1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

શરદ પવાર અને સુપ્રિયા સુલેએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: સંસદના ચાલુ ચોમાસા સત્ર દરમિયાન આજે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અને બારાામતીના સાંસદ સુપ્રિયા સુલેએ સંસદ ભવન પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વર્તમાન રાજકીય પરિસ્થિતિ, સંસદની કાર્યવાહી અને દેશભરમાં યુવાનો દ્વારા ઉઠાવવામાં આવી રહેલા વિદ્યાર્થીઓના ગંભીર મુદ્દાઓના સંદર્ભમાં આ મુલાકાતને અત્યંત […]

સોનમ વાંગચુક સાથે જે.પી.નડ્ડા અને જીતેન્દ્રસિંહની મુલાકાત, વિદ્યાર્થીઓના હિત મામલે ચર્ચા

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ છેલ્લા 24 થી 25 દિવસથી અનશન પર બેઠેલા પ્રખ્યાત પર્યાવરણવાદી અને કાર્યકર્તા સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલથી ગુરુગ્રામની ખ્યાતનામ મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલના ICU-8 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાક્રમ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે મેદાંતા હોસ્પિટલ […]

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સહિતના મુદ્દે સંસદમાં હોબાળો, રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ

નવી દિલ્હી, 22 જુલાઈ 2026: સંસદના ચાલુ સત્રમાં આજે કાર્યવાહીની શરૂઆત સાથે જ ભારે હંગામો જોવા મળ્યો હતો. રાજ્યસભામાં સદનની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ સૌપ્રથમ દિવંગત સભ્યો અને અન્ય મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શોક સંદેશ વાંચવામાં આવ્યા હતા. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ પોતાની પૂર્વ-નિર્ધારિત માંગણીઓ અને મુદ્દાઓ પર તુરંત ચર્ચા શરૂ કરવાની માંગણી કરી […]

સંસદના ચોમાસું સત્રમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે ભારે હોબાળો, બંને ગૃહ સ્થગિત

નવી દિલ્હી, 21 જુલાઈ 2026: સંસદના ચોમાસું સત્રના બીજા દિવસે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પ્રશ્નપત્ર લીકના મુદ્દે વિપક્ષી સાંસદોએ સંસદના બંને ગૃહોમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર અને હોબાળો શરૂ કરી દીધો હતો, જેના કારણે ગૃહ સંચાલનમાં ભારે વિઘ્ન ઊભું થયું હતું. પરિણામે, બંને […]

પશ્ચિમ એશિયામાં યુદ્ધના સંકટ વચ્ચે પણ ભારત 7.7%ના ગ્રોથ રેટ સાથે આગળ વધ્યું: PM મોદી

નવી દિલ્હી, 20 જુલાઈ 2026: સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાં મીડિયાને સંબોધિત કરતા દેશની આર્થિક તાકાત, યુવાનોના કૌશલ્ય અને વૈશ્વિક પડકારો વિશે મહત્વપૂર્ણ વાત કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બનીને ઉભરી આવ્યું […]

મોદી સરકારની મોટી વ્યૂહરચના: બંધારણ સુધારા બિલ માટે વિપક્ષી દળોનું થ્રી-લેયર પ્લાનિંગ, DMK અને NCP પર નજર

ચોમાસુ સત્રમાં પરિસીમન અને મહિલા અનામત બિલ પસાર કરાય તેવી શકયતા સરકારની 2/3 બહુમતી મેળવવાની કવાયત તેજ નવી દિલ્હી, 15 જુલાઈ 2026: આગામી ચોમાસુ સત્રમાં પરિસીમન અને મહિલા અનામત સંબંધિત મહત્વપૂર્ણ બંધારણીય સુધારા વિધેયકને પસાર કરાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની રણનીતિને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. સંસદમાં ગૃહની વર્તમાન સ્થિતિ મુજબ બે તૃતીયાંશ […]

ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ

‘વિકસિત ભારત-2047’ના સંકલ્પને સાકાર કરવા પ્રદેશ ભાજપ યુવા મોરચાની નવી કાર્યયોજનાની જાહેરાત યુવા મોરચાનો દરેક કાર્યકર માત્ર રાજકીય કાર્યકર નહીં, પરંતુ સમાજ પરિવર્તનનો સશક્ત દૂત છે— પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં […]

શેખ હસીના બાંગ્લાદેશ પાછા તો ફરશે, પણ તેમને ડર છે કે…

નવી દિલ્હી, 10 જુલાઈ, 2026 – Sheikh Hasina will return to Bangladesh બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ મોટી જાહેરાત કરી છે. તેમણે ઘોષણા કરી છે કે તેઓ અવામી લીગના અન્ય નિર્વાસિત નેતાઓ સાથે ડિસેમ્બરની આસપાસ સ્વેચ્છાએ બાંગ્લાદેશ પરત ફરવાનો ઈરાદો ધરાવે છે, પછી ભલે સ્વદેશ જવાથી તેમને ધરપકડ કે નુકસાનનો સામનો કરવો પડે. એક ઈન્ટરવ્યુમાં શેખ […]

બંગાળમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન: ચૂંટણી પંચની જાહેરાત

કોલકાતા, 6 જુલાઈ 2026: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ત્રણ રાજ્યસભા સાંસદોએ આપેલા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકો પર ભારતીય ચૂંટણીપંચે પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, આ ત્રણેય મહત્વની બેઠકો પર આગામી 24 જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના […]

બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદ, 4 જુલાઈ, 2026 – બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને AICC ના મંત્રી ગુજરાત સહ પ્રભારી શ્રી રામકિશન ઓઝાની ઉપસ્થિતિમાં બારેજા નગરપાલિકાના સદસ્ય શ્રીમાળી પ્રવિણાબેન સંજય કુમાર, સનાભાઇ હમીરભાઇ તડવી( ચેરમેન ન્યાય સમિતિ), […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code