1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

તામિલનાડુના રાજકારણમાં મોટો ઉલટફેર: BJP છોડ્યા બાદ અન્નામલાઈ નવી રાજકીય પાર્ટી બનાવશે

ચેન્નઈ, 5 જૂન 2026: દક્ષિણ ભારતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તામિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પોતાની નવી રાજકીય પાર્ટી સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ એક પ્રાદેશિક અને નવા રાજકીય આંદોલનની શરૂઆત કરી રહ્યા […]

કર્ણાટક કોંગ્રેસમાં ભડકો: જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીનું રાજીનામું

બેંગલુરુ, 5 જૂન 2026: કર્ણાટકમાં નવી સરકારના મંત્રીઓ વચ્ચે ખાતાઓની ફાળવણી થતાંની સાથે જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યના નવ નિયુક્ત જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, સીએમ બેંગલુરુ શહેરી ક્ષેત્ર સાથે જોડાયેલા ખાતાની ફાળવણી અંગે […]

આંદોલનના નામે યુવાનોની બલી, નેતાઓનું વૈભવી જીવન અને નિર્દોષો પર કેસની કડવી વાસ્તવિકતા

હેમંત પરમાર દ્વારા ભારતમાં છેલ્લા કેટલાક સમયથી આંદોલનોની એક નવી જ પેટર્ન જોવા મળી રહી છે. લોકશાહીમાં વિરોધ પ્રદર્શન એ જનતાનો અધિકાર છે, પરંતુ વર્તમાન સમયમાં આ આંદોલનો દેશહિત માટે નહીં, પણ ચોક્કસ રાજકીય ઇકોસિસ્ટમ અને વ્યક્તિગત સ્વાર્થ માટે પ્યાદા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ આંદોલનોની સૌથી મોટી […]

ભાજપે ગુજરાત સહિત રાજ્યસભા માટે ઉમેદવારો જાહેર કર્યા

રિવોઈ ન્યૂઝ, 4 જૂન 2026 – ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની આગામી ચૂંટણી માટે આજે ગુરુવારે સાંજે ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવરોનાં નામોની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી રાજ્યસભા માટે જે ચાર નામ પસંદ કરવામાં આવ્યા છે તેમાં સર્વશ્રી રાજુભાઈ શુક્લ, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર તથા જિતેન્દ્રભાઈ મેઘજીભાઈ કંજારિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પક્ષે અરુણાચલ પ્રદેશમાં […]

ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ  

ગાંધીનગર, 4 જૂન 2026 – ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું 3 જૂનને બુધવારના રોજ આયોજન થયું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત ૨૨ […]

કર્ણાટક: ડીકે શિવકુમાર બન્યા નવા મુખ્યમંત્રી, જી પરમેશ્વરાએ લીધા ડેપ્યુટી CM ના શપથ

બેંગલુરુ, 3 જૂન 2026: કર્ણાટકના રાજકારણમાં બુધવારે સત્તા પરિવર્તન સાથે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. સિદ્ધારમૈયાની જગ્યાએ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમારે કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે. બેંગલુરુમાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી સહિત ડેપ્યુટી સીએમ અને અન્ય 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ટોચના નેતાઓ, […]

મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ! 59 ધારાસભ્યોએ અલગ જૂથની માગણી કરી

કોલકાતા, 3 જૂન 2025 – મમતા બેનરજીના પક્ષમાં ભંગાણ પડવાની સંભાવના દેખાઈ રહી છે. કોલકાતામાં આજે બુધવારે સવારે એકાએક રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. ટીએમસીના બે અસંતુષ્ટ ધારાસભ્યો, જેમને મમતા બેનરજીએ પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા તેઓ એકાએક વિધાનસભા પહોંચ્યા હતા. હાલ એવું લાગી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાં જે રીતે શિવસેનામાં ભંગાણ થયું હતું એ જ […]

અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડ્યો હોવાનો ગણગણાટ

નવી દિલ્હી, 2 જૂન 2026: અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે. તેમણે પક્ષ પ્રમુખ નીતિન નવીનને ના-રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા અહેવાલ અનુસાર પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી અન્નામલાઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળ્યા હતા. જોકે, સાંજે છ વાગ્યા સુધી આ વાતોને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. રાજીનામા વિશે સત્તાવાર સમર્થનની રાહ જોવાઈ રહી […]

શું TMCના નેતાઓ કટમની નાગરિકોને પરત કરી રહ્યા છે? પત્રકારોએ શૅર કર્યા વીડિયો, જુઓ

રિવોઈ ન્યૂઝ, 2 જૂન 2026 – શું TMCના નેતાઓ કટમની નાગરિકોને પરત કરી રહ્યા છે? પશ્ચિમ બંગાળમાં તાજેતરની વિધાનસભા ચૂંટણી બાદ જે પરિણામ આવ્યું તેનાથી એ રાજ્ય સહિત દેશના અનેક લોકો જાણે રાહત અનુભવતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને તેમાં પત્રકારો પણ બાકાત નથી. વર્ષો સુધી કરેલા પત્રકારત્વ દરમિયાન દેશના કેટલાક ટોચના પત્રકારોએ […]

ગઈકાલે જનતાનો ગુસ્સો, આજે લોકતંત્ર પર હુમલોઃ રાજકારણમાં બદલાયો અર્થ કે બદલાઈ ગઈ યાદશક્તિ?

હેમંત પરમાર દ્વારા એક જેવી ઘટનાઓ પર બે અલગ અર્થઘટન. પોતાના માટે લોકતંત્ર જોખમમાં અને બીજાઓ માટે જનતાનો ગુસ્સો. આખરે આ કયું રાજકીય ગણિત? દેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી એક એવો મુદ્દો ચર્ચામાં છે, જે હવે સામાન્ય લોકો પણ ખુલ્લેઆમ પૂછવા લાગ્યા છે. સવાલ સીધો છે. એક જેવી ઘટના બને, પરંતુ અર્થઘટન અલગ-અલગ કેમ? પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code