1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મહાશિવરાત્રી : વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્તાનો અભ્યાસ

Mahashivratri મહાશિવરાત્રીને ઘણીવાર “અંધકારનો ઉત્સવ” કહેવામાં આવે છે, પરંતુ આ અંધકાર અજ્ઞાનનો નહીં પણ તે અનંત ખાલીપણાનું  પ્રતીક છે. આધુનિક કોસ્મોલોજી પણ સ્વીકારે છે કે બ્રહ્માંડનો મોટાભાગનો હિસ્સો ખાલી જગ્યા છે. ગેલેક્સીઓ, તારા અને ગ્રહો  આ બધું એ ખાલીપણામાં તરતું અસ્તિત્વ છે. મહાશિવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે માનવ શરીર, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અને […]

પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ આસામની મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ આસામની મુલાકાત લેશે. સવારે આશરે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી દિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર ઉતરાણ કરશે, જ્યાં તેઓ લડાયક વિમાનો, પરિવહન અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન જોશે. બપોરે આશરે 1 વાગ્યે પ્રધાનમંત્રી બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુની મુલાકાત લેશે. […]

આરોગ્ય ક્ષેત્ર બનશે વધુ મજબૂત, જાહેર આરોગ્ય સેવાઓમાં AIનો સમાવેશ

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: દેશે હવે ડોકટરોની અછતને દૂર કરવા અને સારવારની સુલભતા સુધારવાના હેતુથી નવી વ્યૂહરચનાના ભાગ રૂપે આરોગ્યસંભાળ પ્રણાલીમાં કૃત્રિમ બુદ્ધિ (AI)નો સમાવેશ કર્યો છે. સરકારે રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ, રાષ્ટ્રીય ડાયાબિટીક રેટિનોપેથી સ્ક્રીનીંગ કાર્યક્રમ અને રોગ દેખરેખ પ્રણાલીમાં AI સાધનોનો ઉપયોગ શરૂ કર્યો છે, જેનાથી આરોગ્યસંભાળ કાર્યકરો, જેઓ નિષ્ણાત ડોકટરો નથી, […]

મોંધી બ્લુટી પ્રોડક્ટસને બદલે ઘરે જ આ દેશી ઉપાયથી મેળવો ચમકતી ત્વચા

સ્કિનકેર માટે માર્કેટમાં અનેક બ્યુટી પ્રોડક્ટસ મળે છે પરંતુ લોકોને ડર રહે છે કે, તેમાં હાજર કેમિકલ સ્કિનને નુકશાન તો નહીં કરેને, આ બ્યુટી પ્રોડક્ટથી ઝડપથી પરિણામ ઝડપથી મળે છે જ્યારે ક્યારેક-ક્યારેક નુકશાન પણ કરી શકે છે. આવામાં ઘરેલુ નુસ્ખાને અપનાવાની સલાહ આપવામાં આવે છે. ભારતમાં ફરીથી આર્યુર્વેદિક અથવા ઘરેલુ નુસ્ખાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. […]

ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું સ્થાન લેશે

ગાંધીનગર, 13 ફેબ્રુઆરી, 2026 – Uday Kotak GIFT City Chairman ગુજરાત સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) કંપની લિમિટેડના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક કરી છે. તેઓ પૂર્વ ચેરમેન ડૉ. હસમુખ અઢિયા (નિવૃત્ત IAS) નું સ્થાન લેશે. ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી 2026 ના રોજ જારી કરવામાં આવેલા […]

ઉત્તરપ્રદેશઃ મુખ્તાર અન્સારીના શૂટર શોએબની અજાણ્યા શખ્સોએ કરી હત્યા

લખનૌ, 13 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના શૂટર શોએબ કિદવઈ ઉર્ફે બોબી પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને તેની હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. ગોળીબારમાં ઘયાલેલા શોએબને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. લખનૌ-અયોધ્યા હાઈવે પર આ ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શોએબ શુક્રવારે […]

T20 વર્લ્ડકપ 2026નો પ્રથમ મોટો અપસેટ: ઝિમ્બાબ્વે સામે ઓસ્ટ્રેલિયા હાર્યું

કોલંબો, 13 ફેબ્રુઆરી 2026: વર્લ્ડકપ 2026માં એક એવો ઉલટફેર જોવા મળ્યો છે જેની ક્રિકેટ જગતે કલ્પના પણ નહોતી કરી. ટૂર્નામેન્ટના 19માં મુકાબલામાં ઝિમ્બાબ્વેએ વર્ષ 2021ની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં કાંગારૂઓને પાણી પીવડાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ […]

ભારત રશિયા પાસેથી 288 નવી S-400 મિસાઈલો ખરીદશે, સુરક્ષામાં થશે વધારો

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: સરહદ પર વધતા જતા પડકારો અને પાકિસ્તાન-ચીન જેવી દુશ્મન તાકાતોને જડબાતોડ જવાબ આપવા માટે ભારત પોતાની સૈન્ય શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ રશિયા પાસેથી વધારાની 288 જેટલી S-400 સરફેસ-ટુ-એર મિસાઈલો ખરીદવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે […]

ઈરાને હિટલિસ્ટ જાહેર કરી, ઈઝરાયેલના PM નેતન્યાહુનું નામ સૌથી ઉપર

તહેરાન, 13 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. અત્યાર સુધી માત્ર ઈઝરાયેલ જ પોતાના દુશ્મનોની યાદી જાહેર કરતું હતું, પરંતુ હવે પહેલીવાર ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલ વિરુદ્ધ ‘હિટલિસ્ટ’ જાહેર કરીને દુનિયાને ચોંકાવી દીધી છે. ઈરાની સરકારી મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું […]

સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાને ફરી ચિઠ્ઠી લખીને ભારતને કરી ખાસ વિનંતી

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. આતંકવાદના મુદ્દે ભારતની સામે આકરી કાર્યવાહી કરીને સિંધુ જળ સંધિને રદ્દ કરી હતી. આ નિર્ણયનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો. દરમિયાન હવે પાકિસ્તાને ભારત સરકારને પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર ભારતને ચિઠ્ઠી લખીને ચેનાબ નદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code