1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. રૂપિયાનું રોકાણ કર્યા પછી પણ ફાયદો થતો નથી,તો જાણો આવું કેમ થાય છે?
રૂપિયાનું રોકાણ કર્યા પછી પણ ફાયદો થતો નથી,તો જાણો આવું કેમ થાય છે?

રૂપિયાનું રોકાણ કર્યા પછી પણ ફાયદો થતો નથી,તો જાણો આવું કેમ થાય છે?

0
Social Share
  • રૂપિયાનું રોકાણ કરો છો?
  • અને ફાયદો પણ નથી થતો?
  • તો જાણો આવું કેમ થાય છે તેના વિશે

આપણા ગુજરાતી લોકોમાં એક વાત હંમેશા સાંભળવા મળે છે કે રૂપિયો જ રૂપિયાને ખેંચે. આ વાતથી લગભગ કોઈ અજાણ હશે નહીં પરંતુ આવામાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે લોકો મોટી સંખ્યામાં રૂપિયાનું રોકાણ કરે છે પરંતુ તેમને કોઈ ફાયદો થતો નથી અને નુક્સાન વધારે થતું હોય છે.

જે લોકોને રૂપિયાનું રોકાણ કર્યા પછી પણ ફાયદો થતો નથી તે લોકોએ તે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે હાથની અમુક રેખાઓ દર્શાવે છે કે વ્યક્તિને રોકાણ કરવાથી ફાયદો થશે કે નહીં. જે લોકોના હાથમાં વ્યવસાયની રેખા હોય છે તેવા લોકો જો રોકાણ કરે તો ફાયદો જરૂર થશે. હથેળીમાં જીવન રેખા સ્પષ્ટ હોય અને હાથમાં બોક્સ જેવો આકાર બનેલો હોય તો આવા લોકોને રોકાણ કરવાથી ફાયદો થશે.

આ ઉપરાંત જે લોકોના હાથમાં ગુરૂ રેખા હોય છે તેઓ શૅર માર્કેટમાંથી અઢળક પૈસા કમાય છે. પણ જ્યારે માર્કેટ ટૂટે છે ત્યારે મોટા પાયે નુકસાન પણ થાય છે. જે લોકોના હાથમાં ચંદ્ર પર્વત પરથી બે રેખાઓ નીકળે છે તેવા લોકોને રોકાણના કામમાં પણ ઘણી સફળતા મળે છે. આવા લોકો મોટા સ્ટોક ટ્રેડર પણ હોય શકે છે.

જો જીવન રેખાની રેખા ગુરૂ પર બનેલી બોક્સને સ્પર્શે તો આવા લોકો રોકાણ માટે બીજાની મદદ લેતા હોય છે. જે લોકોના હાથમાં જીવનની રેખાઓ ગુરૂથી આગળ નીકળી જાય છે તો તેવા લોકો ખૂબ જ વિચારીને રોકાણ કરતા હોય છે. અને તેમને મોટા નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ જાણકારી માત્ર માન્યતાઓ પર આધારિત છે અને આ બાબતે કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code