1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ગુજરાત ભાજપમાં કારોબારી સભ્યો તથા વિશેષ આમંત્રિત સભ્યોની જાહેરાતઃ જુઓ સમગ્ર યાદી

ગાંધીનગર, 19 જાન્યુઆરી, 2026 – Gujarat BJP ગુજરાત ભાજપ દ્વારા આજે 19 જાન્યુઆરીને સોમવારે પ્રદેશ કારોબારી સભ્યો તથા વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. પક્ષ દ્વારા જારી એક અખબારી યાદી અનુસાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા આ નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. પક્ષના પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે આ અંગે જણાવ્યું કે, ભાજપના બંધારણ […]

વસુધૈવ કુટુમ્બકમ કોન્ક્લેવમાં યુવાનોએ કરી ચર્ચા-વિચારણાઃ મોડેલ યુનાઈટેડ નેશન્સ કેવું હોય? 

કોન્ક્લેવમાં ચોથા દિવસે પ્રાચીન રાજનીતિ, વૈશ્વિક શાસન અને યુવા રાજદ્વારી વિષયો પર મંથન મુંબઈ, 19 જાન્યુઆરી 2026: Model United Nations મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર’ કોન્ક્લેવ અને પ્રદર્શનના ચોથા દિવસે શાસન, રાજદ્વારી સંબંધો અને માનવીય સભ્યતાની વ્યવસ્થા પર વ્યાપક બૌદ્ધિક ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમો તેમજ ચર્ચામાં વિદ્યાર્થીઓ તથા યુવા નેતાઓ પણ […]

પશ્ચિમ બંગાળ: ભાજપ-TMCના કાર્યકરો વચ્ચે અથડામણ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કોલકાતા, 19 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન ભારત અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન પશ્ચિમ બંગાળના પૂર્વી બર્ધમાન જિલ્લામાં આવેલા કાલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDO) ની કચેરી સામે સોમવારે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. મતદાર યાદી સંબંધિત ‘ફોર્મ 7’ જમા કરાવવા મુદ્દે ભાજપ અને તૃણમૂલ […]

ગુજરાત ભાજપ અધ્યક્ષે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં હિંસાને વખોડી કાઢી, જાણો શું કહ્યું?

TMC એટલે T= તુષ્ટિકરણની રાજનીતિ, M= માફિયા તેમજ ગુંડારાજ અને C= ક્રાઈમ કલ્ચરઃ જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026ઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળ અને પંજાબની હિંસક ઘટનાઓને વખોડી કાઢતા બંને રાજ્ય સરકારની નીતિ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ […]

VIDEO: કોંગ્રેસના ધારાસભ્યનો બફાટઃ બળાત્કારીઓનો બચાવ કરવા આપ્યા ઘૃણાસ્પદ તર્ક, જાણો શું કહ્યું?

ભોપાલ, 17 જાન્યુઆરી, 2026: Congress MLA defend rapists મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાના એક વિવાદાસ્પદ નિવેદને રાજકીય તોફાન ઊભું કર્યું છે. ભાજપે આ નિવેદનને બળાત્કાર જેવા ગંભીર ગુનાનું જોખમી રીતે સરળીકરણ અને અત્યંત “પ્રદૂષિત” અને “વિકૃત” માનસિકતા ગણાવીને તેની સખત શબ્દોમાં ટીકા કરી છે. શું છે સમગ્ર વિવાદ? એક મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન બરૈયાએ બળાત્કારના […]

હવે બંગાળમાં સુશાસન આવશે, પીએમ મોદીએ વ્યક્ત કર્યો દ્રઢ વિશ્વાસ

કોલકાતા, 17 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન તેમણે વિકાસના અનેક કામોનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કર્યું હતું. માલદામાં વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે, આજે ભારત 2027 સુધી વિકસિત થવાના લક્ષ્યાંક ઉપર કામ કરી રહ્યો છે, વિકસિત ભારતના નિર્માણ માટે પૂર્વીય ભારતનો વિકાસ પણ ખુબ જરૂરી છે. દશકો સુધી પૂર્વીય ભારતને નફરતની […]

મણિકર્ણિકા ઘાટ વિવાદઃ AI દ્વારા ભ્રમ ફેલાવાતો હોવાની સીએમ યોગીની સ્પષ્ટતા

વારાણસી, 17 જાન્યુઆરી, 2026: Manikarnika Ghat controversy ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 17 જાન્યુઆરી (શનિવાર) ના રોજ વારાણસીની મુલાકાતે પહોંચ્યા હતા. કાશીના મણિકર્ણિકા ઘાટના વિકાસકાર્યોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનો આ પ્રવાસ અત્યંત મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. સીએમ યોગીએ આ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક લોકો કાશીની વિરાસતને બદનામ કરવા માટે AI […]

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી: જાહેરનામું બહાર પડ્યું, જાણો ક્યારે થશે નવા સુકાનીની પસંદગી

નવી દિલ્હી, 16 જાન્યુઆરી, 2026: ભારતીય જનતા પાર્ટીએ તેના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે સત્તાવાર જાહેરનામું (Notification) બહાર પાડ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવીને પાર્ટીના ચૂંટણી અધિકારીઓએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ હવે પાર્ટી કોના હાથમાં કમાન સોંપશે, તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે. […]

DMK સાંસદ દયાનિધિ મારનનો વધુ એક બફાટ, જાણો ઉત્તર ભારતની મહિલાઓ વિશે શું કહ્યું?

ચેન્નાઈ/નવી દિલ્હી, 14 જાન્યુઆરી, 2026: Another slur from DMK MP about women દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) ના સાંસદ દયાનિધિ મારનના વધુ એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ફરી એકવાર ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. ડીએમકે સાંસદ મારને ઉત્તર ભારતીય મહિલાઓની સરખામણી દક્ષિણ ભારતની મહિલાઓ સાથે કરતા અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી છે. શું […]

વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન, જાણો વિગતો અહીં

મુંબઈ, 13 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbakam Conclave 4.0 જ્યોત ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી આગામી ‘વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0’ યોજાઈ રહી છે. આ કાર્યક્રમ 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાશે. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શન હેઠળ આ કોન્ક્લેવનું આયોજન એવા ‘સંક્રમણ કાળ’માં કરવામાં આવી રહ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code