1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન, ગુરુવારે અમદાવાદમાં યોજાશે પ્રાર્થના સભા
વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન, ગુરુવારે અમદાવાદમાં યોજાશે પ્રાર્થના સભા

વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન, ગુરુવારે અમદાવાદમાં યોજાશે પ્રાર્થના સભા

0
Social Share

અમદાવાદઃ ગુજરાતના સિનિયર પત્રકાર અને એસોસિએટ એડિટર દિલીપભાઈ ગોહિલનું 60 વર્ષની વયે ભાવનગરની હોસ્પિટલમાં ટુંકી બીમારી બાદ નિધન થતા સમગ્ર પત્રકાર આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દિલીપભાઈ ગોહિલના અવસાનને લઈને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ ‘રિવોઈ‘ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)એ પણ સ્વ. દિલીપભાઈ ગોહિલને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

સ્વ. દિલીપભાઈ ગોહિલની પ્રાર્થના સભા અમદાવાદમાં ગુરુવારે યોજાશે. અમદાવાદ શહેરના સેટેલાઈટ રોડ ઉપર રામદેવનગર પાસે સદવિચાર પરિવાર હોલમાં યોજાશે. આ ઉપરાંત 31મી જાન્યુઆરીએ રાજકોટના પંચનાથ મહાદેવ મંદિર ખાતે સાંજના બેસણું રાખવામાં આવ્યું છે. રાજુલામાં શનિવારે સ્મરણાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજુલામાં બસ સ્ટેન્ડ પાસે આહિર સમાજની વાડીમાં સ્મરણાંજલી સભા યોજાશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code