1. Home
  2. ગુજરાતી
  3. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવનને ખોરવાયું : 8ના મોત, 12 વ્યક્તિ ગુમ
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવનને ખોરવાયું : 8ના મોત, 12 વ્યક્તિ ગુમ

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને પગલે જનજીવનને ખોરવાયું : 8ના મોત, 12 વ્યક્તિ ગુમ

0
Social Share

દિલ્હી: આંધ્રપ્રદેશના ત્રણ જિલ્લાઓ અને દક્ષિણ તટીય જિલ્લામાં 20 સેમી સુધીનો ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે સર્જાયેલી વિવિધ ઘટનામાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા. કુડ્ડાપાહ જિલ્લામાં હજુ પણ 12 લોકો ગુમ છે અને વાયુસેના, SDRF અને ફાયર સર્વિસના જવાનોએ પૂરમાં ફસાયેલા ઘણા લોકોને બચાવ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. તેમજ રાજ્યને તમામ સહાયનું વચન આપ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આજે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે.નદીઓ અને નહેરોને કારણે અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે, રસ્તાઓને નુકસાન થયું છે અને કેટલીક જગ્યાએ સામાન્ય જીવન પાટા પરથી ઉતરી ગયું છે. રેનિગુંટા ખાતેનું તિરુપતિ ઇન્ટરનેશનલ એરપોર્ટ શુક્રવારે ફ્લાઇટ ઓપરેશન માટે ખોલવામાં આવ્યું હતું, પરંતુ તિરુમાલા પહાડીઓ તરફ જતા બે ઘાટ રસ્તાઓ બંધ રહ્યા હતા.

અલીપીરીથી તિરુમાલા તરફ જતો ટેરેસ રોડ મોટા ભૂસ્ખલન અને પૂરનો ભોગ બન્યો છે અને તેને બંધ કરી દેવામાં આવ્યો છે.મુખ્યમંત્રીએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના અધિકારીઓને પહાડી પર ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. કુદ્દાપાહ જિલ્લાના રાજમપેટા ખાતે ચેયેરુ નહેરમાં અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા અને 12 લોકો હજુ પણ ગુમ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રામા રાજુએ જણાવ્યું કે જિલ્લામાં કુલ આઠ લોકોના મોત થયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code