1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

વેનેઝુએલા ભૂકંપમાં મોતનો આંકડો 2595 ઉપર પહોંચ્યો, 12000થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ન્યુયોર્ક, 3 જુલાઈ 2026: વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે 2,595 લોકોના મોત થયા છે અને 12000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, ભૂકંપના તીવ્ર આંચકાઓને કારણે દેશમાં 189 ઈમારતો ધરાશાયી થઈ છે. કાર્યકારી રાષ્ટ્રપતિ રોડ્રિગ્ઝ અસ્થાયી કેમ્પ બનાવવા માટેના કમાન્ડ સેન્ટરના વડા પણ છે. અગાઉ તેમણે આરોગ્ય કાર્યકરો, સુરક્ષા કર્મચારીઓ અને […]

ATSની મોટી કાર્યવાહી: ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશના 8 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ

ગાંધીનગર, 03 જુલાઈ 2026: Arrest of 8 suspected Jaish terrorists ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. શુક્રવારે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે સંકળાયેલા આઠ આરોપીઓની ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ગુજરાતમાં તેમની આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે ‘જૈશ-એ-મોહમ્મદ’નું સક્રિય નેટવર્ક સ્થાપિત કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. ગુજરાત ATSના […]

તમિલનાડુ: મુખ્યમંત્રી વિજય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ DMKના પૂર્વ મંત્રી અનિતા રાધાકૃષ્ણનની ધરપકડ

ચેન્નઈ, 03 જુલાઈ 2026: Arrest of former DMK Minister Anita Radhakrishnan તમિલનાડુના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજય વિરુદ્ધ અપમાનજનક અને અભદ્ર ભાષણ આપવા બદલ પોલીસે ડીએમકેના ભૂતપૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય અનિતા આર. રાધાકૃષ્ણનની ધરપકડ કરી હતી. મદ્રાસ હાઈકોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધા બાદ તરત જ તેમની ધરપકડ […]

અમેરિકી મહિલાએ ભારત અને અમેરિકામાં દવાની કિમતોના તફાવત સામે રોષ વ્યક્ત કર્યો

રિવોઈ ન્યૂઝ, 3 જુલાઈ, 2026 – ભારતમાં રહેતા એક અમેરિકન મહિલાએ બંને દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચની તુલના કરીને અમેરિકન સ્વાસ્થ્ય સેવા સામે બળાપો કાઢ્યો છે. ‘ભારતીય વિરુદ્ધ અમેરિકન હેલ્થકેર’ શીર્ષકવાળા એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં, લિઝ નામના આ મહિલાએ દાવો કર્યો છે કે ભારતની સરખામણીમાં અમેરિકામાં લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. તેણીએ પોતાની કાકીની સ્વાસ્થ્ય સ્થિતિનું વિગતવાર વર્ણન […]

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું, 60 રસ્તાઓ બંધ

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: સતત મુશળધાર વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે. શુક્રવારે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ, રાજ્યના કુલ 60 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. કિન્નૌર જિલ્લામાં વાદળ ફાટવાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-05 (NH-05) પણ અવરોધિત થયો છે, જેના કારણે વાહનવ્યવહારમાં વ્યાપક અવરોધ ઉભો થયો છે. ચોમાસાની […]

રામ મંદિરના દાનની ચોરી અંગે RSSનો પ્રથમ પ્રતિભાવ આવ્યો, જુઓ વીડિયો

નાગપુર, 3 જુલાઈ, 2026 – રામ મંદિરના દાનની ચોરી અંગે RSS દ્વારા પ્રથમ વખત સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો છે. આરએસએસના સરકાર્યવાહે આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા સંઘનો પ્રતિભાવ જાહેર કર્યો છે. આ વીડિયો સંદેશાની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમણે હિન્દુ સમાજને સનાતન વિરોધી પરિબળોનાં કાવતરાં સામે સાવધાન રહેવા અને દાનની ચોરીના કેસમાં […]

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામા બસ ખીણમાં ખાબકી, 40 મુસાફરોના મોત

ક્વેટા, 03 જુલાઈ 2026: Bus plunges into ravine in Khyber Pakhtunkhwa બલૂકિસ્તાનના શેરાની જિલ્લાના ધનાસર વિસ્તારથી ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન તરફ જઈ રહેલી એક પેસેન્જર બસ ખીણમાં ખાબકતાં ઓછામાં ઓછા 40 લોકોનાં મોત થયાં હતાં અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. બલૂકિસ્તાનના મુખ્યમંત્રીના મીડિયા અને રાજકીય બાબતોના સલાહકાર શાહિદ રિંદના એક નિવેદનમાં જણાવાયું […]

કર્ણાટકના બેલગાવીમાં પ્રાચીન વાવ મળી આવીઃ જુઓ વીડિયો

બેંગલુરુ, 3 જુલાઈ, 2026 – કર્ણાટકના બેલગાવીમાં દાયકાઓ જૂના કચરા અને કાટમાળ નીચેથી કર્ણાટકનો એક છુપાયેલો વારસો બહાર આવ્યો છે. અહીં 300-વર્ષ જૂની વાવનો પુનઃઉદ્ધાર કરવામાં આવ્યો છે. આ સાથે તેનું ઐતિહાસિક સ્થાપત્ય દુનિયા સમક્ષ ઉજાગર થયું છે અને ભૂલાઈ ગયેલો જળ સ્ત્રોત પુનર્જીવિત થયો છે. મીડિયા અહેવાલો અનુસાર, કર્ણાટકના બેલગાવી જિલ્લામાં સદીઓ જૂની એક […]

દિલ્હીમાં અમિત શાહના નિવાસે ભાજપની અઢી કલાક લાંબી હાઈપ્રોફાઈલ બેઠક: સંગઠનમાં મોટા ફેરફારના સંકેત

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુરુવારે (2 જુલાઈ) ભારતીય જનતા પાર્ટીની એક અત્યંત મહત્ત્વની અને હાઈપ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે અઢી કલાક સુધી ચાલેલી આ દીર્ઘ બેઠકમાં પક્ષના નવા સંગઠન માળખા અને આગામી રણનીતિ અંગે […]

પ્રધાનમંત્રી 4 જુલાઈના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાતે

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. આશરે 10:45 AM વાગ્યે, પ્રધાનમંત્રી જોધપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને જોધપુરમાં મોડિફાઇડ UDAN યોજનાનો શુભારંભ કરાવશે. ત્યારબાદ, આશરે 12:15 PM વાગ્યે, તેઓ આશરે રૂ. 1.06 લાખ કરોડના મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવા, ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code