1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો ગુજરાત સરકાર 14 લાખ સહાય આપશે
કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો ગુજરાત સરકાર 14 લાખ સહાય આપશે

કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો ગુજરાત સરકાર 14 લાખ સહાય આપશે

0
Social Share

ગાંધીનગર: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કરાર આધારિત અનેક કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય તો કર્મચારીના પરિવારને આર્થિક સહાય પેટે 14 લાખની સહાય મળશે. રાજ્ય સરકારે પરિપત્ર જારી કર્યો છે.  કરારના સમયગાળા દરમિયાન મૃત્યુ પામનારા વર્ગ- 3 અને વર્ગ- 4ના ફિક્સ પગારના કર્મચારીઓનું મૃત્યુ થાય તો તેના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારમાં વિવિધ વિભાગોમાં  કરાર આધારિત કર્મચારીઓ ફરજ દરમિયાન અવસાન પામે છે તો તેમના આશ્રિકોને અગાઉ ઉચ્ચક 8 લાખ રૂપિયાની સહાયની જોગવાઈ કરવામાં આવી હતી. કરાર આધારિત કર્મચારીઓએ મૃત્યુના કેસમાં સહાયમાં વધારો કરવા માગણી પણ કરી હતી. રાજ્ય સરકારે વિચારણા કરી નવા નિયમ હેઠળ 14 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

સામાન્ય વહિવટ વિભાગના સંયુક્ત સચિવ એચ કે ઠાકરની સહીથી જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ 4ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન 12 નવેમ્બર 2023 કે ત્યારબાદ થયેલા અવસાનના કિસ્સામાં રૂપિયા 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતો વખત થયેલા ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અગાઉ સરકારને કરાર આધારિત વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓને કાયમી કરવા અને યોગ્ય વેતનનો લાભ આપવા રજૂઆત કરાઇ હતી. રાજ્યમાં વર્ષોથી ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓને કોઈપણ કારણ વિના આ કર્મચારીઓને બરતરફ કરાયા હોવાની રજૂઆત કરાઇ હતી. તેમજ તેમનુ ફરજ દરમિયાન મૃત્યુ થાય તો પણ યોગ્ય સહાય મળે તેવી રજુઆત સરકારને કરવામાં આવી હતી. (File photo)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code