1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઓમર અબ્દુલ્લા સહિતના વિપક્ષી નેતાઓ તપાસની માંગ કરી

જમ્મુ અને કાશ્મીર, 28 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આવા પ્રભાવશાળી નેતાનું નિધન દેશ માટે મોટું નુકસાન છે. તેમણે સમગ્ર મામલાની પારદર્શક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી, જેથી વિમાન દુર્ઘટના પાછળના કારણો સ્પષ્ટ […]

‘બારામતી વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ’- મમતા બેનર્જી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊડો શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, તેમણે બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તપાસ […]

અજિત પવારના નિધન પર રાષ્ટ્રપતિ અને PM મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં થયેલું આકસ્મિક નિધન દેશભરના રાજકારણ માટે આઘાતજનક સમાચાર છે. આ દુઃખદ ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષ-વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કરતા જણાવ્યું […]

અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર

મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે મુંબઈમાં એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યમાં એક દિવસની જાહેર રજા અને ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અત્યંત ભારે હૈયે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, “અજિત દાદાના અવસાનથી […]

રશિયા-યુક્રેન યુદ્ધ : બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી તબાહી, 3.25 લાખ સૈનિકોએ મોત

વોશિંગ્ટન, 28 જાન્યુઆરી 2026: છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે આધુનિક ઈતિહાસની સૌથી વિનાશક લડાઈ બની ગઈ છે. એક તાજા અમેરિકી રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધીમાં બંને દેશોના મળીને આશરે 20 લાખ સૈનિકો અસરગ્રસ્ત (મૃત્યુ, ઈજાગ્રસ્ત કે લાપતા) થયા છે. આ આંકડો બીજા વિશ્વયુદ્ધ પછીના કોઈપણ સૈન્ય સંઘર્ષમાં સૌથી […]

ભારત હવે વિશ્વશક્તિ બનવા તૈયાર, સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા દેશની ભાવિ દિશા અને સરકારની પ્રાથમિકતાઓનો સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં અંતરિક્ષ વિજ્ઞાનમાં ભારતની હરણફાળ, સામાજિક ન્યાયનો વિસ્તાર અને ભ્રષ્ટાચાર સામેની કડક લડાઈ જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાની આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મુલાકાતને […]

મેક ઇન ઇન્ડિયા: 38 વર્ષ બાદ ભારત ફરી બનાવશે પેસેન્જર પ્લેન

હૈદરાબાદ, 28 જાન્યુઆરી 2026: ભારતની સરકારી એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ સિવિલ એવિએશન એટલે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ધમાકેદાર પુનરાગમન કર્યું છે. હૈદરાબાદમાં યોજાયેલા ‘વિંગ્સ ઈન્ડિયા 2026’ એક્સ્પોમાં HAL એ રશિયન પેસેન્જર પ્લેન સુપરજેટ SJ-100 પ્રદર્શિત કર્યું છે. આ સાથે જ ભારતે લગભગ ચાર દાયકા બાદ ફરીથી પેસેન્જર એરક્રાફ્ટ ઉત્પાદન ક્ષેત્રે કદમ માંડ્યા છે. […]

દુનિયામાં ભારતનો દબદબો યથાવત, સૈન્ય શક્તિમાં ચોથા ક્રમે

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: વિશ્વભરમાં હાલ 52 જેટલા સક્રિય સૈન્ય સંઘર્ષો અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ‘ગ્લોબલ ફાયરપાવર’ દ્વારા વર્ષ 2026નું સૈન્ય શક્તિ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 145 દેશોની પરંપરાગત યુદ્ધ ક્ષમતાના વિશ્લેષણ બાદ જાહેર થયેલા આ રિપોર્ટમાં ભારતે ફરી એકવાર વિશ્વમાં પોતાની તાકાત બતાવી છે. ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ચોથા […]

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]

ચંદીગઢ શહેરની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી

ચંદીગઢ, 28 જાન્યુઆરી 2026: ચંદીગઢ શહેરની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં ખળભળાટ મચી ગયો, જેના કારણે તેમને રજા જાહેર કરવી પડી હતી અથવા વિદ્યાર્થીઓને ખાલી કરાવવા પડ્યા હતા. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પરિસરની સઘન તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં. સાયબર સેલ ધમકીભર્યા ઈમેલની તપાસ કરી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code