1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

બહેનનો અધિકાર છીનવી લીધો, સાળાના પણ ન થયા રાહુલ ગાંધીઃ મધ્યપ્રદેશના CMનો ટોણો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ગુના લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ મોહન યાદવે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું રાયબરેલી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરવું એ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિના અધિકારો છીનવી લેવા જેવું છે. રાહુલ ગાંધીએ પોતાની બહેનનો અધિકાર છીનવી લીધોઃ મોહન […]

લોકસભા ચૂંટણીઃ ગરમ હવામાનની સ્થિતિને પહોંચી વળવા માટેના ચૂંટણીપંચની ખાસ વ્યવસ્થા

ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનમાં થયેલા સામાન્ય ઘટાડાને દૂર કરવા માટે મતદાતાઓની  ભાગીદારીના હસ્તક્ષેપને બમણો કરી દીધી છે. અત્યાર સુધીમાં પ્રથમ તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે, જે ભારતમાં ચૂંટણીની ભાગીદારીના ઇતિહાસની તુલનાએ સૌથી સારું છે, પરંતુ 2019ના ઉચ્ચ માપદંડો કરતાં કંઈક અંશે પાછળ છે. ઇસીઆઈના […]

કોંગ્રેસ છોડનાર અરવિંદ સિંહ લવલી સહિત પાંચ નેતા ભાજપામાં જોડાયાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદ સિંહ લવલી સહિત પાંચ કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. લવલી ઉપરાંત રાજકુમાર ચૌહાણ, નીરજ બસોયા, અમિત મલિક અને નસીબ સિંહ પણ ભાજપમાં જોડાયા હતા. આ તમામને દિલ્હી પ્રદેશ વિરેન્દ્ર સચદેવા દ્વારા આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં સામેલ કરવામાં […]

પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. ત્યારે પક્ષ-વિપક્ષના દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.  ફરી એકવાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસે છે. આ પહેલા તેઓ વલસાડના પ્રવાસે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખાણીમાં વિશાળ જનમેદનીને સંબોધન કરી હતી. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ […]

25 વર્ષમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે મારા પર ભ્રષ્ટાચારનો કોઈ દાગ નથી લાગ્યોઃ PM મોદી

પલામુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકારના સર્જિકલ અને હવાઈ હુમલાએ પાકિસ્તાનને એટલું હચમચાવી દીધું છે કે પડોશી દેશના નેતાઓ હવે દુઆ કરી રહ્યા છે કે કોંગ્રેસના ‘રાજકુમાર’ ભારતના વડા પ્રધાન બને. પલામુમાં એક ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન આકરા પ્રહાર કર્યાં હતા, અને […]

રાહુલ ગાંધી ડરના કારણે રાયબરેલી ભાગી ગયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેમનો જન્મ જનતાની સેવા કરવા માટે થયો છે. તેમનું સ્વપ્ન માત્ર લોકોના સપના પૂરા કરવાનું છે. આ રેલીમાં પીએમ મોદીએ રાહુલ ગાંધીના રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડવાના નિર્ણય પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું […]

વોટ જેહાદની વાતમાં કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિ દેખાય છેઃ વડાપ્રધાન મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિત ઈન્ડિ ગઠબંધન પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમના વોટ જિહાદ મામલે આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, વોટ જિહાદની વાત કરનાર કોંગ્રેસની તૃષ્ટીકરણની નીતિ દેખાય છે. ગુજરાતમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપ પહેલાથી જ કહે છે કે, દેશની એકતા માટે […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાના મતદાન પહેલાં PM મોદીએ BJPના ઉમેદવારોને પત્ર લખ્યા

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં બે તબક્કામાં મતદાન યોજાયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ થશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીના ઉમેદવારોને પત્ર લખ્યો છે. પીએમ મોદીએ અમિત […]

અપરિપક્વ અને નબળા નેતૃત્વને કારણે વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૪)

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૯૮માં મમતા બેનરજીએ કોંગ્રેસ છોડી તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી. – ૨૦૧૧માં આંધ્રના મુખ્યમંત્રીના પુત્ર જગનમોહન રેડ્ડીએ કોંગ્રેસ છોડી YSR કોંગ્રેસની સ્થાપના કરી. – કોંગ્રેસી ધારાસભ્ય હિમંત બિશ્વ સરમાએ કોંગ્રેસ છોડી આસામના મુખ્યમંત્રી બન્યા. – ૨૦૧૪ પછી સાત કોંગ્રેસી પૂર્વમુખ્યમંત્રીઓએ કોંગ્રેસ છોડી. – ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં જુદા જુદા પ્રદેશોના ૧૭૦ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી. […]

લોકસભા ચૂંટણીઃ અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. તેમજ 1લી મેના રોજ પોતાનો પક્ષ રાખવા સુચન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પોતાનો મોબાઈલ ફોન લઈને આવવા કહેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code