1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં દિવાળી પર્વનો સમાવેશ

નવી દિલ્હીઃ ભારતની સૌથી વધુ ઉજવાતી પરંપરાઓમાંની એક, દિવાળી, યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સત્તાવાર રીતે સામેલ થઈ છે. નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા પરની આંતર-સરકારી સમિતિના 20મા સત્ર દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. દિવાળી એકતા, નવીનતા અને સામાજિક સંવાદિતાના મૂલ્યોને મૂર્તિમંત કરે છે અને વૈશ્વિક ભારતીય ડાયસ્પોરામાં વ્યાપકપણે ઉજવાય […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપી ડો.બિલાલની ધરપકડ, મુખ્ય આરોપીને આશરો આપ્યો હતો

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા મહિને રાજધાની દિલ્હીમાં થયેલા ભયાનક બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા હાંસલ કરી છે. એજન્સીએ આ કેસમાં કાર્યવાહી કરતા બારામુલ્લાના ડો. બિલાલ નસીર મલ્લાની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલો તે આઠમો આરોપી છે. ધરપકડ બાદ આરોપી ડો. બિલાલ મલ્લાને દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. […]

ઈન્ડિગોનું સંકટ યથાવત: ૩૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ, સરકારનો 10 ટકા ફ્લાઈટ કાપનો આદેશ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોનું સંકટ હજુ ટળ્યું નથી. સંસદમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીના આશ્વાસન છતાં, બુધવારે પણ 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરલાઈનમાં ચાલી રહેલી અંધાધૂંધીને કારણે સરકારે હવે ઈન્ડિગોની કામગીરી સ્થિર ન થાય ત્યાં સુધી તેની ફ્લાઈટ શિડ્યુલમાં 10 ટકાનો કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન […]

UPIને IMF એ દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ માની

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જૂન 2025ના રિપોર્ટ ‘ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ (ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી)’ માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ને ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ના હિસાબે દુનિયાની સૌથી મોટી રિટેલ ફાસ્ટ-પેમેન્ટ સિસ્ટમ (FPS) માનવામાં આવી છે. આ ઉપરાંત, ACI વર્લ્ડવાઇડના 2024 ના રિપોર્ટ ‘પ્રાઇમ ટાઇમ ફોર રિયલ-ટાઇમ’ અનુસાર, UPIની ગ્લોબલ રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ “પહલા કદમ સ્કૂલ” ની મુલાકાત લીધી, દિવ્યાંગ બાળકો માટે નયી ઉડાન કાફેનું ઉદ્ઘાટન

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મંગળવારે ધનબાદ સ્થિત નારાયણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘પહેલા કદમ’ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગ બાળકો સાથે વાતચીત કરી બાળકોનું મનોબળ વધાર્યુ એટલું જ નહીં તેમણે બાળકોને આત્મનિર્ભરતા તરફનો નવો માર્ગ પણ બતાવ્યો. મંગળવાર (9 ડિસેમ્બર) ના રોજ ગૌતમ અદાણીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ) ધનબાદના વિદ્યાર્થીઓને […]

ગૂગલઃ પાકિસ્તાનમાં બાબર આઝમ નહીં પરંતુ આ ભારતીય ખેલાડી થયો સૌથી વધારે સર્ચ

નવી દિલ્હીઃ ભારતના યુવા ઓપનર અભિષેક શર્માએ 2025માં એક એવો કમાલ કરી બતાવ્યો, જેની લોકોએ કલ્પના પણ કરી ન હતી. તે માત્ર ભારતીય ક્રિકેટ ચાહકોની પસંદ જ ન બન્યો, પરંતુ પાકિસ્તાનમાં પણ તેની લોકપ્રિયતાએ બાબર આઝમ જેવા દિગ્ગજ ખેલાડીને પણ પાછળ છોડી દીધો છે. ગૂગલ સર્ચ ટ્રેન્ડ્સ 2025માં સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાનમાં ક્રિકેટ ચાહકોએ […]

PM-કિસાન યોજના હેઠળ 4 લાખ કરોડથી વધુનું વિતરણ: કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 21 હપ્તાઓ દ્વારા દેશના ખેડૂતોને ચાર લાખ કરોડ રૂપિયાથી વધુનું વિતરણ કર્યું છે. આ યોજના ભારતીય કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણ માટે સરકારની મુખ્ય પહેલ રહી છે. તેમ લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ […]

રાષ્ટ્રપતિએ 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો રજૂ કર્યા

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(9 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે કલા આપણી ભૂતકાળની યાદો, આજના અનુભવો અને ભવિષ્ય માટેની આશાઓને પ્રતિબિંબિત કરે છે. પ્રાચીન કાળથી, માનવી ચિત્રકામ અથવા શિલ્પકલા દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. […]

ડો.એસ.જયશંકરે પુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઈકોનોમિક સિક્યુરિટી મારોસ સેફકોવિક સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી મારોસ સેફકોવિક સાથે મુલાકાત કરી. વિદેશ મંત્રીએ આશા વ્યક્ત કરી કે પ્રતિનિધિમંડળની બેઠકો ફળદાયી રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, એસ. જયશંકરે લખ્યું, “આજે નવી દિલ્હીમાં યુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી મારોસ સેફકોવિક સાથે મુલાકાત કરીને […]

વોશિંગ્ટન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં ઘણા મુખ્ય મુદ્દાઓ વણઉકેલાયેલાઃ ઝેલેન્સકી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું છે કે વોશિંગ્ટન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાં ઘણા મુખ્ય મુદ્દાઓ વણઉકેલાયેલા છે. ડાઉનિંગ સ્ટ્રીટ પર પહોંચતા પહેલા થોડા સમય પહેલા એક નિવેદનમાં, તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાના પ્રસ્તાવમાં સમાવિષ્ટ “સંવેદનશીલ મુદ્દાઓ” પર વધુ ચર્ચા કરવાની જરૂર છે, જેમાં સુરક્ષા ગેરંટી અને પૂર્વીય યુક્રેનિયન પ્રદેશોના નિયંત્રણનો સમાવેશ થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code