1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ICC ODI રેન્કિંગમાં ભારતનો દબદબો: રોહિત શર્મા ટોચ પર યથાવત, વિરાટ કોહલી બીજા ક્રમે

નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર વન-ડે ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આઈસીસીની તાજેતરની વન-ડે રેન્કિંગમાં બેટ્સમેનોમાં ભારતની બાદશાહત જળવાઈ રહી છે. વિરાટ કોહલીએ બે સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનોમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે. કોહલીના છેલ્લા કેટલાક સમયના શાનદાર પ્રદર્શનને પગલે તેમની રેન્કિંગમાં સુધારો થયો છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચોની […]

દિલ્હીની સુરક્ષામાં વધારો: ટૂંક સમયમાં સ્વદેશી મલ્ટિલેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)ની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારત ટૂંક સમયમાં પોતાની સ્વદેશી મલ્ટિલેયર્ડ ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) તૈનાત કરશે. આ અત્યાધુનિક પ્રણાલી દિલ્હીને દુશ્મનના મિસાઈલ, ડ્રોન અને ઝડપથી ઉડતા ફાઇટર એરક્રાફ્ટ જેવા તમામ હવાઈ જોખમોથી સુરક્ષા પ્રદાન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રણાલી દેશમાં વિકસાવવામાં આવેલી ક્વિક રિએક્શન […]

ઈન્ડિગો સંક્ટ મામલે દિલ્હી હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્ર સરકારને કર્યા અણીયારા સવાલ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોમાં ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબની સતત વધી રહેલી ઘટનાઓને દિલ્હી હાઈકોર્ટે ‘ગંભીર સંકટ’ ગણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે કે આખરે પરિસ્થિતિ આ હદે કેમ વણસી ગઈ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ થવાથી માત્ર મુસાફરોને જ મુશ્કેલી અને સતામણીનો સામનો કરવો […]

ભારતમાં પાયલટોના નવા ડ્યુટી નિયમો વૈશ્વિક ધોરણો કરતાં કડક: IATA

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય વિમાનન સંગઠન (IATA – ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન) એ જણાવ્યું છે કે, ભારતમાં પાયલટો માટે લાગુ કરવામાં આવેલા નવા ડ્યુટી નિયમો (FDTL) વૈશ્વિક ધોરણોની તુલનામાં ઘણા વધુ કડક છે. IATAના વડા વિલી વાલ્શે કહ્યું કે, પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં દેશની સૌથી […]

પૂર્વી દિલ્હીની એક પ્રાઇવેટ સ્કૂલમાં બોમ્બની ધમકી વિદ્યાર્થીઓ-વાલીઓમાં ફફડાટ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વધુ એક સ્કૂલને બોમ્બની ધમતી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો હતો. લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે પોલીસ ટીમે બોમ્બ સ્કવોર્ડની મદદથી સમગ્ર સ્કૂલ સંકુલમાં તપાસ કરી હતી. જો કે, તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ મળી નહીં આવ્યાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી […]

તમારા પૈસા, તમારો અધિકાર: બેંકિંગ સિસ્ટમમાં પડ્યા છે બિનવારસી 78000 કરોડ, PM મોદીની નાગરિકોને ખાસ અપીલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાન્ય જનતાને અપીલ કરતા કહ્યું છે કે, ‘તમારા પૈસા, તમારો અધિકાર’ પહેલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક નાગરિક પોતાનો હકનો પૈસો પાછો મેળવી શકે, કારણ કે ભારતીય બેંકો, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં હજારો કરોડ રૂપિયા ‘બિનવારસી’ પડ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર એક […]

ભારતની 6G યાત્રાનો હેતુ આત્મનિર્ભર ઇકોસિસ્ટમ બનાવવાનોઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારત 6G મિશનને વેગ આપવા માટે ભારત 6G એલાયન્સ (B6GA) હેઠળ સાત સમર્પિત કાર્યકારી જૂથોની રચના કરી છે. આ જૂથોએ મંગળવારે યોજાયેલી ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં તેમની પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ (રોડમેપ) રજૂ કરી હતી. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. મંત્રી સિંધિયાએ વ્યાપક સફળતા સુનિશ્ચિત કરવા […]

યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં દિવાળી પર્વનો સમાવેશ

નવી દિલ્હીઃ ભારતની સૌથી વધુ ઉજવાતી પરંપરાઓમાંની એક, દિવાળી, યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સત્તાવાર રીતે સામેલ થઈ છે. નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા પરની આંતર-સરકારી સમિતિના 20મા સત્ર દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. દિવાળી એકતા, નવીનતા અને સામાજિક સંવાદિતાના મૂલ્યોને મૂર્તિમંત કરે છે અને વૈશ્વિક ભારતીય ડાયસ્પોરામાં વ્યાપકપણે ઉજવાય […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપી ડો.બિલાલની ધરપકડ, મુખ્ય આરોપીને આશરો આપ્યો હતો

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા મહિને રાજધાની દિલ્હીમાં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે. એજન્સીએ આ કેસમાં કાર્યવાહી કરતા બારામુલ્લાના ડો. બિલાલ નસીર મલ્લાની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલો તે આઠમો આરોપી છે. ધરપકડ બાદ આરોપી ડો. બિલાલ મલ્લાને દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. […]

ઈન્ડિગોનું સંકટ યથાવત: ૩૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ, સરકારનો 10 ટકા ફ્લાઈટ કાપનો આદેશ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોનું સંકટ હજુ ટળ્યું નથી. સંસદમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીના આશ્વાસન છતાં, બુધવારે પણ 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરલાઈનમાં ચાલી રહેલી અંધાધૂંધીને કારણે સરકારે હવે ઈન્ડિગોની કામગીરી સ્થિર ન થાય ત્યાં સુધી તેની ફ્લાઈટ શિડ્યુલમાં 10 ટકાનો કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code