1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કુલ 699 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીજંગ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સુધી કુલ 1522 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નામો પરત ખેંચવા અને ઉમેદવારી પત્રોની છટણી કર્યા બાદ હવે કુલ 699 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે. […]

દિલ્હી ચૂંટણીઃ હોળી-દિવાળીના તહેવારો પર દરેક પરિવારને ગેસ સિલિન્ડર મફત આપવાની ભાજપાની જાહેરાત

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે, તેના ચૂંટણી ઢંઢેરાના પ્રથમ ભાગને બહાર પાડ્યો. આમાં મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે.શુક્રવારે પાર્ટીના રાજ્ય કાર્યાલયમાં, મેનિફેસ્ટો સંબંધિત જાહેરાતો કરતી વખતે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે,” ભારતીય જનતા પાર્ટીનો  રાજ્યોમાં મહિલાઓને સશક્તિકરણ કરવાનો ટ્રેક રેકોર્ડ […]

દિલ્હી ચૂંટણીઃ મનીષ સિસોદિયાની જંગમ સંપત્તિ પાંચ વર્ષમાં આઠ ગણી વધી!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પંચ સમક્ષ પોતાનું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં સિસોદિયાએ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. સિસોદિયાએ સોગંદનામામાં લાખો રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે. ભાજપે મનીષ સિસોદિયા સામે તરવિંદર સિંહ મારવાહને મેદાનમાં ઉતાર્યા છે અને […]

દિલ્હી ચૂંટણી: કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. મતદાન 5 ફેબ્રુઆરીના રોજ થશે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન, ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. ત્રણેય પક્ષો એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી […]

ભવિષ્ય યુદ્ધમાં નહીં, પણ બુદ્ધમાં રહેલું છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ હાજર હતા. અહીં પીએમ મોદીએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ જીવંત ઉત્સવોનો સમય છે. પ્રયાગરાજમાં થોડા દિવસોમાં મહાકુંભ […]

જાટ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવા માટે કેજરિવાલે PM મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કેન્દ્રની OBC યાદીમાં દિલ્હીના જાટ સમુદાયનો સમાવેશ કરવા અંગે એક પત્ર લખવામાં આવ્યો છે. કેજરીવાલે લખ્યું કે, તમે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો છે. દિલ્હીમાં ઓબીસી દરજ્જો ધરાવતા જાટ અને અન્ય તમામ જાતિઓને કેન્દ્રની ઓબીસી […]

દિલ્હીમાં શીશમહેલ મામલે રાજકારણ ગરમાયું, સંજ્ય સિંહે પીએમ આવાસને લઈને કર્યાં પ્રહાર

નવી દિલ્હીઃ અંતિમ મતદાર યાદી જાહેર થયાના એક દિવસ બાદ ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. દિલ્હીમાં હવે સત્તા માટે રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે ગઈ કાલે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ […]

દિલ્હી ચૂંટણીઃ I.N.D.I.A માં ભંગાણ, SP બાદ હવે TMCએ પણ કોંગ્રેસને બદલે AAPને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધ્યું છે, ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણની શકયતાઓ જોવા મલી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપને હરાવી જોઈએ. ટીએમસી નેતા કુણાલ ઘોષે […]

નીતિશકુમાર મુદ્દે લાલુપ્રસાદ યાદવના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો

નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમાવો જોવામાં મળી રહ્યો છે. દરમિયાન ઈન્ડિ ગઠબંધનના સભ્ય અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રીને મિત્રતાની ઓફર કરી હોવાનું જાણવા મળે છે. મહાગઠબંધન માટે નિતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા હોવાના લાલુ યાદવના નિવેદનના પગલે બિહારના રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે. તેમજ વિવિધ પ્રકારની […]

દિલ્હી ચૂંટણીને લઈને પોસ્ટર વોર શરૂ, ભાજપાએ કેજરિવાલને ચૂંટણી હિન્દુ ગણાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપા અને આમ આદમી પાર્ટી એક-બીજા ઉપર વાર-પલટવાર કરી રહ્યાં છે. સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલએ પુજારી અને ગ્રંથી સમ્માન યોજનાની જાહેરાત કરી હતી. જેને લઈને મંગળવારે ભાજપાએ પૂર્વ મુખ્યમંત્રી કેજરિવાલ ઉપર કટાક્ષ કરતું પોસ્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code