પાર્ક, શેરી નં. 2માં ગુરુવારે બપોરના ટાણે એક વર્ષો જૂના મકાનની છત ધડાકા સાથે તૂટી પડતા મકાનમાં રહેતા પ્રતાપગિરિ ગોસાઈ (ઉં.વ.61), તેમના પત્ની ડોલીબહેન (ઉં.વ.54) અને પુત્ર સાગર (ઉં.વ.27) કાટમાળ નીચે દટાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને […]

આજે 12મો નેશનલ હેન્ડલૂમ ડે, ગુજરાતની પ્રાચીન વણાટકળાને મળી વૈશ્વિક ઓળખ

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Today marks the 12th National Handloom Day આજે સમગ્ર દેશમાં 12મો રાષ્ટ્રીય હાથશાળ દિવસ (નેશનલ હૅન્ડલૂમ ડે) ઉજવવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ 2015માં ચેન્નાઈથી નેશનલ હૅન્ડલૂમ ડેની શરૂઆત કરી હતી. નેશનલ હૅન્ડલૂમ ડે માત્ર પરંપરાનો ઉત્સવ નથી, પણ એવા કુશળ હાથોનું સન્માન છે, જેમણે સદીઓથી ભારતના સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવી […]

પ્રાકૃતિક કૃષિથી જમીનની ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર સુધારો નોંધાયો : રાજ્યપાલ

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : Significant improvement in soil productivity observed through natural farming રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને લોકભવન ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ ગતિશીલ બનાવવા માટે વિવિધ વ્યૂહાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી વિશેષ […]

ગુજરાતમાં તા.9મી ઓગસ્ટથી હર ઘર તિરંગા અભિયાન, રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજાશે

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2026 : The ‘Har Ghar Tiranga’ campaign and patriotic programs  ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને એકતાના સંદેશ સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code