1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લીંબુની છાલ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે? જાણો

ભારતમાં મોટાભાગના ઘરોમાં લીંબુ જોવા મળે છે. આ લીંબુ સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી. તેમાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારવા, વજન, ત્વચા અને વાળ ઘટાડવા માટે ફાયદાકારક છે. પરંતુ લીંબુ ઉપરાંત તેની છાલ પણ સ્વાસ્થ્ય માટે સારી છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ઉપરાંત તેમાં વિટામિન B6, ફોલેટ, પોટેશિયમ અને […]

લીમડાના પાનનું દરરોજ સવારે સેવન કરવાથી મોટાભાગની બીમારી દૂર ભાગે છે

આયુર્વેદિક દૃષ્ટિકોણથી લીમડો ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. લીમડાનો સ્વાદ ભલે કડવો હોય, પણ તેમાં ઘણા ઔષધીય ગુણો છે, જે સ્વાસ્થ્ય માટે સારો છે. આયુર્વેદ અનુસાર, જો સવારે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરો છો તો શરીરના અડધા રોગો મટી જાય છે. જાણીએ કે સવારે ઉઠીને સૌથી પહેલા લીમડાના પાન ખાવાથી અન્ય કયા ફાયદા […]

જાયફળ સ્વાદ અને સુગંધની સાથે આરોગ્યને અનેક રીતે ફાયદાકારક

જાયફળ અથવા નટમેગ એક એવો મસાલો છે, જે સ્વાદ અને સુગંધની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ઔષધિ જેવું કામ કરે છે. જાયફળ ખાસ કરીને લીવર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાચનમાં સુધારો કરવાની સાથે-સાથે જાયફળને સારી ઊંઘ અને મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત જાયફળના સેવનથી આરોગ્યને અનેક ફાયદા થાય […]

ઘરમાં શિવલિંગ હોય તો શ્રાવણ પહેલા કરો આ કામ અને પૂજાનો મેળવો લાભ

જો તમે તમારા ઘરમાં શિવલિંગ રાખવા માંગતા હો, તો તેને ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરવું શ્રેષ્ઠ છે. આ દિશા ભગવાન શિવની માનવામાં આવે છે અને અહીં શિવલિંગ સ્થાપિત કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. શિવપુરાણનો નિયમિત પાઠ ઘરમાં સકારાત્મક ઉર્જા આકર્ષિત કરે છે. તે ઘરના વાસ્તુ દોષોને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. સોમવારે અથવા પ્રદોષ […]

અમદાવાદ ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક RTO ઈન્સ્પેક્ટરએ ટ્રકચાલકને ઢોર મારમાર્યો

ટ્રક ન રોકતા પીછો કરીને બેરિકેડ્સ ફેંકતા ટ્રકને પંકચર પડ્યું, ટ્રક ડ્રાઈવરને નિર્દયતાથી લાકડી વડે ઢોર માર મારતો વિડિયો વાયરલ, ઈજાગ્રસ્ત ટ્રકચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો દાહોદ:  ઇન્દોર-અમદાવાદ હાઈવે પર આરટીઓ  ઇન્સ્પેક્ટર લાકડી વડે ટ્રકના ચાલકને માર મારતા હોવાનો વિડિયો વાયરલ થતાં આરટીઓ સામે લોકોમાં નારાજગી ઊભી થઈ છે. દાહોદ આરટીઓમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરે અન્ય […]

વડગામ તાલુકાના જાણીતા પાણિયારી ધોધ પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ મુકાયો

પાણિયારી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, ધોધ ઉપર યુવક ડૂબવાનો વીડિયો વાયરલ થયા બાદ પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો, વડગામ પોલીસે જુલાઈથી નવેમ્બર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર રોક લગાવી પાલનપુરઃ  બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. છેલ્લા પખવાડિયાથી વરસાદી માહોલ સર્જાયો છે.  ભારે વરસાદના કારણે વાવ તાલુકામાં આવેલો પાણિયારી ધોધ જીવંત બન્યો છે, […]

ખાનગી યુનિવર્સિટીઓએ સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો મળ્યા બાદ ફીમાં કર્યો ધરખમ વધારો

ગુજરાત સરકારે 10 યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે, સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો મળતા જ ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ મળી, ખાનગી યુનિવર્સિટીઓ પોતાની રીતે જ ફી નક્કી કરી શકે છે, અમદાવાદઃ રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલા સાત ખાનગી યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો આપ્યો હતો. જે સાથે 7 યુનિવર્સિટીઓને સરકારના ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ […]

વડોદરામાં રખડતા ઢોરને પકડીને પુરવા માટેના ડબ્બાની કામગીરી આઉટસોર્સથી કરાશે

વડોદરા મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમીટીએ દરખાસ્તને મંજુરી આપી, વીએમસી ઢોરના ડબ્બાના આઉટસોર્સ માટે વર્ષે 1.74 કરોડ ખર્ચશે, ઢોરવાડા માટે 56 કરોડનું ઘાસ ખરીદવાના કામને પણ મંજૂરી વડોદરાઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર સામે મ્યુનિ. દ્વારા સમયાંતરે ઝૂંબેશ ચલાવવામાં આવે છે. રખડતા ઢોરને પકડીને ઢોર માટેના ડબ્બામાં પુરવામાં આવે છે. અને ઢોરમાલિકો દંડ ભરીને ઢોરને છોડાવી જતાં […]

અમદાવાદમાં સિનિયર સિટિઝન્સ હવે AMTS અને BRTS બસમાં મફત મુસાફરી કરી શકશે

65 વર્ષથી વધુ વયના વડિલોએ મફત મુસાફરી માટે પાસ કઢાવવો પડશે, દિવ્યાંગો પણ AMTS, અને BRTSમાં મફત મુસાફરી કરી શકશે, મ્યુનિ.કોર્પોરેશનમાં 2500 કર્મચારીઓની કરાર આધારિત ભરતી કરાશે અમદાવાદઃ શહેરમાં 65 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સને હવે એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરીનો લાભ મળશે. અગાઉ એએમટીએસ અને બીઆરટીએસમાં મફત મુસાફરી માટે વયમર્યાદા 75 વર્ષની હતી. […]

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના બિન શૈક્ષણિક કર્મીઓના પગારમાં 50 ટકા વધારો

કચ્છ યુનિની સ્થાપના 2004માં થઈ ત્યારથી કર્મચારીઓ ફિક્સ પગારમાં કામ કરી રહ્યા છે, કર્મચારીઓને 50 ટકા પગાર વધારાનો લાભ 1લી જાન્યુઆરીથી મળશે, કર્મચારીઓને 43 લાખ એરિયર્સ ચુકવવામાં આવશે ભૂજઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિ. દ્વારા બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે 50 ટકા માતબર પગાર વધારો કરાયો છે. વર્ષ 2004 થી યુનિ.ની સ્થાપના થઈ ત્યારથી યુનિ.માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code