1. Home
  2. ગુજરાતી
  3. કોરોનામાં રાહત – દેશમાં 24 કલાકમાં  કોરોનાના માત્ર 2,503 કેસો નોંધાયા ,સક્રિય કેસોમાં પણ ઘટાડો
કોરોનામાં રાહત – દેશમાં 24 કલાકમાં  કોરોનાના માત્ર 2,503 કેસો નોંધાયા ,સક્રિય કેસોમાં પણ ઘટાડો

કોરોનામાં રાહત – દેશમાં 24 કલાકમાં  કોરોનાના માત્ર 2,503 કેસો નોંધાયા ,સક્રિય કેસોમાં પણ ઘટાડો

0
Social Share
  • 24 કલાકમાં નોંધાયા માત્ર  2,503  કેસો
  • એક્ટિવ કેસોમાં પણ મોટી રહાત

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં હવે ઘટાડો આવી રહ્યો છે,દૈનિક નોંધાતા કેસોની સંખ્યા ઘીમે ઘીમે ઘટી રહી છે અને તે ઘટીને 3 હજારની અંદર  આવી ચૂકી છે આ સાથે જ કોરોનાના કેસો હળવા થતા જ દેશના અનેક રાજ્યોમાં લગાલેવા પ્રતિબંધો પણ હળવા કરી દેવાયો છે.

જો છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો 2 હજાર 503 કોરોનાના નવા કેસો નોંધાયા છે.ત્યારે આ સમાન સમયગાળઆ દરમિયાન કોરોનાથી  27 લોકોના મોત થયા છે. 

જો વિતેલા દિવસની વાત કરીએ તો તેની સરખામણીમાં આજે કોવિડ કેસમાં 19.6 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો  છે.. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા હવે 40 હજારથી ઓછી છે, હાલ દેશમાં એક્ટિવ કેસો 36 હજાર 168 જોવા મળી રહ્યા  છે.

આ સાથે જ નવા નોંધાતા કેસોની સરખામણીમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 4 હજાર 377 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 4,61,318 રસીકરણ કરવામાં આવ્યા છે. 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code