1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હી-NCRમાં ફરી ધરા ધ્રૂજી: સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી-NCRમાં ફરી ધરા ધ્રૂજી: સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા

દિલ્હી-NCRમાં ફરી ધરા ધ્રૂજી: સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા

0
Social Share

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: હરિયાણાના સોનીપત અને દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં સોમવારે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર નોર્થ દિલ્હીમાં જમીનની સપાટીથી માત્ર 5 કિલોમીટર નીચે નોંધાયું હતું. સવારે 8.44 વાગ્યે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા ઘણા લોકો ભયના કારણે પોતાના ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.

સોનીપત જિલ્લામાં ભૂકંપની આ સતત બીજી ઘટના છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓની ચિંતામાં વધારો થયો છે. આ પહેલાં શુક્રવારે (16 જાન્યુઆરી) ગોહાના વિસ્તારમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર પણ જમીનની 5 કિલોમીટર નીચે હતું. સદનસીબે, આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયાના સમાચાર નથી.

નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, દિલ્હી-NCR અને હરિયાણાનો મોટો હિસ્સો ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા ‘સિસ્મિક ઝોન 4’ માં આવે છે. જમીનની નીચે રહેલી ફોલ્ટ લાઈન્સ (Fault Lines) માં સતત થતા ફેરફાર અને એડજસ્ટમેન્ટને કારણે આ નાના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને ભૂકંપ સમયે સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code