બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરાઈ અને પ્રચારના શ્રીગણેશ કયાઁ
ખેડબ્રહ્મા: આજે 14 એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની જન્મજયંતિ પ્રસંગે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ખેડબ્રહ્મા ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં પ્રચારના શ્રીગણેશ કયાઁ હતા.
ખેડબ્રહ્મા શહેરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયાની સાથે રાજયસભાના સાંસદ અને સ્ટાર પ્રચારક રમીલાબેન બારાએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. સાથે સાબરકાંઠા જીલ્લા મહામંત્રી લુકેશ સોલંકી સહીત સંગઠનના પદાધિકારીઓ જોડયા હતા.
ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની જન્મજયંતિ પ્રસંગે સાંસદ રમીલાબેન બારાએ ડૉ. બાબાસાહેબને પુષ્પાંજલી અર્પણ કરતા જણાવેલ કે, બાબાસાહેબે કરેલ કાયોઁ અને તેમના આદશોઁ જન જન સુધી પહોચે તેવા પ્રયત્નો સાથે સૌ બંધારણને અનુસરવા અપીલ કરી હતી અને સાબરકાંઠા લોકસભા બેઠક પરથી એક કમળ નરેન્દ્ર મોદીને સમપિઁત કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા અને શહેરના ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાયઁકરો અને નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.