1. Home
  2. ગુજરાતી
  3. આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારત ન રમે તો કંઈ ટીમને મળી શકે છે સ્થાન?
આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારત ન રમે તો કંઈ ટીમને મળી શકે છે સ્થાન?

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં ભારત ન રમે તો કંઈ ટીમને મળી શકે છે સ્થાન?

0
Social Share

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો મુદ્દો ક્રિકેટ જગત પર છવાયેલો છે, ખાસ કરીને ભારતનો પાકિસ્તાન જવાનો ઇનકાર ICC માટે મોટી સમસ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, BCCI એ સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે અને આવી નવા સવાલો ઉભા થઈ ગયા છે. જો પાકિસ્તાન પણ હાઈબ્રિડ મોડલ મામલે પોતાનો આગ્રહ ન છોડે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું સ્થાન કઈ ટીમ લઈ શકે?

ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ આઠ આવૃત્તિઓમાં, જે આઠ ટીમો રેન્કિંગમાં પ્રથમ આઠ સ્થાને હતી તે ક્વોલિફાય થઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ફોર્મેટ એવું છે કે 2023 ODI વર્લ્ડ કપના ટેબલમાં ટોપ-8માં રહેલી આઠ ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી માટે દાવો કરતી જોવા મળશે. આનો અર્થ એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સીધો પ્રવેશ મેળવનાર આઠ ટીમોના નામ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની આઠ ટીમો વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલના આધારે નક્કી કરવામાં આવી છે. તેથી જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ નહીં લે તો તેનું સ્થાન શ્રીલંકાને આપવામાં આવશે. ODI વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા નવમા ક્રમે હતું. આ હકીકતને નકારી શકાય નહીં કે ક્રિકેટમાં ભારતીય બજારને જોતા જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ નહીં લે તો ICCને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

એક તરફ હાઈબ્રિડ મોડલ અપનાવવાનો વિષય પણ ચર્ચામાં છે, પરંતુ અહેવાલો અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ પોતાનો આગ્રહ છોડવા તૈયાર નથી. આવી સ્થિતિમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને શું નિર્ણય લે છે તે જોવું રસપ્રદ રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code