1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાહુલ ગાંધીના નિકટવર્તી રવનીત બિટ્ટૂ ભાજપમાં સામેલ, ચૂંટણી પહેલા કોંગ્રેસને પંજાબમાં મોટો આંચકો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પંજાબમાંથી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે. લુધિયાણાથી કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ટૂ મંગળવારે ભાજપમાં સામેલ થઈ ગયા. તેમણે નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીની પ્રાથમિક સદસ્યતા લીધી. ચૂંટણીથી પહેલા રવનીત બિટ્ટૂના ભાજપમાં જવાને કોંગ્રેસ માટે મોટો આંચકો માનવામાં આવે છે. રવનીત બિટ્ટૂ પંજાબ કોંગ્રેસના મોટા નેતા ગણાય […]

એશિયાના અબજોપતિઓની યાદીમાં મુંબઈ ચીનની રાજધાની કરતા પણ આગળ

મુંબઈઃ ભારતની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ ચીનના બેઈજિંગને પછાડીને પ્રથમ વખત એશિયાની અબજોપતિની રાજધાની બની છે. મુંબઈમાં હવે બેઈજિંગ કરતાં વધુ અબજોપતિ છે. હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર, મુંબઈમાં બેઇજિંગમાં 91ની સરખામણીમાં 92 અબજોપતિ છે. જો કે ચીનની વાત કરીએ તો ભારતમાં 271ની સરખામણીએ 814 અબજોપતિ છે. ન્યૂયોર્ક પછી, મુંબઈ હવે અબજોપતિઓની દ્રષ્ટિએ […]

પીએમ મોદીએ સંદેશખાલીના પીડિતા રેખા પાત્રાને કર્યો ફોન, ગણાવ્યા શક્તિ સ્વરૂપા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશખાલીના એક પીડિતા અને બશીરહાટથી ભાજપના ઉમેદવાર રેખા પાત્રાને ફોન કર્યો. તેમણે ફોન પર રેખા પાત્રાની સાથે વાત કરતા તેમને શક્તિ સ્વરૂપા ગણાવ્યા. પીએમ મોદીએ તેમને ચૂંટણી પ્રચારની તૈયારીઓ અને લોકો વચ્ચે ભાજપ પ્રત્યેનું સમર્થન અને અન્ય મુદ્દાઓ પર વાત કરી. રેખા પાત્રાએ પીએમ મોદીને સંદેશખાલીમાં મહિલાઓની મુશ્કેલીઓ બાબતે જણાવ્યું […]

સુરતમાં બ્રેઈનડેડ દર્દીના અંગોનું દાન, ત્રણ વ્યક્તિઓને મળશે નવી જીંદગી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં અંગદાન અંગે જાગૃતિ વધી છે, જેથી લોકો અંગદાન કરવા માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધને બ્રેઈનસ્ટ્રોકના હુમલા બાદ તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યાં હતા. બ્રેઈનડેડ દર્દીની ઈચ્છાપૂર્તિ માટે પરિવારજનોએ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તબીબો દ્વારા બ્રેઈનડેડ દર્દીની બે નેત્ર અને […]

પાકિસ્તાનમાં ચીની ઈજનેરો પર આત્મઘાતી હુમલો, 5 ચીનીઓના મોત

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં ચીની ઈજનેરોને લઈ જઈ રહેલા કાફલા પર આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં મળતી માહિતી મુજબ  5 ચીની નાગરિકોના જીવ ગયા છે. રિઝનલ પોલીસ ચીફના કહેવા પ્રમાણે ચીની ઈજનેરોને લઈ જઈ રહેલા કાફલામાં વિસ્ફોટક ભરેલા વાહનને આત્મઘાતી હુમલાખોરે અથડાવી દીધું હતું અને તેમાં વિસ્ફોટ થયો હતો. આ કાફલો ઈસ્લામાબાદથી ખૈબર પખ્તૂનખ્વાંના […]

અમેરિકામાં મોટી દુર્ઘટના: બાલ્ટીમોરમાં જહાજના ટકરાવાથી પુલ તૂટયો, નદીમાં પડી ઘણી ગાડીઓ

બાલ્ટીમોર: અમેરિકાના બાલ્ટીમોરમાં મંગળવારે સવારે (સ્થાનિક સમય પ્રમાણે) એક મોટી દુર્ઘટના સર્જાય હતી. અહીં એક કન્ટેનર જહાજના ટકરાયા બાદ એક મોટો પુલ ધ્વસ્ત થયો છે. આ દુર્ઘટનામાં ઘણી ગાડીઓ નીચે નદીમાં પડી ગઈ છે. બીજચી તરફ બચાવકર્મીઓએ જણાવ્યુંછે કે પાણીમાં ઓછામાં ઓછા સાત લોકોની તલાશ કરાય રહી છે એક્સ પર કરવામાં આવેલી પોસ્ટમાં શેયર કરવામાં […]

પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકવાદી હુમલો, તુર્બતમાં PNS સિદ્દીકી નેવલ એરબેઝ પર હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના તુર્બતમાં PNS સિદ્દીકી નેવલ એરબેઝ પર આતંકી હુમલો થયો હતો. નેવી એરબેઝ પર હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન બલૂચિસ્તાન-લિબરેશન-આર્મી (BLA) મજીદ બ્રિગેડે લીધી હતી. આતંકીઓ પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરી રહ્યાં છે. આ ક્ષેત્રના સંસાધનોનો ઉપયોગ કરવા માટે ચીન અને પાકિસ્તાન પર શોષણ કરવાનો […]

મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખવાથી સર્જાયો તણાવ, પોલીસે કહ્યું- 24 કલાકમાં અપરાધીને પકડી લઈશું

બીડ: એક અજ્ઞાત વ્યક્તિએ મહારાષ્ટ્રના બીડ જિલ્લાની મોટી મસ્જિદની દિવાલ પર ધાર્મિક સૂત્ર લખ્યું. તેનાથી વિસ્તારમાં કોમવાદી તણાવ પેદા થઈ ગયો છે. પોલીસે સોમવારે આ ઘટનાના સંદર્ભે મામલો નોંધ્યો છે. જણાવવામાં આવે છે કે અજ્ઞાત વ્યક્તિએ મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખ્યું. આ સૂત્ર મોડી સાંજે મજલગાંવમાં મરકજી મસ્જિદની દિવાલ પર લખલું હતું. તેના પછી […]

પરિવારની સમક્ષ સેક્સ લાઈફની વાત કરવી, પતિને નપુંસક કહેવો ક્રૂરતા: હાઈકોર્ટ

દિલ્હી: છૂટાછેડા સાથે જોડાયેલા એક મામલામાં દિલ્હી હાઈકોર્ટે મહત્વની ટીપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે જાહેરમાં પતિને નપુંસક કહેવો અથવા યૌન સંબંધોને લઈને વાતચીત કરવી માનસિક ક્રૂરતા છે. પતિનો આરોપ હતો કે પત્ની ચીડચીડા સ્વભાવની છે અને તે નાની-નાની વાતો પર ઝઘડા કરે છે. તેની સાથે તેનું કહેવું હતું કે તે બેહદ અભદ્ર રીતે […]

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકોની સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર પણ તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. દરમિયાન ભાજપાએ વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાએ વિધાનસભાની પોરબંદર બેઠક ઉપર અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠક ઉપર અરવિંદ લાડાણી, ખંભાત બેઠક ઉપર ચિરાગ પટેલ, વિજાપુર બેઠક ઉપર સી.જે.ચાવડા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code