1. Home
  2. ગુજરાતી
  3. માલીઃ સોનાની ખાણ ધરાશાયી થતાં 70થી વધુ લોકોના મોતની આશંકા
માલીઃ સોનાની ખાણ ધરાશાયી થતાં 70થી વધુ લોકોના મોતની આશંકા

માલીઃ સોનાની ખાણ ધરાશાયી થતાં 70થી વધુ લોકોના મોતની આશંકા

0
Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ આફ્રિકાના માલીમાં સોનાનીખાણ ધસી પડવાને કારણે 70થી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ અકસ્માત ગયા સપ્તાહના અંતમાં થયો હતો પરંતુ બુધવારે સરકાર દ્વારા અકસ્માત અને મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી.

દક્ષિણ-પશ્ચિમ કૌલીકોરો ક્ષેત્રના કંગાબા જિલ્લામાં શુક્રવારે આ અકસ્માત થયો હતો. ખાણ મંત્રાલય દ્વારા મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.

દુર્ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કરતા ખાણ મંત્રાલયે ખાણકામના સ્થળોની નજીક રહેતા સમુદાયોને સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code