
મુસાફરોની સુવિધા માટે એસટીની ઈલેક્ટ્રિક બસો, ચાર્જ કર્યા બાદ 200 કિ.મી એસટી બસ દોડશે
અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલ અને સીએનજીના વધતા જતા ભાવ સામે સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ પર ભરા મુકવામાં આવી રહ્યો છે. ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદનારાઓને સબસિડી ઉપરાંત બીજા લાભો આપવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા હવે જાહેર પરિવહન સેવામાં પણ વધુને વધુ ઈલેક્ટ્રિક બસનો ઉપયોગ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત એસટી નિગમમાં 50 ઇલેક્ટ્રીક બસ ફાળવવાનો નિર્ણય કરાયો છે. જેમાં બે બસ તૈયાર કરીને નિગમને સોંપી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એસટી નિગમની 7 હજાર બસ સેવામાં કાર્યરત છે. પરંતુ સરકાર હવે એસટી બસ પણ બેટરી સંચાલિત દોડાવશે.ઈલેટ્રીક 50 બસ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંથી બે બસ તૈયાર થઈને એસટી નિગમને આપી દેવામાં આવી છે. જો કે બેટરી સંચાલિત બસ માટે કૃષ્ણનગરમાં ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. એક સાથે 13 બસ ચાર્જ થઈ શકશે. એક બસની બેટરી ચાર્જ થતા 3 કલાકનો સમય લાગે છે. ફૂલ બેટરી ચાર્જ બાદ 200 કિલોમીટર બસ ચાલશે.
એસટી નિગમ દ્વારા વડોદરા, અમદાવાદ, રાજકોટ જામનગરમાં ચાર્જ પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે.જેમ બસની સંખ્યા વધશે તેમ ચાર્જિંગ પોઇન્ટ વધારશે. જો કે અમદાવાદ વડોદરા અને અમદાવાદ ગાંધીનગર વચ્ચે બસ દોડાવવાની વિચારણા ચાલી રહી છે. થોડા દિવસમાં બીજી બસોનું લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાત એસટી નિગમની ઈલોટ્રોનિક બસનો કલર કેસરી પસંદ કરાયો છે.બસની બેટરી ચાર્જ કરવા માટે 3 કલાકનો સમય લાગે છે. ફૂલ બેટરી ચાર્જ થયા બાદ 200 કિલોમીટર બસ ચાલશે. બેટરી સંચાલિત બસ ગેરલેશ છે.બસમાં 33 સીટીંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. સીટ આરામદાયક રાખવામાં આવી છે. સાથે બસમાં પ્રવાસીઓની સલામતી માટે સીસીટીવીથી સજ્જ કરવામાં આવી છે. બસમાં પ્રવાસીઓ ની મુમેન્ટ ડ્રાઇવર જોઈ શકે તે માટે સીસીટીવી ની ડિસ્પ્લે સ્ટીયરિંગની બાજુમાં આપવામાં આવી છે.અને ખાસ વિશેષતા એ છે દરેક સીટીંગ પર ઇમરજન્સી એક્ઝિટ આપવામાં આવ્યો છે
ઇલેક્ટ્રીક વાહન સામાન્ય રીતે તો નંબર પ્લેટ ગ્રીન કલરની હોય છે.અને વાહનો કલર પણ ગ્રીન અને વાઇટ હોય છે. પરંતુ એસટી નિગમની બેટરી સંચાલિત બસનો કલર કેસરી રાખવામાં આવ્યો છે. બેટરી સંચાલિત બસ અતિઆધુનિક સિસ્ટમ સજ્જ કરવામાં આવી છે.પ્રદુષણ પણ ઘટશે અને બસમાં પ્રવાસીઓ સલામતી સાથે આરામદાયક પ્રવાસ કરી શકશે.