1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મમતા બેનર્જીને કોંગ્રેસ-ડાબોરીએનો ઈન્કાર, સંયુક્ત મોરચો બનાવવા કરી હતી અપીલ

કોલકાતા, 11 મે 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભાજપ વિરુદ્ધ સંયુક્ત મોરચો બનાવવાની મમતા બેનર્જીની અપીલને કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ સ્પષ્ટપણે નકારી કાઢી છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કોંગ્રેસ, સીપીએમ અને અન્ય ડાબેરી પક્ષોને ભાજપ વિરુદ્ધ એક થવા આહવાન કર્યું હતું, પરંતુ વિપક્ષી નેતાઓએ આ પહેલને પાયાવિહોણી ગણાવી છે. કોંગ્રેસના […]

ભવાનીપુરથી મમતા બેનર્જીની હાર થતા પીએ ચંદ્રનાથની હત્યા કરાઈઃ શુભેન્દુ અધિકારી

કોલકાતા, 7 મે 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ હિંસના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષાદળોએ હિંસાને અટકાવવા માટે કવાયત વધારે તેજ બનાવી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યાને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, ચંદનાથ રથની હત્યા એટલા માટે થઈ કે મે […]

અસમ: 12 મેએ મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ યોજાશે

નવી દિલ્હી, 7 મે 2026: અસમમાં નવી સરકારના શપથગ્રહણ સમારોહ 12 મેના આયોજીત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ગુવાહાટીના ખાનાપારામાં વેટનરી ફિલ્ડમાં યોજાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ તથા ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સામેલ થઈ શકે છે. તેમ રાજ્યના મુખ્ય સચિવ રવિ કોટાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું […]

પશ્ચિમ બંગાળ: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા કરાતા તણાવ, TMC ઉપર આરોપ

નવી દિલ્હી, 7 મે 2026: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામ (બારાસત વિસ્તાર) માંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ચકચાર […]

બંગાળમાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં CMનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, શુક્રવારે ધારાસભ્યદળની બેઠક

કોલકાતા, 6 મે 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક બહુમતી મેળવ્યા બાદ હવે ભાજપ દ્વારા નવી સરકારના ગઠન માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ 9 મેના રોજ કોલકાતાના પ્રતિષ્ઠિત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ લેશે. આ તારીખની પસંદગી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જયંતિ નિમિત્તે કરવામાં આવી છે, જે […]

ભારત અને વિયેતનામ વચ્ચે આધુનિક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત, 13 મહત્વના કરાર પર હસ્તાક્ષર

નવી દિલ્હી, 6 મે 2026: ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે હૈદરાબાદ હાઉસમાં ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ ભારત અને વિયેતનામના સંબંધોને નવા સ્તરે લઈ જવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બંને દેશો હવે ‘આધુનિક […]

તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: વિજયની TVKને કોંગ્રેસનું સમર્થન, સ્ટાલિને વ્યક્ત કરી નારાજગી

ચેન્નાઈ, 6 મે 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ (ટીવીકે) ને સરકાર બનાવવા માટે કોંગ્રેસે સમર્થન જાહેર કરતા મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસના આ પગલાથી દ્રમુક (ડીએમકે) છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્ટાલિને તેને ગઠબંધન ધર્મ સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો […]

પશ્ચિમ બંગાળ માટે અમિત શાહ અને આસામ માટે જે.પી. નડ્ડાની નિરીક્ષક તરીકે નિમણૂક

નવી દિલ્હી, 5 મે 2026: ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડ દ્વારા આગામી રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે મહત્વના રાજ્યો માટે નિરીક્ષકો (ઓબ્ઝર્વર્સ) ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળ અને આસામ જેવા મહત્વના રાજ્યો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બંગાળમાં અમિત શાહ અને અસમમાં નેતાની પસંદગી માટે જે.પી.નડ્ડાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પશ્ચિમ […]

તમિલનાડુમાં પરાજ્ય બાદ સ્ટાલિનએ CM પદેથી રાજીનામુ આપ્યું, વિપક્ષની જવાબદારી નિભાવશે

ચેન્નાઈ, 5 મે 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સત્તારૂઢ ડીએમકેના પ્રમુખ એમ.કે. સ્ટાલિને મંગળવારે મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પોતાનો રાજીનામું પત્ર રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને મોકલી આપ્યો છે. 23 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં અભિનેતા વિજયની પાર્ટી ‘ટીવીકે’ એ ડીએમકેને પછાડીને […]

બંગાળને 9 મેએ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી મળશે, શપથવિધિ સમારોહ યોજાશે

કોલકાતા, 5 મે 2026: પશ્ચિમ બંગાળમાં ભાજપાની ભવ્ય જીત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. બીજી તરફ ભાજપા દ્વારા પશ્ચિમ બંગાલ, અસમ અને પુંડુચેરમાં નવી સરકાર બનાવવા માટે કવાયત તેજ બનાવી છે. દરમિયાન આગામી 9 મેના રોજ ભાજપના પ્રથમ મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ યોજાશે તેમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code