1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઓનલાઇન રિયલ-મની ગેમિંગ રાષ્ટ્ર સુરક્ષા માટે સૌથી મોટો ખતરો: કેન્દ્ર સરકારે

નવી દિલ્હી: ઓનલાઈન રિયલ-મની ગેમિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એફિડેવીટ દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઇન રિયલ-મની ગેમિંગ પર પ્રતિબંધ માત્ર લત અથવા આર્થિક નુકસાનની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા મામલે ઉભા થયેલા ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, અનિયંત્રિત ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ ટેરર ફંડિંગ, […]

દિલ્હી બ્લાસ્ટ કેસઃ આતંકી ઉમરને મદદ કરનાર શોએબની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્લીના લાલ કિલ્લા નજીક 10 નવેમ્બરનાં રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં NIA એ એક વધુ મહત્વના આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી શોએબ મુખ્ય આતંકી ઉમર ઉન નબીને વિસ્ફોટ પહેલાં રહેવાની જગ્યા અને તમામ જરૂરી મદદ પૂરી પાડતો હતો. NIA દ્વારા ધરપકડ કરાયેલ શોએબ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના […]

પાકિસ્તાની સેનોએ ઉરી હાઇડ્રોપાવર પ્લાન્ટ પર હુમલોનો પ્લાન બનાવ્યો હતો

નવી દિલ્હીઃ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ થયા થોડા કલાકોમાં જ પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે એલઓસીની નજીક આવેલા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટને ડ્રોન દ્વારા નિશાન બનાવવાનો  પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્લાન્ટની સુરક્ષામાં તૈનાત CRPFના જવાનોએ આ નાપાક હરકતને નિષ્ફળ બનાવી હતી. તેમ સીઆરપીએફએ જણાવ્યું હતું. પાકિસ્તાનની આ હરકતને નિષ્ફળ બનાવનારા 19 શૂરવીર CRPF જવાનોને […]

મુંબઈ આતંકી હુમલાની વરસી, રાષ્ટ્રપતિએ આતંકવાદ સામે લડવાના વચનને ફરીથી દેશવાસીઓને યાદ કરાવ્યું

મુંબઈઃ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકી હુમલાને આજે 17 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26/11ના હુમલામાં શહીદ થયેલા બહાદુર સુરક્ષા કર્મચારીઓને યાદ કરવામાં આવ્યા હતા. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને દેશવાસીઓને દરેક પ્રકારના આતંકવાદ સામે […]

આતંકવાદ સમગ્ર માનવજાત માટે અભિશાપઃ અમિત શાહ

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે 2008ના 26/11 મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકો અને સુરક્ષા કર્મીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમણે જણાવ્યું કે, “આજના જ દિવસે આતંકીઓએ મુંબઈ પર હુમલો કરીને અમાનવીય કૃત્ય કર્યું હતું. મુંબઈ હુમલાનો સામનો કરતા શહીદ થયેલા તમામ વીરજવાનોને હું નમન કરું છું.” ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ […]

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં એર કાર્ગો સેવા શરૂ થશે

નવી દિલ્હી: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં એર કાર્ગો સેવાઓ શરૂ કરવામાં આવશે. આ સીધી કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા કાબુલને દિલ્હી અને અમૃતસર સાથે જોડશે. આનો હેતુ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ સંદર્ભમાં, તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન એલ્હાજ નુરુદ્દીન અઝીઝી અને વિદેશ પ્રધાન એસ જયશંકર […]

છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત

નવી દિલ્હી: છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો છે, જ્યાં જાંજગીર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા સુકલી ગામ નજીક નેશનલ હાઈવે 49 પર ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. નવાગઢમાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના પૂરપાટ ઝડપે આવતી ટ્રક સાથે સામસામે અથડામણમાં દુઃખદ મોત […]

પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-Iનું પણ અનાવરણ કરશે, જે ભ્રમણકક્ષામાં ઉપગ્રહો લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. અત્યાધુનિક સુવિધામાં બહુવિધ પ્રક્ષેપણ વાહનોની ડિઝાઇન, વિકાસ, સંકલન અને પરીક્ષણ માટે લગભગ 200,000 ચોરસ ફૂટ કાર્યક્ષેત્ર હશે, જેમાં […]

ચીનમાં ભારતીય નાગરિકની અટકાયત મામલે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ નવી દિલ્હીએ જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, અને ચીનના ઇનકારથી આ સત્ય બદલાશે નહીં-ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યુ હતું. રણધીર જયસ્વાલે કહ્યું કે અરુણાચલ પ્રદેશના એક ભારતીય નાગરિકની અટકાયતનો મુદ્દો ચીની પક્ષ સમક્ષ મજબૂતીથી ઉઠાવવામાં આવ્યો છે. તેમણે […]

ભારત અને યુકેની સેનાએ રાજસ્થાનમાં અજેય વોરિયર યુદ્ધાભ્યાસ કર્યો

જયપુરઃ ભારત અને યુનાઇટેડ કિંગડમની સેનાઓ સંયુક્ત યુદ્ધાભ્યાસ ‘અજેય વોરિયર’ કરી રહી છે. આ દરમિયાન બંને સેનાઓએ આતંકવાદીઓ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહીનો અભ્યાસ કર્યો છે. આ અભિયાનમાં ભારત અને યુકેના જવાનો હેલિકોપ્ટરની સહાયતાથી આતંકવાદીઓના ઠેકાણાઓ પર પહોંચ્યા, તેમના પર હુમલો કર્યો અને આતંકી ઠેકાણા નષ્ટ કરીને સુરક્ષિત પાછા નીકળી આવ્યા. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના મહાજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code