1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

કોંગ્રેસ દેશવાસીઓને પાકિસ્તાનના અણુ બોમ્બના નામે ડરાવવાનો પ્રયાસ કરે છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના ‘પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે’ના નિવેદનને લઈને આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વારંવાર પોતાના જ દેશને ડરાવવાની કોશિશ કરે છે, કહે છે સાવધાન રહો, પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે પાકિસ્તાનની હાલત એવી છે કે હવે […]

હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી ધર્મના આધારે આરક્ષણ નહીં થવા દઉઃ વડાપ્રધાન

પૂણેઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચાર માટે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચ્યા હતા. પીએમએ જનતાને સંબોધિત કરતા કહ્યું કે, અનામત બચાવવા માટે મોદી મહાન યજ્ઞ કરી રહ્યા છે. જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી હું ધર્મના આધારે એસસી, એસટી અને ઓબીસીને એક ટકો પણ અનામત નહીં આપવા દઉં. આરક્ષણને કોઈ સ્પર્શી શકશે નહીં. હું […]

‘કોંગ્રેસ પાકિસ્તાન અને આતંકવાદીઓ માટે ડિફેન્ડર બની ગઈ’, મણિશંકર ઐયરના નિવેદન પર ભાજપના પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાન તરફી પ્રેમ દર્શાવતું નિવેદન કરતા વિવાદ સર્જાયો છે. દરમિયાન ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ કહ્યું છે કે, કોંગ્રેસ પાકિસ્તાનનું પીઆર કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાકિસ્તાન અને પાકિસ્તાની આતંકવાદીઓને બચાવી રહી છે. મણિશંકર ઐયર અને સામ […]

સામ પિત્રોડાના નિવેદન અંગે PM મોદીએ નારાજગી વ્યક્ત કરી, કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ ભારતીયોને લઈને કરેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો છે. તેમજ આ મામલે કોંગ્રેસ ઉપર ભાજપા દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પિત્રોડાના નિવેદનને લઈને કોંગ્રેસને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પિત્રોડાના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ […]

100 વર્ષની ઉંમરમાં તમામ ચૂંટણીમાં અચૂક મતદાન કર્યું છે : શતાયુ સરસ્વતીબેન કાકાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર સવારથી મતદાન થઈ રહ્યું છે. દરમિયાન ગાંધીનગરના સેક્ટર 21માં રહેતા શતાતુ મતદાર સરસ્વતીબેન કાકાણીએ મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લીધો હતો. શતાયુ મતદાર સરસ્વતીબેન કાકાણીએ કહ્યું કે મે મારી 100 વર્ષની ઉંમરમાં કોઇપણ ચૂંટણીમાં બિનચૂક મતદાન કર્યું છે. મારી નૈતિક ફરજ અદા કરી છે. એપ્રિલ માસમાં એક સો […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 બેઠકો ઉપર છ કલાકમાં 38 ટકા મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો તથા ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન છ કલાકમાં લોકસભાની 25 બેઠકો ઉપર લગભગ 37.80 ટકા જેટલુ મતદાન થયું છે. જ્યારે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર પણ 36.09 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. મતદાનમાં વધારો થાય તે માટે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો […]

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડા ભાજપામાં જોડાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢ કોંગ્રેસના સિનિયર મહિલા નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ આજે તેઓ વિધિવત રીતે ભાજપામાં જોડાયાં હતા. તેમજ પોતાની સાથે કોંગ્રેસમાં થયેલા અયોગ્ય વર્તન મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડાએ ભાજપનો કેસરિયા ધારણ કર્યો છે. રાધિકા ખેડાએ બે દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાધિકા […]

કોંગ્રેસ-ઈન્ડી ગઠબંધનને રાષ્ટ્રીય હિતની પરવા નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભોપાલઃ મધ્ય પ્રદેશનાં ખરગોનમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધી સભા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું આજે વિકસિત ભારતના સંકલ્પ માટે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. નર્મદાના કિનારે રહેતા લોકો પૂછનારાઓને નિરાશ કરતા નથી અને હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તમારા એક મતે 500 વર્ષની રાહ પૂર્ણ  કરી અને ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવ્યું. આ માત્ર ટ્રેલર […]

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

અમદાવાદ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગે મતદાન શરૂ થયાના થોડા સમય બાદ મોદી અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં નિશાન પબ્લિક સ્કૂલમાં ઉભા કરાયેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કામાં બે કલાકમાં સરેરાશ 11 ટકા અને ગુજરાતમાં 10 ટકા મતદાન

ગાંધીનગરઃ ત્રીજા તબક્કામાં આજે 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે સવારના 9 કલાક સુધી સરેરાશ 10.81 ટકા મતદાન થયું છે. ગુજરાતમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયેલ છે. બનાસકાંઠાના સૌથી વધુ 12.28 ટકા મતદાન, બારડોલીમાં 11.54 ટકા ,સાબરકાંઠામાં 11.43 ટકા, દાહોદમાં 10.94 ટકા , જ્યારે અમદાવાદ પશ્ચિમમાં સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code