1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

કોંગ્રેસથી AAP નારાજ, મહાગઠબંધનના નેતાઓ સાથે મળીને બનાવશે આગામી પ્લાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ‘આપ’એ તૈયારીઓ શરૂ કરી આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ એકલા હાથે ચૂંટણી લડશે અગાઉ ઈન્ડી ગઠબંધનને લઈને મમતા બેનર્જીએ કર્યું હતું નિવેદન નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધ ચાલી રહ્યું […]

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નીતિશકુમાર માટે ‘ભારત રત્ન’ની માંગણી કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે 2025માં બિહારની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એનડીએ ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે અને બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનશે. ગિરિરાજ સિંહે કહ્યું કે નીતીશ કુમારે બિહારને વધુ ઉંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે. તેમણે રાજ્યને જર્જરિત વ્યવસ્થા અને જંગલરાજમાંથી બહાર […]

મોંઘવારીએ લોકોના રસોડાનું બજેટ બગાડ્યું: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ દિલ્હીમાં શાકભાજી માર્કેટની લીધી મુલાકાત શાકભાજી ખરીદતી મહિલાઓ સાથે કર્યો સંવાદ નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે શાકભાજીના ભાવ વધારાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા અને આરોપ લગાવ્યો કે સામાન્ય લોકોનું રસોડાનું બજેટ બગડી ગયું છે, પરંતુ સરકાર કુંભકરણની જેમ સૂઈ રહી છે. રાહુલ ગાંધીએ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં શાકભાજી […]

સંસદના સંકુલમાં BJP-I.N.D.I.A. ના સાંસદો વચ્ચે પ્રદર્શનને લઈને મામલો બિચક્યો, BJPના MP ઘાયલ

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના 19 માં દિવસે પણ વિપક્ષના ભારે હોબાળા વચ્ચે લોકસભા તેમજ રાજયસભા આવતીકાલ સુધી સ્થગતિ કરવામાં આવી છે. બંને ગહમાં બાબા સાહેબના “સન્માન” અંગે પક્ષ અને વિપક્ષે આરોપ-પ્રત્યારોપ લગાવ્યા હતા. સંસદ સંકુલમાં ભાજપ અને ઈન્ડી ગઠબંધનના સાંસદો સામે આવી ગયા હતા, આ દરમિયાન થયેલી ધક્કા-મુકીમાં ભાજપના સાંસદ ઈજાગ્રસ્ત થયાં હતા. સાંસદને […]

મજબુરીમાં ઉત્તરપ્રદેશના યુવાનો ઇઝરાયેલમાં રોજગારી મેળવવા મજબૂરઃ અખિલેશ યાદવ

લખનૌઃ યુવાનોને રોજગાર માટે ઈઝરાયેલ મોકલવા અંગેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનનો વિરોધ કરતા સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, રોજગાર ન મળવાને કારણે ભારતીય યુવાનોને યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલ જવાની ફરજ પડી રહી છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. યુવાનોને નોકરી અને રોજગાર નથી મળતો. પરિસ્થિતિ એવી […]

‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ બિલ લોકસભામાં રજૂ થયું, વિપક્ષે કર્યો વિરોધ

નવી દિલ્હી: કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે મંગળવારે દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના પ્રાવધાનવાળુ સંવિધાન (129મો સુધારો) ખરડો, 2024′ અને સંબંધિત ‘કેન્દ્રશાસિત કાયદા (સુધારા) બિલ, 2024’ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે પ્રદાન કરે છે. આ બિલ સંસદના નીચલા ગૃહમાં મૂકવામાં આવ્યું હતું. […]

ફેબ્રુઆરીમાં ભાજપને નવા પ્રમુખ મળવાની શક્યતા

નવી દિલ્હીઃ ભાજપાના પ્રેસિડેન્ટ જેપી નડ્ડાના સ્થાન લે તેવા નવા અધ્યક્ષની ચૂંટણી ફેબ્રુઆરીના અંત સુધીમાં યોજાય તેવી શક્યતા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલી રહેલી સંગઠનાત્મક ચૂંટણીઓ હેઠળ, પાર્ટીના અડધાથી વધુ રાજ્ય એકમોમાં મતદાન પ્રક્રિયા જાન્યુઆરીના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું […]

ભારતનું બંધારણ સમયની કસોટી પર ખરુ ઉતર્યુઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી છેલ્લા 75 વર્ષોમાં સમયની કસોટી પર ખરુ ઉતર્યું છે, જ્યારે તે જ સમયે પોતાના બંધારણનો મુસદ્દો તૈયાર કરનારા 50 દેશોમાંથી મોટા ભાગનાએ તેમાં ફેરફાર કર્યા છે. રાજ્યસભામાં ‘ભારતીય બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા’ પર ચર્ચાની શરૂઆત કરતા, નાણામંત્રીએ બંધારણ સભાના 389 […]

રાજ્યસભામાં કોંગ્રેસે અધ્યક્ષ ધનખડ સામે કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો થયો હતો. બીજેપી સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલે આરોપ લગાવ્યો કે સ્પીકર જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે 14 દિવસનો સમય આપવામાં આવે છે અને ત્યારબાદ ગૃહમાં તેની ચર્ચા […]

ભાજપ અને કોંગ્રેસે લોકસભાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ગુરુવારે તમામ લોકસભા સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો હતો. સંસદના બંને ગૃહોમાં બે દિવસ સુધી બંધારણ પર ચર્ચા થવાની છે. 13-14 ડિસેમ્બરે લોકસભામાં અને 16-17 ડિસેમ્બરે રાજ્યસભામાં ચર્ચા થશે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા ત્રણ લીટીના વ્હીપમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code