1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ કાર્યરત થયા બાદ લાંબા અંતરની ટ્રેનો માટે રેલવે તંત્રની ઉદાસિનતા
બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ કાર્યરત થયા બાદ લાંબા અંતરની ટ્રેનો માટે રેલવે તંત્રની ઉદાસિનતા

બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ કાર્યરત થયા બાદ લાંબા અંતરની ટ્રેનો માટે રેલવે તંત્રની ઉદાસિનતા

0
Social Share

ભાવનગરઃ બોટાદ અમદાવાદ વચ્ચે મીટરગેજમાંથી બ્રોડગેજના રૂપાંતરનું કામ પૂર્ણ થઈ જતાં હાલ બોટાદ અમદાવાદ વચ્ચે લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જ્યારે ભાવનગરથી અમદાવાદ વચ્ચે દોડતી મોટાભાગની ટ્રેનો વાયા લીંમડી, સુરેન્દ્રનગર, વિરમગામથી દોડાવવામાં આવે છે. આ રૂટ્સ ખૂબ લાંબો હોવાથી ભાવનગરથી અમદાવાદ આવતા પ્રવાસીઓ મોટાભાગે એસટી બસ કે ખાનગી ટ્રાવેલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ભાવનગરથી અમદાવાદ તરફ આવતી જતી ટ્રેનો વાયા બોટાદ, ધંધુકા, બાવળા થઈને દોડાવવાની માગ ઊઠી છે. ઉપરાંત અમદાવાદમાં ઘણીબધી લાંબા અંતરની ટ્રેનો પડી રહે છે. ટ્રેનો માટેના પાર્કિંગના પ્રશ્નો પણ ઊબા થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નાઈટ હોલ્ટ કરતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવાની પણ માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર રેલવે ડિવિઝનમાં ઇલેકટ્રિફિકેશનનું કામ પૂર્ણ થઇ ચૂક્યુ છે. ઉપરાંત બોટાદ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ લાઇન ચાલુ થઇ ચૂકી છે. અમદાવાદમાં લાંબા અંતરની ટ્રેનો પેન્ડિંગ પડી રહેતી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવા માટે તામામ બાબતે સાનૂકુળતા હોવા છતા રેલવે તંત્ર દ્વારા ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે. ભાવનગર લાબા સમયથી લાંબા અંતરની ટ્રેન ઝંખી રહ્યું છે. અગાઉ બોટાદથી અમદાવાદ વચ્ચે મીટરગેજ લાઇન હતી, તેથી ભાવનગરને રાહ જોવરાવવામાં આવતી હતી. પરંતુ હવે ભાવનગર-અમદાવાદ વાયા બોટાદ બ્રોડગેજ લાઇનથી જોડાઇ ચૂક્યુ છે. ઉપરાંત ભાવનગર રેલવે ડિવિઝનમાં ઇલેકટ્રિફિકેશન કામગીરી પણ પૂર્ણ થઇ ગઈ છે. છતાં બોટાદ અમદાવાદ વચ્ચે વધુ ટ્રેનો દોડાવવાનો રેલવે સત્તાધિશોને કોઈ રસ નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશના મહત્વપૂર્ણ સ્થાનો માટેની લાંબા અંતરની ટ્રેનો અમદાવાદ સાથે જોડાયેલી છે. અમદાવાદમાં ટ્રેનની રેક રાખવાની પણ સમસ્યાઓ સર્જાઇ રહી છે. જ્યારે ભાવનગર ટર્મિનસ છે, અહીં સમસ્યા નહીંવત્ છે. અમદાવાદથી દેશના મહત્વપૂર્ણ શહેરો, પર્યટન સ્થળો, ધાર્મિક સ્થળોને જોડતી ટ્રેનો ફાળવવામાં આવેલી છે. ભાવનગરને કશું નવું આપવાની પણ જરૂરીયાત ઉભી થઇ શકે તેમ નથી. માત્ર અમદાવાદમાં લાંબા અંતરની અને ફાજલ પડી રહેતી ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવામાં આવે તો ભાવનગર રેલવે ડિવિઝન તળે આવતા તમામ ગામના મુસાફરોને તેનો ફાયદો મળી શકે તેમ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ ભાવનગરના મુસાફરોને દેશના મહત્વપૂર્ણ સ્થળોએ રેલમાર્ગે જવા માટે અમદાવાદ અથવા વડોદરાનો વિકલ્પ અપનાવવો પડે છે, અને તેના માટે ભાવનગરથી ત્યાં સુધીની મુસાફરી સડકમાર્ગે કરવી પડે છે. તેના બદલે ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવે તો ભાવનગરની મુસાફર જનતાને અનુકુળતા મળી શકે તેમ છે. આ અંગે ભાવનગર માટે પશ્ચિમ રેલવેએ સકારાત્મ નિર્ણય લેવા જરૂરી છે. ભાવનગરમાં બ્રોડગેજ સુવિધા શરૂ થયા બાદ વખતોવખત ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડતી લાંબા અંતરની ટ્રેનો ભાવનગરને આપવા કે ભાવનગર સુધી લંબાવવા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આનો કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code