1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026 – મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સાથે જોડાયેલા બિલ પર મતદાન કરવામાં આવ્યું હતું. આ પહેલા મહિલા અનામત બિલ અને પરિસીમન બિલ પર લાંબી ચર્ચા ચાલી હતી અને વિપક્ષ દ્વારા આ બિલોનો સતત વિરોધ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને […]

હરિવંશ સિંઘ સતત ત્રીજીવાર રાજ્યસભાના ઉપસભાપતિ પદે બિનહરીફ ચૂંટાયા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 17 એપ્રિલ 2026: રાજ્યસભામાં શુક્રવારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં મનોનીત સભ્ય હરિવંશ નારાયણ સિંઘને ફરી એકવાર ગૃહના ઉપસભાપતિ તરીકે બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે. પત્રકારત્વમાંથી રાજકારણમાં આવેલા હરિવંશજીનો ઉપસભાપતિ તરીકે આ સતત ત્રીજો કાર્યકાળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિમણૂકને વધાવતા તેમને ઉષ્માભર્યા અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કાર્યશૈલીની રજૂઆત કરી હતી. હરિવંશજીની વરણી […]

ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશેઃ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીધામ, 16 એપ્રિલ, 2026 – ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે તેમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપા ઉમેદવારોના સમર્થનમાં કચ્છ જિલ્લાના અબડાસા અને ગાંધીધામ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’ને તેઓ સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કચ્છની વિકાસયાત્રા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વિશે ઉલ્લેખ […]

મહિલા અધિકારનો વિરોધ કરનારાઓને નારીશક્તિએ ક્યારેય માફ કર્યા નથીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ‘નારી શક્તિ વંદન વિધેયક’ (મહિલા અનામત બિલ) પર પોતાનું વક્તવ્ય રજૂ કરતા વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જે જે રાજકીય પક્ષોએ મહિલાઓને તેમના અધિકાર આપવામાં અવરોધ ઊભો કર્યો છે, દેશની મહિલાઓએ તેમને ક્યારેય માફ કર્યા નથી અને ચૂંટણીઓમાં […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે પક્ષની પ્રચાર સામગ્રી-સાહિત્યનું નિદર્શન

ગાંધીનગર, 15 એપ્રિલ, 2026 – સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપાની ચૂંટણી પ્રચાર સામગ્રી અને સાહિત્યનું આજે નિદર્શન કરવામાં આવ્યું હતું. પક્ષના મીડિયા વિભાગની એક અખબારી યાદી જણાવ્યા મુજબ, પ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલભાઈ પટેલે પત્રકાર પરિષદ સંબોધતા આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં જનતા તરફથી ભારતીય જનતા પાર્ટીને વિશાળ જનસમર્થન મળી […]

રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પંજાબ સરકારે પાછી ખેંચી, કેન્દ્રએ આપી ઝેડ સિક્યુરિટી

નવી દિલ્હી, 15 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. પંજાબની ભગવંત માન સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી લેતા જ કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલું ભરી તેમને ‘ઝેડ’ કેટેગરીનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે […]

બિહારમાં નવા યુગનો પ્રારંભ: સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

પટના, 15 એપ્રિલ 2026: બિહારના રાજકારણમાં આજે એક ઐતિહાસિક પલટો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીએ આજે બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પટના સ્થિત લોક ભવન ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં તેમણે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. બિહારના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી પદ […]

બિહારના રાજકારણમાં નવો અધ્યાય: કપૂરી ઠાકુર પછી સમ્રાટ ચૌધરી DyCM બાદ CM બન્યાં

પટણા, 14 એપ્રિલ 2026: બિહારના રાજકીય ફલક પર એક મોટું પરિવર્તન આવી રહ્યું છે. સમ્રાટ ચૌધરી બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ તેમણે રાજ્યના રાજકારણમાં દાયકાઓ જૂના એક એવા મિથકને તોડી નાખ્યું છે, જે અત્યાર સુધી માત્ર જન નાયક કપૂરી ઠાકુરના નામે હતું. સમ્રાટ ચૌધરી બિહારના બીજા એવા […]

સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાશે

પટણા, 14 એપ્રિલ 2026: નીતિશ કુમાર રાજ્યસભાના સભ્ય બનતા તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. જેથી છેલ્લા કેટલાક સમયથી બિહારના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી. આ ચર્ચાઓનો આજે અંત આવી ગયો છે. એનડીએના ધારાસભ્યદળની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. દરમિયાન ઉપેન્દ્ર કુશવાહા સહિતના આગેવાનોએ સમ્રાટ ચૌધરીને […]

અમરેલીમાં ભાજપ-કોંગ્રેસે એક જ પરિવારને ટિકિટ આપતા દેરાણી-જેઠાણી વચ્ચે જામ્યો જંગ

અમરેલી, 13 એપ્રિલ 2026: Election battle between Derani-Jethani ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના મામલે દરેક પક્ષમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ જાણીતા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અમરેલીમાં વોર્ડ નંબર-9માં દેરાણી-જેઠાણી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસે એક જ પરિવારના દેરાણી-જેઠાણીને ટિકિટ આપી છે. એટલે બન્ને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code