1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં પણ વધારે પ્રમાણમાં પીવું જોઈએ પાણી,શરીરને અનેક રોગોથી મળે છે રક્ષણ
શિયાળામાં પણ વધારે પ્રમાણમાં પીવું જોઈએ પાણી,શરીરને અનેક રોગોથી મળે છે રક્ષણ

શિયાળામાં પણ વધારે પ્રમાણમાં પીવું જોઈએ પાણી,શરીરને અનેક રોગોથી મળે છે રક્ષણ

0
Social Share
  • શિયાળામાં પાણી વધારે પીવું જોઈએ
  • અનેક રોગથી મળે છે રાહત
  • આ પ્રકારનો આહાર પણ જમવો જોઈએ

કેટલાક લોકોને આદત હોય છે કે શિયાળામાં પાણી પીવાનું ઓછું કરી દેતા હોય છે. ઉનાળામાં વધારે પ્રમાણમાં પાણી પીતા હોય છે ત્યારે તે લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શિયાળામાં પણ કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને કેટલાક પ્રકારના રોગથી રાહત મળી શકે.

જાણકારોના કહેવા અનુસાર પાલકમાં લગભગ 92 ટકા પાણી હોય છે અને તેમાં કેલરી પણ હોય છે. તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીરને સ્વસ્થ રાખવામાં અસરકારક માનવામાં આવે છે. તમે પાલકનો સૂપ પીવાથી હાઈડ્રેટ રહી શકો છો.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો એક નારિયેળ પાણી પીવો. જેનાથી પાણીની તંગી મહદઅંશે પૂરી કરી શકાશે. તેની ખાસિયત એ છે કે તે હાઈડ્રેટ રાખે છે, સાથે જ શરીરમાંથી ઘણી બીમારીઓને દૂર કરે છે. દૂધમાં મોટાભાગમાં પાણીનો સમાવેશ થાય છે અને જો દરરોજ એક ગ્લાસ દૂધ પીવામાં આવે તો પણ તમે હાઇડ્રેટેડ રહી શકો છો. દૂધમાં રહેલા કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ અને પ્રોટીનને કારણે ડૉક્ટરો પણ તેના સેવનની ભલામણ કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code