
ગુજરાતઃ MRP કરતા વધારે પ્રાઈસ લેનાર વેપારીઓ અને હોટલો ઉપર તવાઈ
- 300થી વધારે હોટલમાં કરાઈ તપાસ
- MRP કરતા વધારે નાણા લેનારાઓ સામે કાર્યવાહી
- 4932 સ્થળો ઉપર તપાસનો ધમધમાટ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મોંઘવારીના માર વચ્ચે પ્રજા પીસાઈ રહી છે. દરમિયાન પ્રજાને યોગ્ય ભાવમાં ખાધ્યચીજ વસ્તુઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અન્ન નાગરિક પુરવઠાની ટીમોએ વિવિધ હોટલ સહિતના સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ કરી હતી. 4932 જેટલા સ્થળો ઉપર તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન 19ના પરવાના રદ કરવામાં આવ્યાં હતા. ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવી હતી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કાર્યવાહીને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યભરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજ્યભરમાં નાગરિક સુરક્ષા અને હિતકારી પગલામાં અત્યાર સુધીમાં 300 જેટલી હોટેલમાં તપાસ કરવામાં આવી છે. MRP કરતા વધુ કિંમત લેવા મામલે તપાસ કરવામાં આવતા કુલ 4932 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.જે માં 19 પરવાના રદ કરાયા અને 2 કોર્ટ કેસ કરાયા છે. અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા સપ્ટેમ્બર અને નવેમ્બર માસ દરમિયાન તપાસનો ધમધમાટ કરાયો હતો. જેમાં 5.92 કરોડનો જથ્થો તપાસ દરમિયાન સિઝ કરાયો હતો. ગ્રાહકોના હિત અંગે જો ફાઈવસ્ટાર હોટેલોથી ફરિયાદ મળશે તો ત્યા પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલનું નિવેદનમાં જણાવ્યું છે.