1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

નીતિશ કુમારે બિહારમાં વૃદ્ધોને ઘરે ઘરે આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવાની યોજનાની જાહેરાત કરી

પટના 03 જાન્યુઆરી 2026: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે વૃદ્ધોને તેમના ઘરે આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરવાની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને નીતિશ કુમાર સરકારની ‘સાત નિશ્ચય’ પહેલ હેઠળ આવતી આ યોજનાને પ્રાથમિકતાના ધોરણે અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ નીતિશ કુમારે એક X પોસ્ટમાં લખ્યું, “4 નવેમ્બર, 2005 ના રોજ […]

ઇન્દોર: દૂષિત પાણીથી મોતના મામલે મ્યુનિસિપલ કમિશનરની બદલી

ઈન્દોર, 3 જાન્યુઆરી 2026: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણી પીવાના કારણે અનેક લોકોના કરુણ મોતના મામલે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે નગર નિગમની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ મુખ્યમંત્રી મોહન યાદવના આદેશથી નગર નિગમ કમિશનર દિલીપ કુમાર યાદવને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને હવે ક્ષિતિજ સિંઘલને ઇન્દોરના નવા નિગમ […]

વારાણસીમાં 72મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું PM મોદી ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 72મી નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સમારોહ વારાણસીના ડો. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાશે. 4 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતમાંથી સહભાગિતા જોવા મળશે, જેમાં વિવિધ રાજ્યો અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી 58 ટીમોના […]

કેપ્ટિવ અને કોમર્શિયલ ખાણોમાંથી કોલસાના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: સરકારે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં કેપ્ટિવ અને કોમર્શિયલ ખાણોમાંથી કોલસાના ઉત્પાદનમાં મજબૂત વધારો જોવા મળ્યો, જેમાં ડિસ્પેચ પણ વધ્યું. આ સમયગાળા દરમિયાન ઉત્પાદન 19.48 મિલિયન ટન (MT) રહ્યું, જ્યારે મહિના દરમિયાન ડિસ્પેચ 18.02 મિલિયન ટન (MT) હતું. આ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 5.75 ટકાનો વાર્ષિક વધારો દર્શાવે છે. નાણાકીય […]

પ્રયાગરાજમાં માઘ મેળાનો પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

લખનૌ 03 જાન્યુઆરી 2026: ભક્તો વહેલી સવારે સંગમ કિનારે પહોંચવા લાગ્યા હતા, જ્યાં તેમણે આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત કરવા માટે ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મેળા વિસ્તારમાં પહેલા જ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં વહીવટીતંત્ર સતર્ક રહ્યું હતું. માઘ મેળો 3 જાન્યુઆરીથી શરૂ થાયો છે અને 15 ફેબ્રુઆરી, […]

સોના-ચાંદીના ભાવમાં વધારો, ગ્રાહકોની ખરીદી પેટર્ન બદલાઈ

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: છેલ્લા એક અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.ચાંદીનો ભાવ આજે ફરી 8 હજાર જેટલો વધીને 2 લાખ ને 45 હજાર ઉપર પહોંચ્યો છે. તો 10 ગ્રામ સોનાનો ભાવ 900 રૂપિયાના વધારા સાથે 1 લાખ 36 હજારને પાર થયો છે. સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે તેમ […]

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની US ના કબજામાં!

વોશિંગ્ટન, 3 જાન્યુઆરી 2026: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શનિવારની વહેલી સવારે વેનેઝુએલાની રાજધાની કારાકાસ ભયાનક ધડાકાઓથી ધણધણી ઉઠી હતી. આ હુમલાઓ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને અમેરિકી દળોએ પકડી લીધા છે અને તેમને દેશની બહાર લઈ જવામાં […]

ગુલામી કાળમાં ભગવાન બુદ્ધના અવશેષો છીનવી લેવાયા હતાઃ મોદી

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પર એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે ભારત ફક્ત તેમનો રક્ષક જ નહીં પરંતુ બૌદ્ધ પરંપરાનો જીવંત વાહક પણ છે. પિપ્રહવા, વૈશાલી, દેવની મોરી અને નાગાર્જુનકોંડા જેવા સ્થળોએથી મળેલા ભગવાન બુદ્ધના અવશેષો બુદ્ધના સંદેશનું જીવંત અભિવ્યક્તિ છે. તેમણે કહ્યું કે ભગવાન […]

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુનું મોત, ટોળાએ યુવાન પર કર્યો હતો હુમલો

નવી દિલ્હી 03 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. 31 ડિસેમ્બરે શરિયતપુર જિલ્લામાં વેપારી ખોકન ચંદ્ર દાસ પર હુમલો થયો હતો. 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસ ત્રણ દિવસથી પોતાના જીવન માટે લડી રહ્યા હતા, પરંતુ આજે શનિવાર, 3 જાન્યુઆરીના રોજ આ હિન્દુ વેપારીનું અવસાન થયું. બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં એક હિન્દુ વેપારી […]

આગામી વર્ષોમાં ભારત હથિયારો મામલે પુરી રીતે આત્મનિર્ભર બની જશેઃ રક્ષામંત્રી

જયપુર, 3 જાન્યુઆરી: રક્ષામંત્રી રાજનાથસિંહએ ઉદેપુરમાં ભૂપાલ નોબલ્સ વિશ્વવિદ્યાલયના 104માં સ્થાપના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગ્રે તેમણે શિક્ષા વ્યવસ્થાની ભૂમિકા ઉપર વાત કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, એવી શિક્ષણ પ્રણાલીને સફળ ના માની શકાય જે જ્ઞાનની સાથે વિનમ્રતા, ચરિત્ર અને નૈતિક મૂલ્યોનો વિકાસ ના કરે. તેમણે કહ્યું કે, આજે અનેકવાર જોવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code