1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ખામીઓ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: સંસદના બજેટ સત્ર દરમિયાન દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ગંભીર ટેકનિકલ ખામીઓ સામે આવી છે. જોકે, આશ્ચર્યજનક રીતે સ્પીકર ઓમ બિરલાએ પોતે સચિવાલયને આ ખામીઓ સુધારીને પ્રક્રિયા આગળ વધારવા સૂચના આપી છે, જેથી વિપક્ષની નોટિસ રદ ન […]

ઓમ બિરલાની ચેમ્બરમાં જઈને તેમનું અપમાન કરાયું, કોંગ્રેસના સાંસદો સામે રિજિજૂએ કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રવાસની નોટિસ આપી છે. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને આકરા પ્રહાર કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક સાંસદો સ્પીકરની ચેમ્બરમાં ગયા અને તેમની સામે […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મુખ્યમંત્રી ઉમરના નિવેદન પર હોબાળો

શ્રીનગર, 11 ફેબ્રુઆરી 2026: જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં સતત બીજા દિવસે પણ હોબાળો જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પાસેથી તેમના વિરુદ્ધ કરવામાં આવેલી “અસંસદીય” ટિપ્પણી બદલ માફી માંગી અને પછી વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ, ભાજપના ધારાસભ્ય શામ લાલ શર્મા ઉભા થયા અને માંગ કરી કે ગૃહના […]

T20 વર્લ્ડ કપ: ટીમ ઈન્ડિયાને ફટકો, અભિષેક શર્માની તબિયત લથડી

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: ટી20 વિશ્વ કપ 2026માં નામિબિયા સામેની મહત્વની મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ટીમના સ્ટાર ઓપનર અભિષેક શર્માને પેટમાં ગંભીર ઇન્ફેક્શનના કારણે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેના પગલે ભારતીય છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે ભારતનો મુકાબલો થવાનો છે, […]

કેનેડાની સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ,10ના મોત અને 25 ઈજાગ્રસ્ત

ઓટાવા, 11 ફેબ્રુઆરી 2026: કેનેડાના શાંત ગણાતા બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ટમ્બલર રિજ નામના નાના શહેરમાં આવેલી એક હાઈસ્કૂલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં હુમલાખોર સહિત કુલ 10 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25 લોકો લોહીલુહાણ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર કેનેડામાં શોકની લહેર ફરી વળી છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ […]

આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પાસે એક ટ્રોમા સેન્ટર સ્થાપિત કરાશે

લખનૌ, 11 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશ સરકાર આગ્રા-લખનૌ એક્સપ્રેસવે નજીક એક ટ્રોમા સેન્ટર સ્થાપિત કરશે, જે માર્ગ અકસ્માતો અને અન્ય કટોકટીમાં ઘાયલ થયેલા લોકોને ઝડપી અને સારી સારવાર પૂરી પાડશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ મેડિકલ યુનિવર્સિટી, સૈફઈ (ઇટાવા) ના બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકની અધ્યક્ષતામાં યુનિવર્સિટીમાં 250 બેડનું લેવલ-વન ટ્રોમા સેન્ટર સ્થાપવાનો નિર્દેશ આપ્યો હતો. […]

અમેરિકાએ ભારતને ચીન કરતાં વધુ સારો વિકલ્પ ગણાવ્યો

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ એમ્બેસેડર જેમીસન ગ્રીરે ભારતને યુએસ કંપનીઓ માટે ચીનનો એક સક્ષમ વિકલ્પ ગણાવ્યું છે. ભારત-યુએસ વચગાળાના વેપાર કરાર અંગે આશાવાદ વ્યક્ત કરતા, ગ્રીરે કહ્યું કે ભારત તેના માટે પ્રતિબદ્ધ છે અને યુએસે તેની કેટલીક વેપાર પ્રતિબદ્ધતાઓનો વિસ્તાર કરવાનું પણ શરૂ કરી દીધું છે. તેમણે નોંધ્યું કે બંને દેશોને […]

સંરક્ષણ વિભાગે સંરક્ષણ સંપાદન પ્રક્રિયા 2026નો ડ્રાફ્ટ તૈયાર કર્યો

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: સંરક્ષણ વિભાગે સંરક્ષણ સંપાદન પ્રક્રિયા (DAP)-2026નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ડ્રાફ્ટ દેશમાં ઉત્પાદન વધારવા અને સંરક્ષણ ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે સંપાદનની ગતિને વેગ આપશે. પ્રસ્તાવિત ડ્રાફ્ટનો ઉદ્દેશ્ય સંરક્ષણ ઉત્પાદન વધારવા અને ખરીદીને ઝડપી બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ડ્રાફ્ટ સંરક્ષણ ઉત્પાદન […]

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 17 ફેબ્રુઆરીથી ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવશે. તેઓ 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં યોજાનારી AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હોરાઇઝન 2047 રોડમેપમાં નિર્ધારિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી […]

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીથી દૂર રહેશે

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નૈતિક ધોરણે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી વિપક્ષ દ્વારા તેમની સામે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. વિપક્ષે બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી, જે લોકસભાના મહાસચિવને સુપરત કરવામાં આવી છે. લોકસભા સચિવાલયના સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code