1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કિશ્તવાડ એન્કાઉન્ટરમાં સેનાનો જવાન શહીદ, 3 આતંકવાદીઓ ફસાયા

જમ્મુ, 19 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના સિંઘપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. બંને બાજુથી ભારે ગોળીબાર થયો, જેના પરિણામે એક સૈનિકનું મોત થયું અને સાત અન્ય ઘાયલ થયા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. અધિકારીઓએ જણાવ્યું હતું […]

બીજાપુરમાં સર્ચ ઓપરેશન દરમિયાન છ માઓવાદીઓ ઠાર મરાયાં

નવી દિલ્હી 19 જાન્યુઆરી 2026: છત્તીસગઢના બીજાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ચાર મહિલાઓ સહિત છ માઓવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી ચાર માઓવાદીઓની ઓળખ કરવામાં આવી છે અને તેમના પર 20 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા માઓવાદીઓમાં ડિવિઝનલ કમિટીના સભ્ય દિલીપ […]

T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના વલણનો લાભ લેવા માંગે છે પાકિસ્તાન

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026 : ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 પર જોખમ તોળાઈ રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા રાજકીય તણાવને કારણે હવે રમતગમત જગતમાં પણ વિવાદ શરૂ થયો છે. બાંગ્લાદેશે સુરક્ષા કારણોસર ભારતમાં રમવા અંગે ખચકાટ વ્યક્ત કરીને વેન્યુ બદલવાની માંગ કરી છે, જેમાં હવે પાકિસ્તાન […]

હાફિઝના આતંકીએ ભારતને ફરીથી આપી ધમકી, સુરક્ષા એજન્સીઓ સાબદી બની

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો ધમધમી રહ્યાં છે અને પાકિસ્તાનમાં બેઠાલા આતંકવાદીઓ ભારતમાં ભાંગફોડ કરવાની મેલી મુરાદ ધરાવે છે અને અવાર-નવાર ભારતને ધમકીઓ આપે છે. દરમિયાન પાકિસ્તાનને ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે. હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડર આમિર જીયાએ ઓપન મંચ ઉપર કાશ્મીરમાં આતંક ફેલાવવા અને ભારતમાં તબાહી મચાવવાની […]

ગાઝા પીસ બોર્ડમાં ભારત સામેલ થશે તો ભારતીય મૂળના બે સભ્યો હશે

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ગાઝામાં શાંતિની સ્થાપના માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ગાઝા પીસ બોર્ડની સ્થાપના કરી છે. આ બોર્ડનું મુખ્ય કામ વિકાસ અને શાંતિ જાળવવાનું રહેશે. ટ્રમ્પ આ બોર્ડના ચેરમેન હશે. બોર્ડમાં લગભગ 60 જેટલા સભ્યો સામેલ કરવામાં આવશે. બોર્ડમાં સામેલ થવા માટે ભારત સરકારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતે ટ્રમ્પના આ […]

મોદીને ગાઝામાં કાયમી શાંતિ લાવવા કાર્યરત બોર્ડ ઓફ પીસમાં જોડાવવા ટ્રમ્પનું આમંત્રણ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાઝામાં કાયમી શાંતિ લાવવા કાર્યરત “બોર્ડ ઓફ પીસ”નો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે.આ સંદર્ભમાં ટ્રમ્પે પ્રધાનમંત્રીને એક પત્ર મોકલ્યો છે. પોતાના પત્રમાં, ટ્રમ્પે કહ્યું કે, મધ્ય પૂર્વમાં શાંતિને મજબૂત બનાવવા અને વૈશ્વિક સંઘર્ષના ઉકેલ માટે એક નવો સાહસિક અભિગમ અપનાવવા માટે નરેન્દ્ર મોદીને […]

કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2025: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેના ગોળીબારમાં સેનાના આઠ જવાનો ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકવાદીઓને શોધી કાઢવા તપાસ અભિયાન ચાલી રહ્યું છે. કામગીરીને ઝડપી બનાવવા માટે ડ્રોન અને સ્નિફર ડોગ્સ સહિતના અદ્યતન સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. સેનાના જમ્મુ સ્થિત […]

એકનાથ શિંદેનો હુંકાર, મુંબઈમાં મહાયુતિનો જ મેયર બનશે

મુંબઈ, 19 જાન્યુઆરી 2026: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજય બાદ હવે સૌની નજર મુંબઈના આગામી મેયર કોણ બનશે તેના પર ટકી છે. મેયર પદને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નવનિર્વાચિત કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી, જેના કારણે રાજકીય ગલિયારાઓમાં હલચલ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શનિવારે શિવસેના […]

દિલ્હી-NCRમાં ફરી ધરા ધ્રૂજી: સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: હરિયાણાના સોનીપત અને દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં સોમવારે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર નોર્થ દિલ્હીમાં જમીનની સપાટીથી માત્ર 5 કિલોમીટર નીચે નોંધાયું હતું. સવારે 8.44 વાગ્યે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા ઘણા લોકો ભયના કારણે પોતાના […]

સ્પેનઃ બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર, 21ના મોત

મેડ્રિડ, 19 જાન્યુઆરી 2026 : સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલા કોર્ડોબા શહેર પાસે સોમવારે એક કાળમુખી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ ભયાનક અકસ્માતમાં 70થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ૩૦ની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code