1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન ગુજરાત ભાજપના સાંસદોને મળ્યા

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે એનડીએ-ભાજપાના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને વિપક્ષના ઉમેદવાર નિવૃત્ત ન્યાયમૂર્તિ બી.સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. તેમજ એનડીએ અને વિપક્ષ દ્વારા પોત-પોતાના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવી રહ્યાં છે. દરમિયાન એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન ગુજરાત ભાજપના સાંસદોને મળ્યાં હતા. તેમજ તેમની સાથે સંવાદ કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ પદથી […]

ગોવા અને હરિયાણામાં નવા રાજ્યપાલ અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની નિમણુંક

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે બે રાજ્યોના રાજ્યપાલ અને એક કેન્દ્રશાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પુષ્પાપતિ અશોક ગજપતિ રાજુને સોમવારે ગોવાના રાજ્યપાલ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કવિંદર ગુપ્તાને લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રોફેસર અસીમ કુમાર ઘોષ હરિયાણાના […]

ઉત્તરપ્રદેશઃ સમાજવાદી પાર્ટીએ ત્રણ બળવાખોર ધારાસભ્યોને પાર્ટીમાંથી હટાવ્યાં

લખનૌ: સમાજવાદી પાર્ટી (SP) ના ત્રણ બળવાખોર ધારાસભ્યો, અભય સિંહ, રાકેશ પ્રતાપ સિંહ અને મનોજ કુમાર પાંડેને સોમવારે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ગોસાઈગંજના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અભય સિંહ, ગૌરીગંજના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહ અને ઊંચહારના ધારાસભ્ય મનોજ કુમાર પાંડે પર શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) ને ખુલ્લેઆમ સમર્થન આપવાનો આરોપ છે. પાર્ટીએ […]

આપણે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ ના મંત્ર સાથે આગળ વધ્યા અને સફળ રહ્યા: નડ્ડા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં જેપી નડ્ડાએ કહ્યું, “વિકસિત ભારત અને અમૃત કાલ માટે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં 11 વર્ષ સુધી કરવામાં આવેલ કાર્ય સુવર્ણ અક્ષરોમાં લખવું જોઈએ. કારણ કે કરવામાં આવેલ કાર્ય અકલ્પનીય અને અનોખું છે અને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રધાનમંત્રી મોદીએ દેશમાં રાજકારણની સંસ્કૃતિ કેવી રીતે બદલી છે.” જેપી […]

પહેલગામ હુમલા મુદ્દે કોંગ્રેસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગણી કરી, ખડગેએ PM મોદીને પત્ર લખ્યો

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે જેથી આતંકવાદ સામે સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિ વ્યક્ત કરી શકાય. પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખીને આ વિનંતી કરી છે. આ પત્ર શેર કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે […]

આમ આદમી પાર્ટીને મજબુત બનાવવા માટે કવાયત, ચાર રાજ્યમાં પ્રભારીની નિમણુંક

નવી દિલ્હીઃ દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ભારે ધોવાણ થયું હતું. ઉત્તર ભારતમાં આમ આદમી પાર્ટીને વધારે મજબુત બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ચાર રાજ્યોમાં પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. મનિષ સિસોદિયાને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ (પીએસી) ની બેઠક યોજાઈ હતી. આમાં, […]

રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજની ચર્ચા ઉપર અમિત શાહે TMC સાંસદને આડેહાથ લીધા

નવી દિલ્હીઃ રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ટીએમસી સાંસદ સાકેત ગોખલેને ઠપકો આપ્યો હતો. વાસ્તવમાં, ગૃહ મંત્રાલય પર ચર્ચા દરમિયાન, સાકેત ગોખલેએ ED અને CBIનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે અમિત શાહે કહ્યું કે, ગૃહ મંત્રાલય પર ચર્ચા થઈ રહી છે પરંતુ સાકેત ગોખલે ED અને CBI પર […]

ભાજપ સ્થળોના નામ બદલવાનું અને ભ્રમ ફેલાવવાનું કામ કરે છેઃ શિવપાલ યાદવ

લખનૌઃ સમાજવાદી પાર્ટી (SP) ના મહાસચિવ અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શિવપાલ સિંહ યાદવે ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતો વિશે વાત કરવાને બદલે નામ બદલી રહી છે અને ભ્રમ ફેલાવી રહી છે. વિધાન ભવનમાં પત્રકારો સાથે વાત કરતા શિવપાલ યાદવે કહ્યું કે યોગી […]

કૉંગ્રેસ નેતા હિમાની નરવાલનો મૃતદેહ સુટકેસમાંથી મળ્યો, ઉચ્ચ સ્તરીય તપાસની માંગ

નવી દિલ્હીઃ હરિયાણાના રોહતકથી એક મોટા સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલની હત્યા કરવામાં આવી છે. મહિલા નેતાનો મૃતદેહ એક સુટકેસમાંથી મળી આવ્યો છે. મહિલા નેતાની હત્યાનો મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસે કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર ભાજપ સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસ પાર્ટીએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે હરિયાણાના […]

નીતિશ-ભાજપ સરકારે 20 વર્ષમાં બે પેઢીઓનું જીવન બરબાદ કર્યું: તેજસ્વી યાદવ

પટનાઃ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારે 20 વર્ષમાં બે પેઢીઓનું જીવન બરબાદ કરી દીધું છે. તેજસ્વી યાદવે કટાક્ષ કર્યો હતો કે, બિહારમાં 15 વર્ષ જૂના વાહનો ચલાવવાની મંજૂરી નથી કારણ કે તે વધુ ધુમાડો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code