1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારત અને વિયેતનામ વચ્ચે આધુનિક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત, 13 મહત્વના કરાર પર હસ્તાક્ષર

નવી દિલ્હી, 6 મે 2026: ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બુધવારે હૈદરાબાદ હાઉસમાં ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ ભારત અને વિયેતનામના સંબંધોને નવા સ્તરે લઈ જવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બંને દેશો હવે ‘આધુનિક […]

ભારત અને EU વચ્ચે EV બેટરી રિસાયક્લિંગ માટે રૂ. 169 કરોડના સંયુક્ત પ્રોજેક્ટની જાહેરાત

નવી દિલ્હી, 6 મે 2026: ભારત સરકાર અને યુરોપિયન યુનિયન (ઈયુ) એ ગ્રીન અને ક્લીન એનર્જીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક કદમ ઉઠાવતા ઈવી બેટરી રિસાયક્લિંગ ટેકનોલોજી માટે દરખાસ્તો મંગાવવાની જાહેરાત કરી છે. ભારત-ઈયુ ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલના માળખા હેઠળ આ ત્રીજા સંકલિત આમંત્રણની શરૂઆત 5 મે 2026 ના રોજ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લિથિયમ […]

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને એલએનસીટી યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માનદ ડૉક્ટરેટની ડિગ્રી એનાયત

રાજ્યસભાના સાંસદ અને સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર રાજીવ શુક્લા, સાંસદ અને સિનેમેટિક આઈકોન રવિકિશન, ફિલ્મ નિર્દેશક મુકેશ છાબરા, એસ.એ.જી.ઈ યુનિ.ભોપાલના કુલપતિ સંજીવ અગ્રવાલને પણ  માનદ ડૉક્ટરેટની ડિગ્રી એનાયત નડિયાદ, 6 મે, 2026 – ખેડાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ભોપાલસ્થિત એલએનસીટી યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. દેવુસિંહ ઉપરાંત આ પદવીદાન સમારંભમાં સાંસદો […]

ભારત-પાક. વચ્ચે દ્વિપક્ષીય ખેલ સંબંધો પર પ્રતિબંધ યથાવત: આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આમને-સામને ટકરાશે

નવી દિલ્હી, 6 મે 2026: ખેલ મંત્રાલયે બુધવારે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય રમતગમતના સંબંધો પર લાદવામાં આવેલો પ્રતિબંધ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. જોકે, આંતરરાષ્ટ્રીય અને બહુપક્ષીય સ્પર્ધાઓમાં બંને દેશોના ખેલાડીઓની ભાગીદારી પર કોઈ રોક લગાવવામાં આવી નથી. મંત્રાલયે તમામ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો અને ભારતીય ઓલિમ્પિક સંઘને આ અંગે લેખિત જાણકારી આપી […]

ભાજપના આ મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલા લીધું હતું ચંપલ નહીં પહેરવાનું પ્રણ, જુઓ Video

કોલકાતા, 6 મે, 2026 – ભાજપના એક મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલાં કંઈક એવું પ્રણ લીધું હતું જે હવે પૂર્ણ થયું છે. રાજ્યમાં ચોથી મેએ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી દર થોડા થોડા કલાકે કાંતો સોશિયલ મીડિયા ઉપર અથવા મુખ્ય પ્રવાહના મીડિયામાં એવા એવા સમાચાર મળી રહ્યા છે જે કોઈને પણ ભાવૂક બનાવી દે. આજે […]

તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: વિજયની TVKને કોંગ્રેસનું સમર્થન, સ્ટાલિને વ્યક્ત કરી નારાજગી

ચેન્નાઈ, 6 મે 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ (ટીવીકે) ને સરકાર બનાવવા માટે કોંગ્રેસે સમર્થન જાહેર કરતા મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસના આ પગલાથી દ્રમુક (ડીએમકે) છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્ટાલિને તેને ગઠબંધન ધર્મ સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો […]

UAE તરફથી 11 મે સુધી એયરસ્પેસ પર પ્રતિબંધ

દુબઈ, 6 મે 2026: ઈરાને મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા બાદ સંયુક્ત અરબ અમીરાતે (UAE)હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ લગાવ્યો છે. સુરક્ષા જોખમ અને નાગરિક ઉડ્ડયનને સુરક્ષિત રાખવાના હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.  સંયુક્ત અરબ અમીરાતે કેટલાક રૂટ્સ પર 11 મે સુધી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો છે અને ‘ઈમરજન્સી સિક્યોરિટી પ્રોટોકોલ’ સક્રિય કર્યો છે. ફ્લાઈટ્સને નિર્ધારિત […]

પશ્ચિમ બંગાળમાં હજુ પણ ગુંડાઓ સક્રિય, સલામતી દળો ઉપર કર્યો ગોળીબાર, પાંચ જવાન ઘાયલ

કોલકાતા, 6 મે, 2026 – પશ્ચિમ બંગાળમાં હજુ પણ ગુંડાઓ સક્રિય છે. રાજ્યમાં ચૂંટણી પરિણામ આવ્યા પછી બધા રાહતનો દમ લઈ રહ્યા હતા ત્યારે જ 24 પરગણા વિસ્તારમાં જેહાદી તત્વોએ સલામતી દળો ઉપર કર્યો ગોળીબાર કર્યો છે જેમાં ત્રણ પોલીસકર્મી સહિત પાંચ જવાન ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળમાં સુરક્ષા દળો પર હુમલો […]

Video: પંજાબમાં એક જ રાતમાં બે સ્થળે બોંબ વિસ્ફોટ, આતંકી કાવતરાની તપાસ

ચંદીગઢ, 6 મે, 2026 – પંજાબમાં એક જ રાતમાં બે સ્થળે બોંબ વિસ્ફોટ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્ફોટો પાછળ કોઈ આતંકી કાવતરું છે કે કેમ તેની તપાસ સલામતી એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. પંજાબમાં જલંધર અને અમૃતસરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ઠેકાણાઓ પાસે એક પછી એક બે ધડાકા થયા. એક ધડાકો […]

ટેકનોલોજી આધારિત નવીનતા ભારતના આર્થિક પુનરુત્થાનની ચાવી છે: ડૉ. જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હી, 5 મે 2026: કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન અને પીએમઓ, કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) દ્વારા પ્રેરિત ટેકનોલોજી-આધારિત નવીનતા ભારતના આર્થિક પુનરુત્થાનની ચાવી છે, જેનું યોગદાન સંશોધનથી ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ અને રાષ્ટ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code