1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીર:રાજોરીના મિલિટ્રી કેમ્પ પર મેજરએ કર્યો ગોળીબાર,પાંચ જવાન શહીદ
જમ્મુ-કાશ્મીર:રાજોરીના મિલિટ્રી કેમ્પ પર મેજરએ કર્યો ગોળીબાર,પાંચ જવાન શહીદ

જમ્મુ-કાશ્મીર:રાજોરીના મિલિટ્રી કેમ્પ પર મેજરએ કર્યો ગોળીબાર,પાંચ જવાન શહીદ

0
Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લાના થન્ના મંડીમાં નીલી ચોકી સ્થિત સૈન્ય છાવણીમાં મેજર રેન્કના અધિકારી દ્વારા કથિત રીતે ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં ત્રણ અધિકારીઓ સહિત પાંચ સૈન્ય જવાનો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘણી મહેનત બાદ 11 વાગ્યે આરોપી ઝડપાયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મેજર રેન્કના સૈન્ય અધિકારીએ ગુરુવારે શૂટિંગ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઉશ્કેરણી વિના તેના સાથીદારો પર ગોળીબાર કર્યો હતો અને પછી યુનિટના શસ્ત્રાગારમાં જઈને છુપાઈ ગયો હતો. જ્યારે કમાન્ડિંગ ઓફિસર, તેના ડેપ્યુટી અને મેડિકલ ઓફિસર સાથે, તેને આત્મસમર્પણ કરવા માટે સમજાવવાના પ્રયાસમાં બિલ્ડિંગની નજીક પહોંચ્યા, ત્યારે તેઓએ ગ્રેનેડ ફેંક્યા.

જેમાં ત્રણેય અધિકારીઓ ઘાયલ થયા હતા. યુનિટના સેકન્ડ-ઇન-કમાન્ડની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આરોપી અધિકારીને શસ્ત્રાગારની અંદર કાબૂમાં લેવાતા પહેલા લગભગ આઠ કલાક સુધી સ્થિતિ તંગ રહી હતી. સાવચેતીના પગલા તરીકે સેનાએ શસ્ત્રાગાર નજીકના એક ગામને ખાલી કરાવ્યું છે.

બપોરે ફાયરિંગનો અવાજ સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા હતા. આ વર્ષના પહેલા દિવસથી જ આતંકવાદી ઘટનાઓને કારણે સમાચારમાં રહેલા રાજોરી જિલ્લાના લોકોએ તેને આતંકવાદી હુમલો માનીને પોતાના ઘર તરફ જવા લાગ્યા.લોકો લાંબા સમય સુધી ઘરોમાં છુપાયેલા રહ્યા. બાદમાં સ્પષ્ટ થયું કે આ આતંકવાદી હુમલો નથી. બીજી તરફ મામલાને ગંભીરતાથી લેતા થન્નામંડી અને રોમિયો ફોર્સના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

જો કે, સેનાએ દાવો કર્યો હતો કે રાજૌરીના સૈન્ય કેમ્પમાં ગ્રેનેડ અકસ્માતમાં એક અધિકારી ઘાયલ થયો હતો. આર્મીની વ્હાઇટ નાઈટ કોર્પ્સ, ખાતે પોસ્ટ અધિકારીને બહાર કાઢવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર બાદ તેની હાલત સ્થિર છે. બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code