1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસે અંકિત બારોટની કરી વરણી
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસે અંકિત બારોટની કરી વરણી

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસે અંકિત બારોટની કરી વરણી

0
Social Share

ગાંધીનગરઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 44માંથી 41 સીટો પર વિજય મેળવી  ભાજપે સત્તા હાંસલ કરી લીધી હતી. એવામાં બે સીટો પર જીત મેળવનારા કોંગ્રેસ પક્ષ દ્વારા અંકિત બારોટની વિપક્ષના નેતા તરીકે નિમણૂંક કરવામાં આવતા મ્યુનિ. કોર્પોરેશનમાં વિપક્ષ નેતાને હોદ્દાની રૂહે મળતા લાભો આપવા કે નહીં તે બાબતે મડાગાંઠ સર્જાઈ હતી.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટાયેલા કાઉન્સિલર અંકિત બારોટની કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. શહેરી વિસ્તારના લોકોના કાર્યો અને પ્રશ્નોના અસરકારક નિવારણ અર્થે પક્ષની વિચારધારાને અનુરૂપ અંકિત બારોટની નિમણૂક કરાઇ હતી. જેને લઇ ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કૌશિક શાહ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી વોર્ડ નંબર 3ના કાઉન્સિલર અંકિત અશ્વિનકુમાર બારોટની ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ તરફથી વિરોધ પક્ષના નેતા તરીકે નિમણૂંક કરવા માટે પત્ર પણ લખવામાં આવ્યો હતો.

અંકિત બારોટની નિમણૂંક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકહિતમાં પ્રજાલક્ષી કામો માટે આગામી સમયમાં અંકિત બારોટ અસરકારક ભૂમિકા ભજવશે તેવા અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોર્પોરેશનમાં ભાજપ 41 સીટો સાથે સ્પષ્ટ બહુમતી ધરાવે છે. પરંતુ કોંગ્રેસ પાસે એટલું સંખ્યા બળ નથી, છતાં કોંગ્રેસ દ્વારા દાવો કરાયો છે કે જુનાગઢ અને રાજકોટ કોર્પોરેશનમાં પણ નહિવત સીટો હોવા છતાં ત્યાંની કોર્પોરેશન દ્વારા વિરોધ પક્ષના નેતાને મળતા લાભો આપવામાં આવી રહ્યા છે. જેથી ગાંધીનગર કોર્પોરેશનમાં પણ પક્ષના નેતા તરીકે અંકિત બારોટને લાભો આપવા જોઈએ. ત્યારે હાલમાં તો સમગ્ર બાબતે મ્યુનિસિપલ કમિશ્નર નિર્ણય લઈ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code