Homeગુજરાતીઅમિત શાહ, જે.પી. નડ્ડા અને ડૉ. એસ. જયશંકરે 'હર ઘર તિરંગા' અભિયાનમાં...

અમિત શાહ, જે.પી. નડ્ડા અને ડૉ. એસ. જયશંકરે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લીધો

નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2026: Har Ghar Tiranga campaign ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડા અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે ત્રિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થયા.

સોશિયલ મીડિયા પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે આ અભિયાન દેશભક્તિની ભાવનાને મજબૂત બનાવી રહ્યું છે અને દરેક ભારતીયમાં ગૌરવની લાગણી જગાડી રહ્યું છે. નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સંબોધન કરતા અમિત શાહે નોંધ્યું હતું કે કરોડો લોકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને દ્રઢ બનાવી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ દેશ ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરી રહ્યો છે.

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રાષ્ટ્રધ્વજ સાથેની તસવીર શેર કરી.

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ તમામ નાગરિકોને તેમના ઘરો પર ત્રિરંગો લહેરાવવાની અપીલ કરી છે.

વધુ વાંચો: લોકમાતા અહલ્યાબાઈ હોળકરની પુણ્યતિથિ પર ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સંબંધિત લેખો

Most Popular