1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચડીમાં પ્રવેશમાં ગેરરીતિના મામલે કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચડીમાં પ્રવેશમાં ગેરરીતિના મામલે કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પી.એચડીમાં પ્રવેશમાં ગેરરીતિના મામલે કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ એકબીજાનું પર્યાય બની ગયા છે. તાજેતરમાં યુનિ. દ્વારા લેવાયેલી PHDની પ્રવેશ પરીક્ષા બાદ ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટી દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયામાં મેરીટનો ઉલાળીયો કરવામાં આવતા અને હોનહાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. આ મામલે યુનિ.ના સત્તાધિશોને વિદ્યાર્થીઓ અને સેનેટ સભ્યો દ્વારા રજુઆત કરવા છતાંયે કોઈ નિરાકરણ ન કરાતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા કૂલપતિની ગેરહાજરીમાં તેમની ચેમ્બર બહાર વિરોધ કરવામાં આવ્યો હતો અને રામધૂન બોલાવાઈ હતી.

સૌરાષ્ટ્રના કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD પ્રવેશ પ્રક્રિયામાં અનેક ગોટાળાં કરાયા છે. આર્ટસ અને સાયન્સના ભવનોમાં ફેકલ્ટીના ડીન હાજર ન હતા. જેથી ભવન અધ્યક્ષોની મનમાની ચાલી હતી. જેના લીધે વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો. જેમાં નર્સિંગ અને પત્રકારત્વ ભવનમાં ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટીના અધ્યક્ષ હતા તે પોતે PHD ન હતા છતાં PHD કરવા માંગતા વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી અને તેમાં માર્કસ પણ મૂક્યા હતા. આ ઉપરાંત કોમ્પ્યુટર સાયન્સ ભવનમાં PHDની 8 સીટ હોવા છતાં 2 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇતિહાસ ભવનમાં 27 ડિસેમ્બર સુધીમાં રિસર્ચ પ્રપોઝલ જમા કરાવવાની હતી પરંતુ, ભવનના અધ્યક્ષ દ્વારા 26મી ડિસેમ્બરે ડી. આર. સી. (ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટી) ગોઠવી દેવામાં આવી તેને લીધે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. આ સાથે જ અનામત બેઠકોની ફાળવણીમાં પણ વિદ્યાર્થીઓને અન્યાય કરાયો છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લઈ વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિના કાર્યકારી કુલપતિ ડૉ. નીલાંબરી દવેએ જણાવ્યું હતું કે, PHD પ્રવેશ પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી છે. આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં ડીનને હાજર રહેવા પત્ર લખાયો હતો પરંતુ, તે હાજર ન રહે તો અમે શું કરીએ?  આ સાથે જ અનામતના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું છે. જોકે, તેમ છતાં ક્યાંય નિયમ ભંગ થયો હશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પગલા લેવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code