1. Home
  2. ગુજરાતી
  3. જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની તમામ અરજીઓ ફગાવી
જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની તમામ અરજીઓ ફગાવી

જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની તમામ અરજીઓ ફગાવી

0
Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી જમીન માલિકી વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટિ દ્વારા માલિકી હકના વિવાદના કેસોને પડકારતી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, ‘આ કેસ દેશના બે મોટા સમુદાયોને અસર કરે છે. અમે ટ્રાયલ કોર્ટને 6 મહિનામાં કેસનો ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ કરીએ છીએ.

અલ્હાબાદ હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, એક દાવામાં ASI સર્વેક્ષણ અન્ય દાવાઓમાં પણ દાખલ કરવામાં આવશે અને જો ટ્રાયલ કોર્ટને લાગે છે કે કોઈપણ ભાગનું સર્વેક્ષણ જરૂરી છે, તો કોર્ટ ASIને સર્વે કરવા માટે નિર્દેશ આપી શકે છે. અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી (AIMC) અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા દાખલ કરાયેલી અરજીઓમાં જ્ઞાનવાપી મસ્જિદનો વ્યાપક સર્વે કરવાના વારાણસી કોર્ટના 8 એપ્રિલ, 2021ના આદેશને પણ પડકારવામાં આવ્યો હતો.

અગાઉ 8 ડિસેમ્બરે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે અરજદારો અને પ્રતિવાદીના વકીલોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી એઆઈએમસીએ વારાણસીની કોર્ટમાં દાખલ કરાયેલા દાવાની જાળવણીને પડકારી હતી જેમાં હિંદુ અરજદારોએ તે સ્થળ પર મંદિરની પુનઃસ્થાપનાની માંગ કરી હતી જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ છે.

હિન્દુ પક્ષના વાદીના જણાવ્યા મુજબ, જ્ઞાનવાપી મસ્જિદ એ મંદિરનો એક ભાગ છે. જો કે, અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની દલીલ એ છે કે આ દાવો પૂજા સ્થળ અધિનિયમ દ્વારા પ્રતિબંધિત છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code