1. Home
  2. ગુજરાતી
  3. દિવાળીના પર્વ પર બે જ રંગનો ગલગોટાથી વધારો ઘરની શોભા, જાણીલો આ કેટલી ટિપ્સ જેનાથી ઘરને સજાવવું બનશે સરળ
દિવાળીના પર્વ પર બે જ રંગનો ગલગોટાથી વધારો ઘરની શોભા, જાણીલો આ કેટલી ટિપ્સ જેનાથી ઘરને સજાવવું બનશે સરળ

દિવાળીના પર્વ પર બે જ રંગનો ગલગોટાથી વધારો ઘરની શોભા, જાણીલો આ કેટલી ટિપ્સ જેનાથી ઘરને સજાવવું બનશે સરળ

0
Social Share
  • તહેવારમાં ઘરને કરો ફુલોથી શુશોભીત
  • તમારા ઘરને બનાવો ખુશ્બૂદાર

દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, દરેક ઘરોમાં દિવાળીની સાફ સાફાઈ થઈ રહી છે ત્યારે હવે દિવાળીમાં પોતાના ઘરને કઈ રીતે સજાવવું તે અંગેની પણ ચર્ચાઓ અને સાથે તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે, તો આજે આપણે પણ કેટલીક એવી જ ટિપ્સ વિશે વાત કરીશું કે દિવાળીમાં ઘરની દિવાલ, ઘરના ખુણાઓ, ઘરનું આગંણું અને ઘરના દરવાજાઓને  શુશોભીત કરશે, આ માટે આપણે રિયલ ફુલોથી ઘરની શોભામાં ચાર ચતાંદ લગાવીશું

આજકાલ માર્કેટમાં સરળતાથી ગલગોટાના ફુલો જેને આપણે મેરિગોલ્ડ કરીએ છીએ તે મળી જાય છે, તેના માટે પીળા અને કેસરી રંગના ફૂલોથી તમે તમારા ઘરના દરવાજાની સાઈડમાં રંગોળી કરી શકો છો, આ ફુલોની રંગોળી તમારા ઘરની બાહ્ય સુંદરતા વધારે છે., સાથે જ એક આકર્ષક લૂક  તમારા એન્ટર ગેટને મળશે.

ખાસ કરીને ઘરના ખુણાઓ સુના અને ખાલી લાગતા હોય છે, તો આ માટે તમારે ગલગોટાના ફ્લાવરની મોટી લાંબી શેરો બનાવીને ખુણા પર લટકાવી દેવાની જેથી ઘરના ખુણાઓ પર ફુલોની શેર શોભશે, આના માટે તમે સેલો ટેપનો ઉપયગ કરી શશેર બનાવીને તેને ઘરના ખુણે ખુણે લગાવી કો છો.

તમારા ઘરના દરવાજા પર ગલગોટાના ફુલોનું તોરણ લગાવીને તેને આકર્ષક લૂક આપી શકો છો, આવનારા મહેમાનું સ્વાગત ઉંબરેથી કરવા માટેનો આ બેસ્ટ ઓપ્શન છે, આ સાથે જ તમે આ તોરણમાં શુભ ગણાતા આસોપાલવના પાન પણ જોડી શકો છો.

આજકાલ માટલીમાં ફુલોની શેરનો ટ્રેન્ડ જોવા મળે છે, આ ખાસ કરીને ઘરના આંગણમાં પ્રવેશવાના મારેગ માટલીઓને રંગીને મૂકવામાં આવે છે, અને તે માટચલીઓની અંદર ફુલોની લાંબી લાંબી શેરો બહાર આવતી હોય જેમ પાણીની ઘાર પડે તે રીતે સજાવવામાં આવે છે, આ લૂકથી તમારા ઘરનું આગંણું ખૂબ શોભી ઉઠશે તો આ દીવાળી પર ચોક્કસ આ ડેકોરેશન અપનાવીિને તમારા ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દો.

આ સાથે જ ઘરમાં પ્રવેશ દ્રાર પાસે મોટો થાળ લઈને તેમાં ફૂલોથી રંગાળી કરી શકો છો,જીદા જૂદા રંગોના ફૂલોથી ઘરના દ્રાને વધુ આકર્ષત કરી શકો છો આજ ફૂલોમાં સાંજે દિવાઓ મૂકીને પણ પ્રગટાવી શકો છો જેથી પ્રવેશ દ્રારા વધુ અહલાદક લાગષે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code