1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બ્રિટને પાકિસ્તાનને ‘ટ્રાવેલ કરવા માટે ખૂબ જ જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું, એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ બ્રિટનની ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ પાકિસ્તાનને પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. તાજેતરના અહેવાલમાં, FCDOએ બ્રિટિશ નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને તોફાન, રોગચાળો, ભૂખમરો અને યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે. પ્રતિબંધિત યાદીમાં અન્ય 8 દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ, ઈરાન, સુદાન, લેબેનોન, બેલારુસ […]

વિસાવદર ચૂંટણીમાં જીતેલા ભૂપત ભાયાણી સામે HCમાં કરાયેલી રિટમાં સુનાવણી 1લી મેએ યોજાશે

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે. એટલે રાજ્યમાં વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી સાથે વિસાવદર બેઠકની ચૂંટણી પણ યોજાવાની હતી. પણ ચૂંટણી પંચે વિસાવદરની ચૂંટણીમાં ભૂપત ભાયાણીની જીતને પડકારતી હાઈકોર્ટમાં રિટ થઈ હોવાથી પેટા ચૂંટણી જાહેર કરી નથી. દરમિયાન વિસાવદર બેઠકની ચૂંટણી અંગે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી […]

PSI અને લોકરક્ષક સહિત પોલીસ વિભાગમાં ભરતી માટેની પરીક્ષાનું જાહેર કરાયું સમયપત્રક

અમદાવાદઃ ગુજરાતમાં પીએસઆઈ અને લોકરક્ષક, જેલ સિપાઈ સહિત વિવિધ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે.  છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનારા ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી […]

FY24માં ભારતનું કુલ ટોલ કલેક્શન રૂ. 64,810 કરોડે પહોંચ્યું, જેમાં 35 ટકાનો વધારો

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2023-24માં ભારતમાં કુલ ટોલ કલેક્શન રૂ. 64,809.86 કરોડ સુધી પહોંચ્યું છે. જેમાં ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 35 ટકાનો વધારો થયો છે, અને વ્યાપારી પ્રવૃત્તિમાં તેજી આવતાં સરકારી અને ઉદ્યોગના અંદાજો કરતાં વધી ગયા. ટોલવાળા રસ્તાઓમાં તીવ્ર વધારો અને નવા ફાસ્ટેગ વપરાશકર્તાઓના ઉમેરાને કારણે કુલ ટોલ વસૂલાત વર્ષની શરૂઆતમાં સરકાર દ્વારા નિર્ધારિત […]

અમદાવાદમાં સોનું (99.9) 10 ગ્રામના ભાવ 75000 પહોંચ્યા, ચાંદી કિલોના 83000 થયાં

અમદાવાદઃ ભારતીય બુલિયન માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે.  અમદાવાદ ખાતે સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચતા 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 75000 પહોચ્યો છે. જ્યારે ચાંદીના ભાવ કિલોના 83000 આસપાસ રહ્યો હતો. અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 વધીને રૂપિયા 75,000 થયો છે. જ્યારે સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 […]

કોંગ્રેસના ઉમેદવારો ક્યારે ફોર્મ ભરશે જાણો, બાકીના ઉમેદવારો પણ જાહેર કરાયા

અમદાવાદઃ કોંગ્રેસે શનિવારે રાત્રે ગુજરાતના લોકસભાની ચૂંટણી માટેના બાકી રહેલા ચાર બેઠકોના ઉમેદવારોના નામ તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના પાંચ ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જેમાં મહેસાણા લોકસભાની બેઠક માટે રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક માટે હિંમતસિંહ પટેલ, તથા રાજકોટ લોકસભાની બેઠક માટે પરેશ ધાનાણી અને નવસારી લોકસભાની બેઠક માટે  નૈષધ દેસાઇને ટિકિટ આપી છે. […]

અરૂણ ગોવિલ આગામી દિવસોમાં ફિલ્મ જગતમાં એક્ટિવ રહે છે કે કેમ તેની ઉપર પ્રશંસકોની નજર

મુંબઈઃ રામાનંદ સાગરની ફેમસ સીરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બનેલા એક્ટર અરુણ ગોવિલ હાલ પોતાની નવી ભૂમિકા એટલે કે રાજનીતિને લઈને ચર્ચામાં છે. આનાથી તે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, તેમણે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તે રાજકારણની સાથે એક્ટિંગમાં પણ સક્રિય રહેશે કે નહીં. બીજી તરફ એવી ચર્ચા થઈ […]

બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરાઈ અને પ્રચારના શ્રીગણેશ કયાઁ

ખેડબ્રહ્મા: આજે 14 એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની જન્મજયંતિ પ્રસંગે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ખેડબ્રહ્મા ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં પ્રચારના શ્રીગણેશ કયાઁ હતા. ખેડબ્રહ્મા શહેરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાની સાથે રાજયસભાના સાંસદ અને સ્ટાર પ્રચારક રમીલાબેન […]

કેસર કેરીમાં પ્રતિકૂળ વાતાવરણને લીધે ઉત્પાદન ઘટ્યું, કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડશે

 ભાવનગરઃ ગુજરાતમાં તલાલા-ગીર, ઊના, અમરેલીના ધારી, ચલાલા તેમજ ગોહિલવાડમાં તળાજા-મહુવા સહિતના વિસ્તારો, કચ્છ તથા નલસારી અને વાપી-વલસાડ સહિતના વિસ્તારોમાં કેરીના અનેક બગીચાઓ આવેલી છે. આ વખતે પ્રતિકૂળ વાતાવરણને કારણે ધારણા મુજબ કેરીનો પાક થયો નથી. એટલે કેરીનું ઉત્પાદન ઘટતા ભાવમાં વધારો થયો છે. એટલે કેરીનો સ્વાદ માંઘો પડશે. ભાવનગર જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર […]

IPL 2024માં આ પાંચ અનકેપ્ટ ખેલાડીઓએ પોતાની રમતથી ક્રિકેટ પ્રેમીઓના જીત્યા દિલ

મુંબઈઃ દેશમાં હાલ આઈપીએલ ચાલી રહી છે આઈપીએલ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ વધ્યો છે. બીજી તરફ આઈપીએલ 2024માં ભારતીય અનકેપ્ડ ખેલાડીઓએ પ્રભુત્વ જમાવ્યું છે. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગે IPL 2024માં શાનદાર બેટિંગ કરી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં રિયાન પરાગે 5 મેચમાં 158.18ના સ્ટ્રાઈક રેટથી 261 રન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code