1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટો નિર્ણય: ચેન્નાઈમાં અરાક્કોનમ-ચેંગલપટ્ટુ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

ચેન્નાઈ, 19 મે 2026: ભારતીય રેલવેએ દેશભરમાં સુરક્ષિત, ઝડપી અને વધુ કાર્યક્ષમ રેલ પરિવહન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને સુદ્રઢ કરતા, સધર્ન રેલવેના અરાક્કોનમ-ચેંગલપટ્ટુ ડબલિંગ પ્રોજેક્ટ (68 km)ને રૂ. 993 કરોડના ખર્ચે મંજૂરી આપી છે. આ સેક્શન ચેન્નાઈ બીચ, તાંબરમ, ચેંગલપટ્ટુ અને અરાક્કોનમને જોડતા મહત્વપૂર્ણ ચેન્નાઈ ઉપનગરીય સર્ક્યુલર રેલ નેટવર્કનો એક ભાગ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે […]

જમ્મુ-કાશ્મીર રેલવે સેક્શનની સુરક્ષા માટે વૈષ્ણો દેવી કટરા રૂટ પર 238 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

નવી દિલ્હી, 19 મે 2026: ભારતીય રેલવેએ ઉત્તર રેલવેના જમ્મુ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સેક્શન પર રૂ. 238 કરોડના ખર્ચે ક્રિટિકલ સ્લોપ સ્ટેબિલાઇઝેશન, ટનલ રિહેબિલિટેશન અને બ્રિજ પ્રોટેક્શનના કામોને મંજૂરી આપી છે. મંજૂર કરાયેલા કામોમાં જમ્મુ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રૂટ પરના સંવેદનશીલ સ્થળોએ સ્લોપ સ્ટેબિલાઇઝેશન, પુનઃસ્થાપનના ઉપાયો, ટનલ સીપેજ સમસ્યાઓનો ઉકેલ, બ્રિજ પ્રોટેક્શનના કામો અને […]

હવે વૈશ્વિક ઇન્ટરનેટ પર મોટો ખતરો: હોર્મુઝ સ્ટ્રેટમાં સમુદ્રી કેબલ પર ટેરિફ ઝીંકવાની ઇરાનની ચીમકી

નવી દિલ્હી, 19 મે 2026: દુનિયાભરમાં આ સમયે ભૌગોલિક-રાજકીય (જીઓ-પોલિટિકલ) સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા પ્રચંડ તણાવની અસર હવે માત્ર યુદ્ધના મેદાન સુધી સીમિત નથી રહી, પરંતુ તેની ગંભીર અસરો ક્રૂડ ઓઇલની કિંમતો અને વૈશ્વિક સપ્લાય ચેઇનથી લઈને હવે સીધી ડિજિટલ દુનિયા એટલે કે ઇન્ટરનેટ સુધી પહોંચી […]

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભુવન ચંદ્ર ખંડુરીનું લાંબી બીમારી બાદ નિધન

નવી દિલ્હી, 19 મે 2026: former Chief Minister Bhuvan Chandra Khanduri ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવન ચંદ્ર ખંડુરીનું આજે લાંબી બીમારી બાદ દેહરાદૂન સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 91 વર્ષના હતા. ભૂતપૂર્વ આર્મી મેજર જનરલ ખંડુરી ઉત્તરાખંડના બે વાર મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય માર્ગ […]

બાંગ્લાદેશમાં દરગાહ પર કટ્ટરપંથીઓના હુમલા: આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને વ્યક્ત કરીચિંતા

ઢાકા, 19 મે 2026: બાંગ્લાદેશમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલા અને એક પવિત્ર દરગાહમાં કરાયેલી તોડફોડની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને આકરા શબ્દોમાં નિંદા કરી છે. સંગઠને આશંકા વ્યક્ત કરી છે કે, જો આવી હિંસક ઘટનાઓને રોકવામાં નહીં આવે અને દોષિતોને કડક સજા કરવામાં નહીં આવે, તો ઉગ્રવાદી જૂથોની હિંમત વધુ વધશે. ફ્રાન્સ સ્થિત માનવાધિકાર સંગઠન ‘જસ્ટિસ મેકર્સ […]

ગાંધીનગરમાંથી ઇન્ટરનેશનલ ડ્રગ્સ અને ટેરર ફાયનાન્સિંગ નેટવર્કનો પર્દાફાશ: 9આરોપીઓ ઝડપાયા

ગાંધીનગર, 19 મે 2026: રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દે તેવા એક સૌથી મોટા ઓપરેશનની સફળતા સામે આવી છે. ગાંધીનગરમાં સક્રિય એવા એક ખૂબ જ મોટા ‘ઈન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્ક’ અને તેની સાથે સીધા જોડાયેલા ‘ટેરર ફાયનાન્સિંગ’ રેકેટનો પર્દાફાશ થયો છે. ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા એક અત્યંત ગુપ્ત અને હાઈટેક ઓપરેશન હાથ ધરીને […]

ઇઝરાયેલની સેનાએ એક હજાર ચોરસ કિમી જમીન પર કબ્જો કર્યો, મીડલ ઈસ્ટમાં ચિંતા

તેલ અવીવ, 19 મે 2026: 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ ઇઝરાયેલે પોતાની સૈન્ય નીતિમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર હવે પહેલા કરતાં વધુ આક્રમક વ્યૂહરચના સાથે કામ કરી રહી છે. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, છેલ્લા આશરે ત્રણ વર્ષના ગાળામાં ઇઝરાયેલે ગાઝા, લેબનાન અને સીરિયાની લગભગ ૧,০০০ […]

ઓપરેશન સિંદૂર ભારતની સ્માર્ટ પાવરનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ, સુરક્ષા વિના વિકાસ અશક્ય: આર્મી ચીફ

નવી દિલ્હી, 19 મે 2026: આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ને ભારતની ‘સ્માર્ટ પાવર’ (ચતુર અને વહૂઆયામી વસૂલાત શક્તિ)નું સૌથી મોટું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ સૈન્ય અભિયાનમાં લશ્કરી કાર્યવાહી, માહિતી નિયંત્રણ, રાજદ્વારી સંદેશાવ્યવહાર અને આર્થિક દબાણ જેવા તમામ પાસાઓનો એકસાથે અને અત્યંત સચોટ ઉપયોગ કરવામાં […]

વૈશ્વિક રાહતના સમાચારથી શેરબજારમાં તેજી: ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

મુંબઈ, 19 મે 2026: crude oil prices fall વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવ હળવો થતાં જ આજે ભારતીય શેરબજારમાં રોનક પરત ફરી છે. અમેરિકાએ ઇરાન પર સંભવિત લશ્કરી હુમલો ટાળ્યો હોવાના સકારાત્મક અહેવાલોને પગલે ભારતીય શેરબજાર આજે મજબૂત સ્થિતિમાં ખુલ્યા હતા. યુદ્ધ વિરામની વધેલી શક્યતાઓને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે, […]

ભારતીય નાગરિકતા માટે પાકિસ્તાન સહિત ૩ દેશના અરજદારોએ પાસપોર્ટની સંપૂર્ણ વિગતો આપવી પડશે

નવી દિલ્હી, 19 મે 2026: ગૃહ મંત્રાલય દ્વારા નાગરિકતા નિયમ, ૨૦૦૯માં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને નવું જાહેરનામું (નોટિફિકેશન) બહાર પાડવામાં આવ્યું છે. આ સુધારા અંતર્ગત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં નાગરિકતા માટે અરજી કરતા વ્યક્તિઓએ હવે તેમના પાસપોર્ટની (માન્ય હોય કે સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય) સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code