1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મમતા બેનર્જીએ ચૂંટણીપંચની કામગીરી સામે વ્યક્ત કરી નારાજગી, કાર્યકરોને કરી ખાસ અપીલ

કોલકાતા, 4 મે 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને બંગાળમાં સત્તાપરિવર્તન થાય તેવી શકયતા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપાની સરકાર બનતી જોવા મળી રહી છે દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણીપંચની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી છે તેમજ પાર્ટીના કાર્યકરો અને નેતાઓને ખાસ અપીલ કરતી પોસ્ટ સોશિયલ […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ, એક સમીક્ષા

રિવોઈ ન્યૂઝ, 2 મે, 2026 – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવ્યે ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે. જીતેલા ઉમેદવારોને અભિનંદન અને હારેલા ઉમેદવારોને આશ્વાસનની પરંપરાગત વિધિ પણ હવે લગભગ પૂરી થઈ ગઈ છે. દરેક ચૂંટણી અને દરેક પરિણામ કેટલીક અસરો છોડી જતી હોય છે જેની ભાગ્યે જ ચર્ચા થાય છે. કેટલાક એવાં વ્યક્તિત્વ અને પાત્રો […]

26-બાપુનગર વોર્ડમાં મતગણતરીના આંકડા બાબતે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો

અમદાવાદ, 30 એપ્રિલ, 2026 – 26-બાપુનગર વોર્ડમાં મતગણતરીના આંકડા બાબતે કોંગ્રેસના ઉમેદવારે વાંધો ઉઠાવીને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. કોંગ્રેસના ઉમેદવાર નાગજીભાઈ સાગરભાઈ દેસાઈએ સંબંધિત ચૂંટણી અધિકારીને પત્ર લખીને મત ગણતરી દરમિયાન અને ત્યારબાદ જાહેર કરવામાં આવેલા આંકડામાં વિસંગતી હોવાની રજૂઆત કરી છે. પત્રમાં શું લખ્યું સાગરભાઈએ? નમસ્તે, વિષય :- ગત ૨૮-૦૪-૨૦૨૬ ના રોજ […]

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

પંજાબમાં આપ સરકાર સંકટમાં, ગમે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લદાઈ શકે છે: કોંગ્રેસનો દાવો

ચંદીગઢ 30 એપ્રિલ 2026: ગુરદાસપુરના કોંગ્રેસી સાંસદ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ પંજાબની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે સ્ફોટક દાવો કર્યો છે. ચંદીગઢમાં એક પત્રકાર પરિષદને સંબોધતા રંધાવાએ જણાવ્યું હતું કે, પંજાબની આમ આદમી પાર્ટી (આપ) સરકાર અત્યારે ગંભીર સંકટમાં છે અને આગામી સમયમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. […]

મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું, સત્તાની ચાવી હવે કઈ તરફ વળશે?

ભાજપે જીત્યું અરવલ્લી પણ મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો અરવલ્લી જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય દ્રશ્યને જીવંત બનાવી દીધું છે. જિલ્લા પંચાયત સ્તરે ભાજપે ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કરતાં 30 માંથી 18 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસ 12 બેઠકો સાથે પાછળ રહી છે. જિલ્લાની કમાન ભાજપના હાથમાં […]

“નરેન્દ્ર” થી “ભૂપેન્દ્ર” સુધી: આ ભાજપવાળાઓને આટલી હવા શેની છે..?

(ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોએ અમુક ચોક્કસ વર્ગને વિચલિત કરી દીધો છે. તેઓ રાજકીય ઇતિહાસથી પૂરા પરિચિત નથી. ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોની કાર્યપદ્ધતિથી આ વર્ગ સદંતર અજાણ છે. તેઓ માત્ર સોશિયલ મીડિયા ફોરવર્ડ સંદેશાઓને આધારે પોતાના અભિપ્રાય ઘડે છે અને એવા અધૂરા-અધકચરા અભિપ્રાય અન્યત્ર ફેલાવતા રહે છે. લોકશાહીમાં આવું થવું સામાન્ય છે. એમાં […]

આ જીત ભાજપની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છેઃ ભૂપેન્દ્રભાઈ પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કર્યો ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – આ જીત ભાજપ સરકારની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષની જીત બાદ સાંજે શ્રીકમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ પ્રજાનો આભાર માન્યો હતો. આ પત્રકાર પરિષદને […]

મોડાસા નગરપાલિકામાં ૨૪ બેઠકો સાથે ભાજપનો વિજય અને સત્તામાં પુનરાગમન

હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો. મોડાસા નગરપાલિકામાં ફરીથી ભગવો લહેરાયો છે અને ૨૪ બેઠકો સાથે પક્ષનો ભવ્ય વિજય થવા સાથે અને સત્તામાં શાનદાર પુનરાગમન કર્યું છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોએ શહેરના રાજકીય દ્રશ્યને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે. લોકશાહીના આ મહાપર્વમાં મોડાસાની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ફરી વિશ્વાસ વ્યક્ત કરતાં […]

ગોધરાના સંપૂર્ણ મુસ્લિમ મતદારોના વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવાર વિજેતા

ગોધરા, 28 એપ્રિલ, 2026 –  ગોધરાના સંપૂર્ણ મુસ્લિમ મતદારોના વોર્ડમાં એક હિન્દુ મહિલા ઉમેદવારનો વિજય થયો હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે કેટલાક પરિણામ આશ્ચર્યજનક હોવાનું પણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ગોધરા શહેરના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ મહિલાએ વિજય પ્રાપ્ત કર્યો છે. આઝાદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code