1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ – ત્રણ આતંકીઓ સેનાના નિશાના પર
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ – ત્રણ આતંકીઓ સેનાના નિશાના પર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ – ત્રણ આતંકીઓ સેનાના નિશાના પર

0
Social Share
  • જમ્મું કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ
  • ત્રણ આતંકીઓની સુરક્ષાદળો અટકાયત કરી

શ્રીનગર – જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મૂઠભેદ શરુ થઈ ચૂકી  છે. મીડિયા રિપોર્ટસ મુજબ પુલવામાના કાકાપોરા વિસ્તારમાં એન્કાઉન્ટરની શરૂઆત થઈ છે. આ સમય દરમિયાન સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઘેર્યા હતા, પોલીસ અને સુરક્ષા દળો દ્વારા જવાબી કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે.

આ પહેલા એવા સમાચાર મળ્યા હતા કે, આતંકીઓ કાશ્મીરના અનંતનાગ, કુલગામ અને પુલવામા જિલ્લાઓમાંથી પસાર થતા હાઈવે પર પોતાનો અડ્ડો બનાવી રહ્યા છે. આ વિસ્તારોમાં આતંકવાદીઓ ઓજી કામદારો અને સ્થાનિક યુવાનોને તેમના સંપર્કમાં લઇને હુમલાની વ્યૂહરચના બનાવી રહ્યા છે. આતંકીઓ આ માર્ગો પર મુસાફરો અને સુરક્ષા દળોના કાફલાઓને નિશાન બનાવી શકે છે, જેમાં આઈઈડી અને સ્ટીકી બોમ્બનો ઉપયોગ કરી શકેછે.

આતંકવાદીઓ આ જિલ્લાઓમાં હાઈવે અને અન્ય કનેક્ટિવિટી માર્ગો હુમલા માટે ઉપયોગમાં લેતા હો છે. ઉલ્લેખનીય છે કે,આતંકીઓનું દરેક કાવતરું નિષ્ફળ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી આતંકીઓના દરેક  કાવતરા નિષ્ફળ રહ્યા છે, સુરક્ષાદળો એ આતંકીઓના ઈરાદાઓ હંમેશા નાકામ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, આતંકવાદી સંગઠનો અનરનાથ યાત્રીઓને ટારગેટ કરવાના ફીરાકમાં છે. યાત્રા પહેલા કાશ્મીરમાં હુમલાઓ કરીને મુસાફરીની વ્યવસ્થાને વિક્ષેપિત કરવા અને હુમલોને વધુ તીવ્ર બનાવી મુસાફરોને ડરાવવાનો આતંકીઓ પ્રયત્ન કરી રહ્યા છે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code