1. Home
  2. ગુજરાતી
  3. સરળ હપ્તેથી સસ્તા ભાવે સોનુ ખરીદવું હોય તો જાણીલો સરકારની ‘સોવરિન ગોલ્ડ બોન્ડ’ સ્કીમ વિશે – આગામી અઠવાડિયામાં મેળવી શકશો લાભ
સરળ હપ્તેથી સસ્તા ભાવે સોનુ ખરીદવું હોય તો જાણીલો સરકારની ‘સોવરિન ગોલ્ડ બોન્ડ’ સ્કીમ વિશે – આગામી અઠવાડિયામાં મેળવી શકશો લાભ

સરળ હપ્તેથી સસ્તા ભાવે સોનુ ખરીદવું હોય તો જાણીલો સરકારની ‘સોવરિન ગોલ્ડ બોન્ડ’ સ્કીમ વિશે – આગામી અઠવાડિયામાં મેળવી શકશો લાભ

0
Social Share

 

દિલ્હીઃ જો તમે પણ સસ્તુ સોનુ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ માટે તમને આવતા અઠવાડિયા સારી તક સાપડી રહી છએ સરકાર સોનુ ખરીદી કરવા માંગતા લોકો માટે ખાસ સ્કિમ લઈને આવી ગચઈ છે તો ચાલો જાણીએ શું છે આ સ્કિમ જે હેઠળ તમને સસ્તા ભાવે સોનુ મળી જાય છે.એટલે કે હવે સસ્તું સોનું ખરીદવાનો સમય આવી ગયો છે.

સરકાર સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો નવો હપ્તો લઈને આવી રહી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા  છ મહિનામાં SGBના 2 હપ્તા લાવવાનો નિર્ણય કર્યો છે. વર્ષ 2023-24 શ્રેણી I માટે સબ્સ્ક્રિપ્શન તારીખ 19 થી 23 જૂન 2023 રાખવલામાં આવી છે.

તો બીજી તરફ તેની બીજી શ્રેણી 11 થી 15 સપ્ટેમ્બર 2023 દરમિયાન આવશે. સોવરિન ગોલ્ડ બોન્ડ અથવા સરકારી ગોલ્ડ બોન્ડના ઘણા ફાયદા છે. રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ ભારત સરકાર વતી આ બોન્ડ જારી કરે છે.જેનો કોઈ પણ લોકો લાભ લઈ શકે છે.

આ સ્કિમ સોનામાં રોકાણ કરનારા લોકોને લાભ આપવા માટે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લોકો સોનામાં તેમના નાણાંનું રોકાણ કરીને વધુ લાભ મેળવી શકે છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો હપ્તો સમયાંતરે એક નિશ્ચિત સમયગાળા માટે ખુલ્લો રહે છે. આ યોજના હેઠળ, આરબીઆઈ દ્વારા ભારત સરકાર સાથે પરામર્શ કરીને તબક્કાવાર સબ્સ્ક્રિપ્શન માટે ઈશ્યુ ખોલવામાં આવે છે. આરબીઆઈ સમયાંતરે યોજનાના નિયમો અને શરતોને સૂચિત કરતી રહે છે.SGB ​​ની કિંમત 999 શુદ્ધતાના સોનાની કિંમત સાથે જોડાયેલી છે. ગોલ્ડ બોન્ડ માટે ઓનલાઈન અરજી કરવા અને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પણ ડિસ્કાઉન્ટ આપે છે.સોવરિન ગોલ્ડ બોન્ડની મેચ્યુરિટીની મુદત 8 વર્ષ છે. ઉપરાંત, તમને આગામી વ્યાજની ચુકવણીની તારીખો પર 5મા વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્પ મળે છે. મુદત પૂરી થયા પછી ગ્રાહકને મળતું વળતર સંપૂર્ણપણે કરમુક્ત છે.

સોવરિન ગોલ્ડ બોન્ડનો એક ફાયદો એ પણ છે કે તેમાં પ્રારંભિક રોકાણની રકમ પર વાર્ષિક 2.50 ટકાનો નિશ્ચિત વ્યાજ દર છે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે રોકાણકારના બેંક ખાતામાં જમા થાય છે. આ વ્યાજ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કરપાત્ર છે.આરબીઆઈની સૂચના મુજબ ટ્રસ્ટ અને યુનિવર્સિટી માટે મહત્તમ મર્યાદા 20 કિલો છે. જ્યારે, વ્યક્તિઓ અને HUF માટે, આ મર્યાદા 4 કિલો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code