1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

જમ્મુ-કાશ્મીરમાંથી સુરક્ષા દળોને પરત બોલાવવા વિચારણા કરાશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં સશસ્ત્ર બળ અધિનિયમને હટાવવાની વિચારણા કરશે. એક સાક્ષાત્કાર દરમિયાન તેમણે કહ્યું કે, સરકાર અહીંથી જવાનોને પાછા બોલાવવા અને કાનૂન વ્યવસ્થાને જમ્મુ-કાશ્મીર પોલીસ પર છોડવાની યોજના બનાવી રહી છે. હાલ જમ્મુ-કાશ્મીર પોલીસ વિવિધ ઓપરેશનોનું નેતૃત્વ કરી રહી છે. એએફએસપીએ સશસ્ત્ર દળોના જવાનોને અધિકાર આપે […]

ચૂંટણી પહેલા નક્સલવાદ પર મહાપ્રહાર, છત્તીસગઢ એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર

બીજાપુર: લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના બીજાપુરમાં જવાનો અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ છે. આ અથડામણમાં જવાનોએ ગોળીબાર કરતા 6 નક્સલીઓ ઠાર થયા છે. આ ઘટનાની પુષ્ટિ એસપી જીતેન્દ્રકુમાર યાદવે કરી છે. છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષાદળોની ટીમમાં કોબરા 210, 205 અને સીઆરપીએફ 229 બટાલિયન […]

Delhi Excise Policy Case: સીએમ કેજરીવાલને હાઈકોર્ટમાંથી આંચકો, રિમાન્ડને પડકારતી અરજી પર સુનાવણી ટળી

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ઈડી દ્વારા એરેસ્ટ કરાયેલા અને દિલ્હી ઉત્પાદ શુલ્ક નીતિ મામલામાં તેમને ઈડીની કસ્ટડીમાં મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી ટાળી દીધી છે. ઈડીનો દાવો હતો કે કેજરીવાલ દિલ્હી ઉત્પાદ શુલ્ક નીતિ ગોટાળા મામલામાં મુખ્ય ષડયંત્રકારી હતા. મામલામાં ઈડીની મની લોન્ડ્રિંગ તપાસ સીબીઆઈ દ્વારા 17 ઓગસ્ટ, 2022ના […]

ચૈત્ર નવરાત્રિનો 9મી એપ્રિલથી પ્રારંભ, જાણો ઘટસ્થાપના અને કલશ સ્થાપના મૂહૂર્ત

ધાર્મિક ગ્રંથો અનુસાર માતા દુર્ગા નવરાત્રિના નવ દિવસ ભક્તોની વચ્ચે ધરતી પર નિવાસ કરે છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, તે રામ નવમી પર સમાપ્ત થશે. આ વખતે ચૈત્ર નવરાત્રિ પર માતાજી ઘોડા પર સવાર થઈને આવશે. […]

ભારતીય તટરક્ષક દળનું જહાજ સમુદ્ર પહેરેદાર ફિલિપાઇન્સનાં મનિલાની ખાડીમાં પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારતીય તટરક્ષક દળનું જહાજ સમુદ્ર પહેરેદાર, એક વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રણ જહાજ, ત્રણ દિવસની મુલાકાતે 25 માર્ચ, 2024ના રોજ ફિલિપાઇન્સના મનિલાની ખાડીમાં પહોંચ્યું. વિશિષ્ટ પ્રદૂષણ નિયંત્રણ જહાજોની યાત્રા એક વ્યાપક પહેલનો ભાગ છે, જેનો ઉદ્દેશ આઇસીજી દરિયાઇ પ્રદૂષણ પ્રતિભાવ ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનો છે તથા ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડ (પીસીજી) સાથે દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા ઉપરાંત […]

ટ્રાઇએ ‘મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ આજે ‘મશીન-ટુ-મશીન (એમ2એમ) કમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમનો ઉપયોગ’ પર ભલામણો જાહેર કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) એ 9 નવેમ્બર, 2021ના રોજ તેના પત્ર દ્વારા, એમ2એમ કોમ્યુનિકેશન્સ માટે એમ્બેડેડ સિમના ઉપયોગ અંગે ટ્રાઇ એક્ટ, 1997 હેઠળ ટ્રાઇની ભલામણો માંગી હતી. આ સંદર્ભમાં, ટ્રાઇએ હિતધારકો પાસેથી ટિપ્પણીઓ / […]

RSSએ કોંગ્રેસને સમર્થન આપ્યાના ‘ફેક પોલિટિકલ અભિયાન’નું સત્ય, જાણો કોણ ફેલાવી રહ્યું છે ખોટી માહિતી

નવી દિલ્હી:  જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કોંગ્રેસ અને વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયા ખોબલેને ખોબલે વખોડે છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનું સમર્થન કરે છે. તો આ વાત ગધેડાને તાવ આવવાથી વિશેષ કંઈ નથી. પરંતુ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આવું પોલિટિકલ અભિયાન આરએસએસના નામના દુરુપયોગ સાથે ચલાવવું કોઈ રાજકીય બદઈરાદાથી સાથે લોકોમાં ગુંચવાડો […]

અમેરિકાના ફ્લોરિડામાં 13 વર્ષથી ઓછી વયના બાળકો સોશયલ મીડિયાનો નહીં કરી શકે ઉપયોગ

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડામાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશયલ મીડિયા એકાઉન્ટ ચલાવવાને લઈને નવો કાયદો અમલમાં આવ્યો છે. આના પર ગવર્નર રૉન ડેસેન્ટિસે હસ્તાક્ષર કર્યા છે. તેના હેઠળ હવે ફ્લોરિડામાં 13 વર્ષ અને તેનાથી ઓછી વયના બાળકો સોશયલ મીડિયા એકાઉન્ટ ખોલી નહીં શકે. 14 અને 15 વર્ષના બાળકોને આવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવા માટે […]

રાહુલ ગાંધીના નિકટવર્તી રવનીત બિટ્ટૂ ભાજપમાં સામેલ, ચૂંટણી પહેલા કોંગ્રેસને પંજાબમાં મોટો આંચકો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પંજાબમાંથી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે. લુધિયાણાથી કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ટૂ મંગળવારે ભાજપમાં સામેલ થઈ ગયા. તેમણે નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીની પ્રાથમિક સદસ્યતા લીધી. ચૂંટણીથી પહેલા રવનીત બિટ્ટૂના ભાજપમાં જવાને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવે છે. રવનીત બિટ્ટૂ પંજાબ કોંગ્રેસના મોટા નેતા ગણાય […]

એશિયાના અબજોપતિઓની યાદીમાં મુંબઈ ચીનની રાજધાની કરતા પણ આગળ

મુંબઈઃ ભારતની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ ચીનના બેઈજિંગને પછાડીને પ્રથમ વખત એશિયાની અબજોપતિની રાજધાની બની છે. મુંબઈમાં હવે બેઈજિંગ કરતાં વધુ અબજોપતિ છે. હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર, મુંબઈમાં બેઇજિંગમાં 91ની સરખામણીમાં 92 અબજોપતિ છે. જો કે ચીનની વાત કરીએ તો ભારતમાં 271ની સરખામણીએ 814 અબજોપતિ છે. ન્યૂયોર્ક પછી, મુંબઈ હવે અબજોપતિઓની દ્રષ્ટિએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code