1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

પંજાબમાં આપ સરકાર સંકટમાં, ગમે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લદાઈ શકે છે: કોંગ્રેસનો દાવો

ચંદીગઢ 30 એપ્રિલ 2026: ગુરદાસપુરના કોંગ્રેસી સાંસદ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ પંજાબની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે સ્ફોટક દાવો કર્યો છે. ચંદીગઢમાં એક પત્રકાર પરિષદને સંબોધતા રંધાવાએ જણાવ્યું હતું કે, પંજાબની આમ આદમી પાર્ટી (આપ) સરકાર અત્યારે ગંભીર સંકટમાં છે અને આગામી સમયમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. […]

મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું, સત્તાની ચાવી હવે કઈ તરફ વળશે?

ભાજપે જીત્યું અરવલ્લી પણ મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો અરવલ્લી જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય દ્રશ્યને જીવંત બનાવી દીધું છે. જિલ્લા પંચાયત સ્તરે ભાજપે ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કરતાં 30 માંથી 18 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસ 12 બેઠકો સાથે પાછળ રહી છે. જિલ્લાની કમાન ભાજપના હાથમાં […]

“નરેન્દ્ર” થી “ભૂપેન્દ્ર” સુધી: આ ભાજપવાળાઓને આટલી હવા શેની છે..?

(ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોએ અમુક ચોક્કસ વર્ગને વિચલિત કરી દીધો છે. તેઓ રાજકીય ઇતિહાસથી પૂરા પરિચિત નથી. ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોની કાર્યપદ્ધતિથી આ વર્ગ સદંતર અજાણ છે. તેઓ માત્ર સોશિયલ મીડિયા ફોરવર્ડ સંદેશાઓને આધારે પોતાના અભિપ્રાય ઘડે છે અને એવા અધૂરા-અધકચરા અભિપ્રાય અન્યત્ર ફેલાવતા રહે છે. લોકશાહીમાં આવું થવું સામાન્ય છે. એમાં […]

આ જીત ભાજપની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છેઃ ભૂપેન્દ્રભાઈ પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કર્યો ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – આ જીત ભાજપ સરકારની કામગીરી અને પક્ષના ટીમવર્કનું પરિણામ છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં કહ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષની જીત બાદ સાંજે શ્રીકમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રીએ પ્રજાનો આભાર માન્યો હતો. આ પત્રકાર પરિષદને […]

મોડાસા નગરપાલિકામાં ૨૪ બેઠકો સાથે ભાજપનો વિજય અને સત્તામાં પુનરાગમન

હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો. મોડાસા નગરપાલિકામાં ફરીથી ભગવો લહેરાયો છે અને ૨૪ બેઠકો સાથે પક્ષનો ભવ્ય વિજય થવા સાથે અને સત્તામાં શાનદાર પુનરાગમન કર્યું છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોએ શહેરના રાજકીય દ્રશ્યને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે. લોકશાહીના આ મહાપર્વમાં મોડાસાની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ફરી વિશ્વાસ વ્યક્ત કરતાં […]

ગોધરાના સંપૂર્ણ મુસ્લિમ મતદારોના વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવાર વિજેતા

ગોધરા, 28 એપ્રિલ, 2026 –  ગોધરાના સંપૂર્ણ મુસ્લિમ મતદારોના વોર્ડમાં એક હિન્દુ મહિલા ઉમેદવારનો વિજય થયો હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે ત્યારે કેટલાક પરિણામ આશ્ચર્યજનક હોવાનું પણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ગોધરા શહેરના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ મહિલાએ વિજય પ્રાપ્ત કર્યો છે. આઝાદી […]

મુખ્યમંત્રી સહિત ભાજપના ટોચના હોદ્દેદારો સાંજે ખાનપુર પહોંચી જીતની ઉજવણી કરશે

ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં સત્તાધારી ભાજપને લગભગ દરેક સ્તરે વિજય મળી રહ્યો છે ત્યારે હમણાં જ મળતા અહેવાલ અનુસાર આ જીતની ઉજવણી અમદાવાદમાં પક્ષના કાર્યાલય ખાનપુર ખાતે થશે. અહેવાલ અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત […]

ગુજરાતઃ ગણતરીના પ્રારંભિક કલાકોમાં સ્થાનિક સ્વરાજ્યના તમામ સ્તરે ભાજપ આગળ

ગાંધીનગર, 28 એપ્રિલ, 2026 – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. પ્રારંભિક ગણતરી બાદ આત્યાર સુધી જોવા મળી રહેલાં વલણોમાં સ્થાનિક સ્વરાજ્યનાં તમામ સ્તરે ભાજપના ઉમેદવારો કાંતો જીતી રહ્યા હોવાનું અથવા આગળ હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં 26 એપ્રિલને રવિવારે યોજાયેલી ચૂંટણીનાં પરિણામ આજે સવારથી આવી રહ્યાં છે. જે પૈકી 15 મહાનગર […]

ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમયઃ પીએમ મોદીએ બંગાળીઓને લખ્યો પત્ર

કોલકાતા, 27 એપ્રિલ, 2027 –  ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમય, એવા સબળ સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોના નામે એક પત્ર લખ્યો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાની પૂરી શક્તિ લગાવી દીધી છે. પીએમ મોદી સહિતના તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code