1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

કોંગ્રેસની સરકાર આવશે તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને 30 લાખ સરકારી નોકરી આપશેઃ રાહુલ ગાંધી

જયપુરઃ લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પૂરોજોશમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના બિકાનેર અને જોધપુરમાં યોજી જનસભા. રાહુલ ગાંધીએ કહ્યું અમારી સરકાર આવે તો જાતિ આધારિત વસતી ગણતરી, આર્થિક અસમાનતાનો કરાવીશું સરવે, મહિલાઓને નોકરીમાં 50 ટકા અનામત મળશે. સાથે જ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો  30 લાખ સરકારી નોકરી […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન શુક્રવારે બહાર પાડવામાં આવશે

નવી દિલ્હીઃ સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે નામાંકન આવતીકાલથી શરૂ થશે. લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીઓમાં યોજાનારી 12 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની 94 સંસદીય બેઠકો (પીસી) માટે ગેઝેટ નોટિફિકેશન 12મી એપ્રિલના રોજ શુક્રવારના રોજ બહાર પાડવામાં આવશે. તો મધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રમાં સ્થગિત મતદાન માટેનું જાહેરનામું પણ આવતીકાલે બહાર પાડવામાં આવશે. મધ્યપ્રદેશના 29 બેતુલ (એસટી) […]

કોંગ્રેસ છોડનાર રોહન ગુપ્તા BJPમાં જોડાયા, પિતાની બીમારીના કારણોસર ચૂંટણી લડવાનો કર્યો હતો ઈન્કાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે, પિતાની બીમારીનું કારણ દર્શાવીને કોંગ્રેસને રામ રામ કહેનાર સિનિયર નેતા રોહન ગુપ્તા ભાજપમાં સામેલ થયાં છે. ગત મહિને 22મી માર્ચના રોજ રોહન ગુપ્તાએ પાર્ટીના સંચાર વિભાગ સાથે જોડાયેલા કોંગ્રેસના નેતા ઉપર સતત અપમાન અને ચરિત્ર હનનનો આરોપ લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે રોહન ગુપ્તાને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યાત્રાધામ ઋષિકેશમાં બેઠક યોજશે

નવી દિલ્હીઃ યાત્રાધામ શહેર ઋષિકેશ 11 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠક ગઢવાલ વિભાગની ત્રણ લોકસભા બેઠકો પર ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઋષિકેશમાં યોજાનારી પીએમ મોદીની આ જાહેર સભાથી ભાજપ હરિદ્વાર, ટિહરી અને પૌરી બેઠકોના સમીકરણોને ઠીક કરવાની આશા રાખી રહી છે. ભાજપને વિશ્વાસ છે કે મોદીની રેલી […]

ભારતમાં વર્ષ 1996 પહેલા લોકસભાની બે કરતાં વધુ બેઠકો પરથી એક ઉમેદવારને ચૂંટણી લડવાની સ્વતંત્રતા હતી

નવી દિલ્હીઃ આઝાદી પછી દેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં ઘણી એવી બેઠકો હતી જેના પર નેતાઓ ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડતા હતા. વાસ્તવમાં, આ બે બેઠકોમાંથી, એક બેઠક સામાન્ય અને બીજી આરક્ષિત એટલે કે એસસી-એસટી કેટેગરીની હતી. ઉલ્લેખનીય છે કે અનામત વર્ગને પણ પ્રતિનિધિત્વ મળી રહે તે માટે આવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી હતી. જો કે, વિરોધ […]

દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ ‘આપ’ અને મંત્રી પદ ઉપરથી રાજીનામુ આપ્યું

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદએ રાજીનામુ આપ્યું છે. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના પદ પર હતા. તાજેતરમાં જ રાજકુમાર આનંદના ઘરે ઈડીના દરોડા પડ્યાં હતા. જે બાદ તેમણે રાજીનામું આપતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. રાજકુમાર આનંદે મંત્રી પદ […]

લોકસભા ચૂંટણીઃ ભાજપાએ ઉમેદવારોની પસંદગીની વધુ એક યાદી જાહેર કરી, કિરણ ખેરને પડતા મુકાયાં

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન ભાજપાએ ઉમેદવારોની પસંદગીની વધી એક યાદી જાહેર કરી છે. ભાજપાએ નવ જેટલા ઉમેદવારોના નામ કરવામાં આવ્યાં છે. ભાજપની યાદીમાં યુપીની 7 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ કાપીને પાર્ટીએ સંજય ટંડનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય રીટા બહુગુણા જોશીને […]

લોકસભા ચૂંટણીઃ બંગાળમાં 100 વધુ સેન્ટ્રલ ફોર્સ કંપની તૈનાત કરવા ગૃહ મંત્રાલયને આપ્યો નિર્દેશ

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચે (ECI) એ આગામી લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (CAPF) ની વધારાની 100 કંપનીઓ તૈનાત કરવા ગૃહ મંત્રાલયને સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CRPFની 55 કંપનીઓ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સિસ (BSF)ની 45 કંપનીઓ ECIની સૂચના પર 15 એપ્રિલ અથવા તે પહેલાં તૈનાત કરવામાં આવી રહી છે. ECI એ […]

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સુરક્ષામાં વધારો કરાયો, Z શ્રેણીની VIP સુરક્ષા અપાશે

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર દેશમાં પ્રચાર-પ્રસાર તેજ બન્યો છે. દરમિયાન સુરક્ષાના કારણોસર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખતરાની આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મુખ્ય ચૂંટણી કમિશનરને સશસ્ત્ર કમાન્ડોથી સજ્જ Z શ્રેણીની VIP સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા […]

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ બેઠકોની ફાળવણીની જાહેરાત કરી

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મળી સૌથી વધારે બેઠકો શિવસેના(ઉદ્ધવ ઠાકરે), NCP (શરદ પવાર) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી એકનાથ શિંદે આગેવાનીવાળા ગઠબંધનને આપશે ટક્કર નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બની રહ્યો છે. દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈન્ડી ગઢબંધન અને એનડીએ દ્વારા કેટલીક બેઠકો ઉપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code