1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે
વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે

વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે

0
Social Share

ગાંધીનગરઃ રાજયમાં પ્રવર્તી રહેલા સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ (GLSA) દ્વારા જણાવાયું છે.

વધુમાં જણાવાયાનુસાર “બિપરજોય” વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લામાં તા. 17 જૂન 2023ના રોજ રાત્રે 11.59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વાવાઝોડાની સંભવિત આફતના સમયે લોકો પોતાના સગા-સ્નેહીઓ સાથે સંપર્કમાં રહી શકે તે માટે તેમજ જરૂરી મદદ માગી શકે તે માટે કોઈપણ ટેલિકોમ ઓપરેટરોના નેટવર્કનો ઉપયોગ કરી શકાશે. જેના માટે સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. રાજ્યના કચ્છ. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લાના નાગરિકો આ સેવાનો મર્યાદિત સમયમાં ઉપયોગ કરી શકશે. રાજ્ય સરકારે પણ મોબાઈલ નેટવર્ક સેવા ખોરવાઈ ન જાય તેના માટે પગલાં લીધા છે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code