1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મહિલા અધિકારનો વિરોધ કરનારાઓને નારીશક્તિએ ક્યારેય માફ કર્યા નથીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ‘નારી શક્તિ વંદન વિધેયક’ (મહિલા અનામત બિલ) પર પોતાનું વક્તવ્ય રજૂ કરતા વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જે જે રાજકીય પક્ષોએ મહિલાઓને તેમના અધિકાર આપવામાં અવરોધ ઊભો કર્યો છે, દેશની મહિલાઓએ તેમને ક્યારેય માફ કર્યા નથી અને ચૂંટણીઓમાં […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે પક્ષની પ્રચાર સામગ્રી-સાહિત્યનું નિદર્શન

ગાંધીનગર, 15 એપ્રિલ, 2026 – સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપાની ચૂંટણી પ્રચાર સામગ્રી અને સાહિત્યનું આજે નિદર્શન કરવામાં આવ્યું હતું. પક્ષના મીડિયા વિભાગની એક અખબારી યાદી જણાવ્યા મુજબ, પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલે પત્રકાર પરિષદ સંબોધતા આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં જનતા તરફથી ભારતીય જનતા પાર્ટીને વિશાળ જનસમર્થન મળી […]

રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પંજાબ સરકારે પાછી ખેંચી, કેન્દ્રએ આપી ઝેડ સિક્યુરિટી

નવી દિલ્હી, 15 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. પંજાબની ભગવંત માન સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી લેતા જ કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલું ભરી તેમને ‘ઝેડ’ કેટેગરીનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે […]

બિહારમાં નવા યુગનો પ્રારંભ: સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

પટના, 15 એપ્રિલ 2026: બિહારના રાજકારણમાં આજે એક ઐતિહાસિક પલટો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીએ આજે બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પટના સ્થિત લોક ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં તેમણે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. બિહારના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી પદ […]

બિહારના રાજકારણમાં નવો અધ્યાય: કપૂરી ઠાકુર પછી સમ્રાટ ચૌધરી DyCM બાદ CM બન્યાં

પટણા, 14 એપ્રિલ 2026: બિહારના રાજકીય ફલક પર એક મોટું પરિવર્તન આવી રહ્યું છે. સમ્રાટ ચૌધરી બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ તેમણે રાજ્યના રાજકારણમાં દાયકાઓ જૂના એક એવા મિથકને તોડી નાખ્યું છે, જે અત્યાર સુધી માત્ર જન નાયક કપૂરી ઠાકુરના નામે હતું. સમ્રાટ ચૌધરી બિહારના બીજા એવા […]

સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે

પટણા, 14 એપ્રિલ 2026: નીતિશ કુમાર રાજ્યસભાના સભ્ય બનતા તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. જેથી છેલ્લા કેટલાક સમયથી બિહારના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી. આ ચર્ચાઓનો આજે અંત આવી ગયો છે. એનડીએના ધારાસભ્યદળની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. દરમિયાન ઉપેન્દ્ર કુશવાહા સહિતના આગેવાનોએ સમ્રાટ ચૌધરીને […]

અમરેલીમાં ભાજપ-કોંગ્રેસે એક જ પરિવારને ટિકિટ આપતા દેરાણી-જેઠાણી વચ્ચે જામ્યો જંગ

અમરેલી, 13 એપ્રિલ 2026: Election battle between Derani-Jethani ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના મામલે દરેક પક્ષમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ જાણીતા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અમરેલીમાં વોર્ડ નંબર-9માં દેરાણી-જેઠાણી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસે એક જ પરિવારના દેરાણી-જેઠાણીને ટિકિટ આપી છે. એટલે બન્ને […]

ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષ દૂર કરવાના પ્રયાસો પણ કાર્યકર્તા માનતા નથી

અમદાવાદ, 13 એપ્રિલ 2026: BJP workers are also not accepting attempts to remove discontent among them. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટની વહેચણી બાદ કાર્યકર્તાઓમાં ઠેર ઠેર અસંતોષની આગ ભભૂકી ઊઠી છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આંતરિક વિખવાદ પક્ષના નેતાઓને દઝાડી રહ્યો છે. ભાજપને પ્રદેશ અને જિલ્લા આગેવાનોને દોડીને ઠેર ઠેર ડેમેજ કન્ટોલના પ્રયાસો શરૂ કર્યા […]

હોર્મુઝની ખાડીમાં નાકાબંધીની ટ્રમ્પની જાહેરાત સામે ચીને વ્યક્ત કરી નારાજગી

બેઇજિંગ, 13 એપ્રિલ 2026: ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલેલી 21 કલાકની મેરેથોન બેઠક નિષ્ફળ રહ્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી હોર્મુઝની ખાડીમાં આજથી (13 એપ્રિલ) સૈન્ય નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાન અને ચીન તરફથી આકરા પ્રતિભાવો સામે આવ્યા છે, […]

વૈશ્વિક તણાવ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે: રક્ષા મંત્રી રાજનાથ સિંહ

લખનૌ, 13 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભયાનક તણાવની વચ્ચે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે દેશની જનતાને મોટી રાહત આપતા મહત્વની જાહેરાત કરી છે. લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભલે ગમે તેટલું મોટું વૈશ્વિક સંકટ આવે, પરંતુ ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં કોઈ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code