બેદરકારીથી વાહન હંકારનાર મૃતક ચાલકના પરિવારને વીમા કંપની વળતર નહીં ચુકવે!
નવી દિલ્હીઃ જો કોઈ વ્યક્તિનું બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી મૃત્યુ થાય છે, તો વીમા કંપનીઓની તેના પરિવારને વળતર આપવાની જવાબદારી રહેતી નથી. તેમજ એક અરજીની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે મૃતકના પરિવારની 80 લાખ રૂપિયાના વળતરની માંગણી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર […]