1. Home
  2. revoinews
  3. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની ઉજવણી કરી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની ઉજવણી કરી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની ઉજવણી કરી

0
Social Share

સુરત, 4 માર્ચ, 2026: Deputy Chief Minister Harsh Sanghvi નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના પીપલોદ સ્થિત અંબિકા નિકેતન વૃદ્ધાશ્રમના વડીલો સાથે આનંદ, ઉલ્લાસ અને સૌહાર્દના પાવન પર્વ ધુળેટીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ આશ્રમના વડીલો સાથે ગુલાલથી ધુળેટી રમી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને વડીલોના જીવનમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. તેમણે આ પાવન પર્વે ગુજરાતની જનતા સહિત દિવસ-રાત ફરજ બજાવતા પોલીસ વિભાગ અને મીડિયાના મિત્રોને પણ રંગોત્સવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, વડીલોની ઉપસ્થિતિમાં તહેવારની ઉજવણી કરવી એ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે અને સૌના જીવનમાં આ હોળી-ધુળેટીનો તહેવાર સુખ-શાંતિ લાવે તેવી પ્રાર્થના કરી હતી. રંગોનો આ તહેવાર સૌના જીવનમાં નવી આશા અને ઉત્સાહના રંગો પૂરે તથા સૌનું સામાજિક જીવન પરસ્પર સ્નેહ અને મીઠાશથી મહેકતું રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ શું બિહારમાં થશે રાજકીય ઊલ્ટાપુલ્ટા? ભાજપના મુખ્યમંત્રી બનશે, તો નીતિશકુમાર ક્યાં જશે? જાણો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code