
- ગુલકન્દ અને દુઘથી ગરમીમાં રાહત મળે છે
- ગુલકન્દની તાસિર ઠંડી હોય છે એસિડીટીમાં તે રાહત આપે છે
હાલ ગરમીની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં ગરમ ખોરાક ખાવાથી પેટમાં ગડબડ થવાની શક્યતાઓ વધે છે જેથી ખાસ આપણે આપણા ખોરાક પર પુરતુ ધ્યાન આપવું જોઈએ, બને ત્યા સુધી ઠંડી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ આજે વાત કરીશું ગુલકન્દ અને દૂધની આ બન્નેનું સાથે સેવન કરવાથી આરોગ્યને ઘણો ફાયદો થાય છે ,પેટની ગરમીને દૂર કરવાથી લઈને એસિડિટીમાં રાહત આપવાનું કામ કરે છે.
વિટામીન અને મિનરલ્સની વિપુલતાના કારણે જ્યાં દૂધને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તો બીજી તરફ ગુલાબના ફૂલમાંથી બનાવેલ ગુલકંદ પણ ઠંડકની તાસિર ધરાવે છે,જેથી કરીને ગુલકંદનું દૂધ સાથે સેવન કરવાથી અનેક પ્રકારની ગરમીમાં રાહત મળે છે.
સામાન્ય રીતે ગુલકન્દની તાસિર ઠંડી હોય છે. ઠંડકની અસરને કારણે, તેનું સેવન કરવાથી મગજના જ્ઞાનતંતુઓને આરામ મળે છે જેને કારણે સારી ઊંધ પણ મેળવી શકાય છે અને થકાનમાં પણ રાહત મળે છે
આ સાથે જ ગુલકન્દનું સેવન કરવાથી તમારું એનર્જી લેવલ વધે છે કારણ કે તેમાં ઘણી બધી ખાંડ હોય છે. જેના કારણે તમે દિવસભર ઉર્જાનો અનુભવ કરો છો,ગરમીમાં આંખોને પણ ગુલકન્દ ઠંડક પહોંચાડવાનું કામ કરે છે.
ખાસ કરીને દૂધમાં ગુલકંદ ભેળવીને પીવાથી પેટમાં ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યા મટે છે.આ બન્ને વસ્તુના સેવનથી આંતરડાના બેક્ટેરિયાને વધારવામાં મદદરૂપ છે અને આંતરડાની સિસ્ટમની યોગ્ય કામગીરીમાં પણ મદદ કરે છે.દૂધ સાથે રાત્રે પણ તમે ગુલકન્દ ખાઈ શકો છો
જ્યારે પણ તમને ડાયેરિયા કે વોમિટ થતી હોય ત્યારે પેટ ખરાબ રહે છે આવી સ્થિતિમાં દૂધ પાણી અને ગુલકન્દ મિક્સ કરીને પીલો જેનાથી પેટ ભર્યું પમ લાગશે અને આ સમસ્યામાંયતી રાહત પણ મળશે